Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોટલના 103 નંબરના રૂમમાં શું બન્યું હતું?:સુરતમાં પ્રેમલગ્ન કરનાર કપલના આપઘાત કેસમાં નવો ખુલાસો, પરિવારને મેસેજ કરી પંખા સાથે દુપટ્ટો બાંધ્યો, અંતે ઝેર પીધું

    1 day ago

    ગત 22 જૂનના રોજ સુરતના સરથાણામાં આવેલી લા મરીના હોટેલમાં પ્રેમલગ્ન કરી ચૂકેલા અને ટૂંક સમયમાં જ સામાજિક રીતિ-રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કરવા જઈ રહેલા દંપતીએ ગળાફાંસો ખાધો હતો. હોટલના રૂમ નંબર 103માં 23 વર્ષીય માનસી ઉમરેટીયા અને 23 વર્ષીય અભય ત્રાડાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી દીધું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પરિવારોની સંમતિ બાદ પણ સામાજિક લગ્નની તારીખ નક્કી કરવામાં થતા વિલંબ અને વિઘ્નોથી કંટાળીને આ આકરું પગલું ભર્યું હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે બંને પરિવારો સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઑફિસ અને પાસપોર્ટના બહાને નીકળ્યા અને હોટલમાં મળ્યા ઘટનાની વિગત એવી છે કે, 22 જૂને રોજિંદા ક્રમ મુજબ માનસી પોતાના ઘરેથી નોકરી પર જવા માટે નીકળી હતી. બીજી તરફ, અભય પણ પોતાના ઘરેથી પાસપોર્ટના કાગળિયાના કામ અર્થે બહાર જવાનું કહીને નીકળ્યો હતો. જોકે, બંને અગાઉથી નક્કી કર્યા મુજબ એકબીજાને મળવાના હતા. બપોરે આશરે 12:30 વાગ્યા આસપાસ સરથાણામાં બાપા સીતારામ ચોક નજીક આવેલા સિલ્વર બિઝનેસ હબની લા મરીના હોટેલમાં પહોંચ્યા હતા. હોટલના સ્ટાફ દ્વારા તેને રૂમ નંબર 103 ફાળવવામાં આવ્યો હતો. રૂમમાં પ્રવેશ્યા બાદ બંને વચ્ચે લગ્ન અને ભવિષ્યને લઈને ગંભીર ચર્ચા અને રકઝક થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના અંતે બંનેએ સાથે મરવાનો રસ્તો પકડ્યો હતો. આપઘાતના પ્લાન A અને B, પહેલો નિષ્ફળ ને બીજો સફળ પોલીસ તપાસમાં આ ઘટનાની કમકમાટીભરી વિગતો પ્રકાશમાં આવી છે. રૂમ નંબર 103માં બંનેએ જીવન ટૂંકાવવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે બેડ પર એક પ્લાસ્ટિકની ડોલ મૂકેલી મળી આવી હતી અને પંખા સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતો હતો. આ દ્રશ્ય પરથી સ્પષ્ટ થાય છે કે, અભય અને માનસીએ પહેલા પંખા સાથે દુપટ્ટો બાંધી, નીચે ડોલ મૂકીને સાથે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે પ્રયાસ સફળ ન થતાં અથવા કોઈ કારણોસર ફાંસો ખાઈ શકાય તેમ ન લાગતાં, તેઓએ પ્લાન બદલ્યો હતો. ત્યારબાદ બંનેએ સાથે રાખેલી સેલ્ફોસ નામની અત્યંત ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ‘મારી જે ભૂલ થઈ હોય તે માફ કરજો. આઈ લવ યુ…’ ઝેરી દવા પીતા પહેલાં અને પીધા બાદ બંનેએ પોતપોતાના પરિવારજનોને મોબાઈલ પર અંતિમ મેસેજ મોકલ્યા હતા, જે વાંચીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બપોરે માનસીએ તેના પિતા હસમુખભાઈના મોબાઈલ પર મેસેજ કર્યો હતો કે, મમ્મીનું ધ્યાન રાખજો, બહેનનું ધ્યાન રાખજો, મારી જે ભૂલ થઈ હોય તે માફ કરજો. આઈ લવ યુ… ‘અમારે સાથે રહેવું છે, પણ લગ્ન વિના સાથે રહેવા નહીં મળે’ બીજી તરફ, અભયે પણ આત્મઘાતી પગલું ભરતા પહેલાં તેના ભાઈને વોટ્સએપ પર એક લાંબો મેસેજ મોકલીને આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ કર્યું હતું. અભયે લખ્યું હતું કે, હવે અમારા લગ્ન શક્ય નથી. માનસીના પપ્પા લગ્નની તારીખ આપતા નથી. અમારે સાથે રહેવું છે, પણ લગ્ન વિના સાથે રહેવા નહીં મળે. એટલે અમે આ પગલું ભરીએ છીએ, જેમાં કોઈની પણ જવાબદારી નથી. આ બધી જવાબદારી અમારી છે. અમે સિલ્વર હબની લા મરીના હોટેલમાં છીએ." સાંજે 5 વાગ્યે પરિવારોએ મેસેજ જોયા ને દોડધામ મચી ગઈ બપોરે 12:30 વાગ્યે હોટલમાં ગયેલા આ યુગલે ક્યારે દવા પીધી તેની ચોક્કસ માહિતી હજી સામે નથી આવી, પરંતુ સાંજે 5 વાગ્યા આસપાસ જ્યારે પરિવારજનોએ મેસેજ જોયા ત્યારે ભારે દોડધામ મચી ગઈ હતી. આ તરફ હોટલના સ્ટાફને પણ રૂમમાં કોઈ અજુગતી ઘટના ઘટી હોવાની આશંકા જતાં તેમણે તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને પરિવારના સભ્યો લગભગ એક જ સમયે હોટલ પર દોડી આવ્યા હતા. માનસીના મોંમાંથી ફીણ નીકળતા હતા ને અભયની સ્થિતિ ગંભીર હતી જ્યારે રૂમ નંબર 103નો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય ભયાનક હતું. માનસી બેડ પર મૃતપ્રાય હાલતમાં પડી હતી, તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. જ્યારે અભય બાજુમાં અત્યંત ગંભીર હાલતમાં હતો. અભયને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે માનસીને હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જોકે, નસીબે અભયને પણ સાથ ન આપ્યો અને બીજા દિવસે મળસ્કે સારવાર દરમિયાન તેનું પણ હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. પ્રેમ, કોર્ટ મેરેજ, સગાઈ... અને પછી કરુણ અંજામ અમરેલીના ધારી તાલુકાના ગીગાસણની રહેવાસી મૃતક માનસી હસમુખભાઈ ઉમરેટીયા અને જ્યારે સુરતમાં રહેતા અભય રામજીભાઈ ત્રાડા લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. બંનેએ અગાઉ પરિવારની જાણ બહાર બે વર્ષ કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. શરૂઆતમાં આ સંબંધને લઈને બંનેના પરિવારજનોમાં ભારે વિરોધ અને વાંધા-વચકા હતા. પરંતુ સમય જતાં બંને પરિવારો યુગલના પ્રેમ સામે નમ્યા હતા અને રાજીખુશીથી લગ્ન કરાવી આપવા સહમત થયા હતા. પરિવારોની સંમતિ મળ્યા બાદ બંનેની દોઢ વર્ષ પહેલા ધામધૂમથી સગાઈ પણ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, સામાજિક રીતિ-રિવાજ અને જ્ઞાતિના રીત-રિવાજ મુજબ તેમના લગ્ન લેવાનું પણ નક્કી થઈ ગયું હતું. આમ છતાં, અચાનક એવું તે શું બન્યું કે બંનેએ હોટલના રૂમમાં જઈને સામૂહિક આપઘાત કરી લીધો, તે હવે મોટો રહસ્યનો વિષય બન્યો છે. બંને પરિવારો સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા મૃતક માનસી છેલ્લા છ મહિનાથી સરથાણા વિસ્તારમાં એક પ્રોપર્ટી લે-વેચની ઓફિસમાં નોકરી કરતી હતી. તેના પિતા હસમુખભાઈ રેતી-કપચીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ મૂળ અમરેલીના ધારી તાલુકાના ગીગાસણ ગામના વતની છે. જ્યારે અભય ઘરબેઠા મકાન દલાલીનું કામ કરતો હતો. તેના પિતા રામજીભાઈ હીરાના કારખાનામાં કામ કરે છે અને તેઓ મૂળ જૂનાગઢના ભેંસાણના વતની છે. પોલીસ પરિવારના નિવેદનો નોંધી રહી છે હાલ આ મામલે સરથાણા પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તપાસમાં જોતરાયો છે. પોલીસે હોટલના રૂમમાંથી પુરાવા એકત્ર કર્યા છે અને બંનેના મોબાઈલ ફોન કબ્જે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. સરથાણા પોલીસ હાલમાં મૃતક માનસી અને અભયના પરિવારજનો, મિત્રો અને હોટલ સ્ટાફના વિગતવાર નિવેદનો નોંધી રહી છે. સેલ્ફોસ દવા ક્યાંથી આવી? આ સેલ્ફોસ નામની અત્યંત ઘાતક ઝેરી દવા આ કપલ પાસે ક્યાંથી આવી? બંનેમાંથી આ દવા બજારમાંથી કોણ ખરીદીને લાવ્યું હતું? આ દિશામાં પોલીસે મેડિકલ સ્ટોર્સ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. સામાજિક લગ્નની તારીખ લંબાવાને કારણે કે પછી પરિવારો વચ્ચે અંદરખાને ચાલી રહેલી કોઈ ખેંચતાણને લીધે આ પગલું ભરાયું છે, તે પોલીસની સઘન પૂછપરછ અને તપાસ બાદ જ સ્પષ્ટ થશે. એક હસતા-રમતા અને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા યુગલના આ કરુણ અંતથી બે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં મોહરમ પર્વ પૂર્વે શાંતિ સમિતિની બેઠક:પોલીસે શાંતિ અને કોમી એકતા જાળવવા અપીલ કરી
    Next Article
    આધાર વગર નહીં મળે સ્ટાઇપેન્ડ-સ્કોલરશિપ!:રાજ્ય સરકારનો મોટો નિર્ણય, MKPY અને LIVE યોજનામાં આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment