Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિકોમાં આક્રોશ:ગંદકીના લીધે પલાંસવામાં 108નું આવવું મુશ્કેલ

    2 weeks ago

    રાપરના પલાંસવાના નવા પ્લોટ વિસ્તારમાં જૂની ગંદકી અને ગટરલાઇનની નિકાલ વ્યવસ્થાના પ્રશ્ને સ્થાનિકોનો આક્રોશ વ્યક્ત કરાયો છે. સોમવારે 70થી 80 જેટલા ગામના સ્થાનિકો ભુજ સ્થિત જિલ્લા પંચાયત દોડી આવ્યા હતા. ગ્રામજનોએ અંગે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં રસ્તાની ગંદકી માટે ગામના સરપંચના વલણને જવાબદાર ઠેરવી આક્ષેપો કરાયા છે. નવા પ્લોટ વિસ્તારમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ ઓબીસી (કોળી અને ભરવાડ) સમાજના આશરે 1 હજાર જેટલા પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારના મુખ્ય રસ્તા પર વર્ષો પહેલાં માત્ર એક ફૂટની ગટર લાઇન નાખવામાં આવી હતી, જે સમય જતાં ચોકઅપ થઈ ગઈ છે. પરિણામે, ઘરોમાંથી નીકળતું દૂષિત પાણી મુખ્ય રસ્તા પર જ ભરાઈ રહે છે અને આખો રસ્તો કીચડથી ખદબદી રહ્યો છે. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું કે, અમારા વિસ્તારમાં કોઈ બીમાર પડે તો કીચડના કારણે 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. એટલું જ નહીં પણ ગંદકીના કારણે અમારા દીકરા-દીકરીઓના લગ્ન સંબંધો માટે કોઈ મહેમાનો આવી શકતા નથી. ત્રણ દિવસ પહેલા પલાંસવા ગ્રામ પંચાયત દ્વારા આ લાઇનને રીપેર કરી નવી પાઇપ લાઇનો જે સાઇઝની છે તે જ સાઇઝની નાખવાનું કાર્ય શરૂ કરાયું હતું, જેમાં ફરીથી એ જ એક ફૂટની પાઇપલાઇન નાખી રહ્યું હતું. ગ્રામજનોએ આ સાઇઝ નાની પડતી હોવાથી કાયમી ઉકેલ માટે એક ફૂટની કાઢીને બે થી ત્રણ ફૂટની પહોળાઈ ધરાવતી પાઇપલાઇન નાખવાની માંગ કરી હતી. જો કે, ગ્રામજનોનો આક્ષેપ છે કે આ ન્યાયિક માંગણી સામે ગામના સરપંચે ઉદ્ધત વર્તન કરતા ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, તમે કહેશો એમ નહીં થાય, અમે કરશું એમ જ થશે. સરપંચના આવા વલણના કારણે સ્થળ પર ભારે રકઝક થતાં ગ્રામજનોએ કામ અટકાવી દીધું હતું. આ અંગે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને વિનંતી કરી છે કે, આ વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય અને સામાજિક હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે જૂની લાઇન હટાવી મોટી પાઇપલાઇન નાખવામાં આવે અને ગામના સરપંચ સામે યોગ્ય તપાસ કરી આ જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. ન્યાય સમિતિના ચેરમેનને રાજીનામું આપ્યું પલાંસવા ગ્રામ પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવતા બાબુભાઈ છગનભાઈ ગોહીલ એ પંચાયતના હોદ્દેદારોની હેરાનગતિથી કંટાળીને પોતાના પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. તેમનો આક્ષેપ છે કે, પદ મળ્યાથી આજ દિન સુધી હોદ્દેદારોએ તેમને કોઈ પણ કામમાં તેમની સંમતિ લીધી નથી.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:નખત્રાણાના ઉગેડી-વિગોડી હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત: 3 લોકોને ઈજા
    Next Article
    આસ્થા:ભચાઉમાં ચાંપાર ગામ વસ્યા પછી પ્રથમ વખત ભીલ યુવાને કરી બદ્રીનાથ-કેદારનાથની યાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment