Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચકલીના માળાનું વિતરણ:વિશ્વ ચકલી દિવસે ‘સેવા સજીવ સેતુ’ સંસ્થા દ્વારા ચકલી બચાવો અભિયાન, સ્કૂલોમાં 1000થી વધુ માળાઓનું વિતરણ કરાયું

    1 week ago

    આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આધુનિકરણ અને શહેરીકરણના યુગમાં લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા માટે મહેસાણામાં પક્ષી પ્રેમીઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. શહેરોમાં વધતું જતું ઘોંઘાટનું પ્રદૂષણ, રહેઠાણનો અભાવ અને પૂરતો ખોરાક ન મળવાને કારણે ચકલીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિમાં ચકલીઓનો કલરવ ફરીથી ગુંજતો થાય તેવા ઉમદા આશય સાથે મહેસાણાની વિવિધ શાળાઓમાં માળાઓનું વિતરણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિશેષ અભિયાન હાથ ધરાયું મહેસાણા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ અને પક્ષીઓના જતન માટે કાર્યરત "સેવા સજીવ સેતુ" સંસ્થા દ્વારા આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સંસ્થાના રાજુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે.તેઓ વર્ષ 2016 થી સતત ચકલીના માળા અને વૃક્ષોનું વિતરણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા આ વિસ્તારમાં 20 હજારથી વધુ માળાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.જેના હકારાત્મક પરિણામો હવે જોવા મળી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં ચકલીઓ ફરી દેખાવા લાગી છે. એક્ઝોટીકા સ્કૂલના બાળકોને 1100 જેટલા માળાઓ આપવામાં આવ્યા હતા આજના વિશેષ દિવસે સંસ્થા દ્વારા મહેસાણાની એક્ઝોટીકા સ્કૂલના બાળકોને 1100 જેટલા માળાઓ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી શાળાઓમાં 300 અને રેમ્બો સ્કૂલમાં 60 જેટલા માળાઓનું વિતરણ કરી બાળકોને પક્ષી પ્રેમના પાઠ ભણાવવામાં આવ્યા હતા. પક્ષી પ્રેમીઓનું માનવું છે કે જો નાગરિકો પોતાના ઘરના આંગણે કે બાલ્કનીમાં માત્ર થોડો આશરો આપે તો ચકલીઓ ત્યાં ચોક્કસ નિવાસ કરે છે. ચકલી વર્ષમાં ચાર વખત ઈંડા મૂકતી હોવાથી જો તેને સુરક્ષિત માળો અને છાંયડો મળે તો તેની વસ્તીમાં ઝડપથી વધારો થઈ શકે છે. આમ મહેસાણામાં સેવાભાવી સંસ્થાઓ અને પક્ષી પ્રેમીઓના સહિયારા પ્રયાસોથી લુપ્ત થતી જતી ચકલી પ્રજાતિને બચાવવા માટે એક મજબૂત મિશન ચલાવવામાં આવી રહ્યું છે. જેથી આવનારી પેઢી પણ ચકલીનો મીઠો કલરવ સાંભળી શકે.
    Click here to Read More
    Previous Article
    પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમાની કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો:રાજકોટમાં ધુરંધર જોવા ગયેલા ગ્રાહકે વીડિયો ઉતાર્યો, સેન્ડવીચને હટાવી મેનેજરે લૂલો બચાવ કર્યો
    Next Article
    સરખેજમાં યુવકની હત્યા કરનાર આરોપી લંગડાતા ચાલ્યા:પાંચ આરોપીને બનાવ સ્થળ પર ઉઘાડા પગે દોરડા વડે બાંધીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment