Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજરામર એસોર્ટ ગ્રૂપ 100 દિવસ આપશે સેવા‎:વાંકાનેરમાં રાહદારીઓની તૃષા સંતોષવા 5 સ્થળે પાણીના પરબ શરૂ

    4 days ago

    વાંકાનેર શહેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ (AAA Group) દ્વારા તા.8ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા હતા. શહેરમાં કુલ પાંચ સ્થળે આ પરબ ખુલ્લા મુકવામાં આવ્યા છે, જેથી ઉનાળાની ગરમી દરમિયાન રાહદારીઓને ઠંડુ મિનરલ પાણી મળી રહે અને તેમને રાહત મળે. આ સેવાકીય કાર્યને લઈ શહેરના નાગરિકોમાં આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રુપ દ્વારા માનવલક્ષી તેમજ અબોલ પ્રાણીઓ માટે પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગરીબ પરિવારોના બાળકોને ભોજન, તહેવારો દરમિયાન મીઠાઈ તેમજ શિક્ષણ માટે શૈક્ષણિક સાહિત્ય આપવાની સેવાઓ પણ ગ્રુપ દ્વારા સમયાંતરે કરવામાં આવી રહી છે. આ સેવાકાર્યની શરૂઆત જૈન શાસનના નિયમ મુજબ ત્રણ નવકાર મંત્ર ગણી અને માંગલિક ફરમાવી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વાંકાનેરના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરિયા સહિત ગ્રુપના સભ્યોની ઉપસ્થિતિમાં પાણીના પરબ ખુલ્લા મુકાયા હતા. આ પરબ શહેરના રસાલા રોડ પર ભાવિકા એન્ટરપ્રાઇઝ, દાણાપીઠ ચોક આગળ અજય ટ્રેડર્સ, HDFC બેંક સામે શ્યામવાળી પાસે રામરસ, દિવાનપરા મેઈન રોડ પર સૌરાષ્ટ્ર હેર સલૂન તેમજ જીનપરા મેઈન રોડ બાલમંદિર પાસે આદ્યશક્તિ ટેલિકોમ ખાતે કાર્યરત કરવામાં આવ્યા છે. આ પરબ સતત 100 દિવસ સુધી ચાલુ રહેશે. આ સેવાકીય પ્રવૃત્તિમાં સહયોગ આપનાર દાતાઓનો ગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નારીઓને ધર્મના મર્મની સમજ અપાઈ:ટંકારામાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રે નારીશક્તિને આદર્શ જીવનના સાત પગથિયાંનો સંદેશ આપ્યો
    Next Article
    પતિએ પત્નીને માર્યો ઢીકાપાટુનો માર:અણબનાવ થતાં પત્ની પિયર જતી રહી, ત્યાં ધસી જઇ પતિએ મારકૂટ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment