Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતનું નવું સોલાર વિલેજ:જંગર ગામે 100% ઘર સૂર્યઉર્જાથી ઝળહળ્યા; કાવાવ-વડીયાના 45 ગામોમાં એકસાથે જળસંચય અભિયાનનો પ્રારંભ‎

    1 week ago

    અમરેલી જિલ્લામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે જેના ભાગરૂપે કુંકાવાવ તાલુકાના જંગર ગામે ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને સોલાર વિલેજ, ગ્રામ્ય મોડેલ તળાવના લોકાર્પણ અને જળ સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમરેલીમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન કુંકાવાવ-વડીયા તાલુકાના કુલ 45 ગામોમાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરી માટે સંયુક્ત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને PGVCLના CSR ફંડના સહયોગથી આ કામગીરી હાથ ધરાશે. આ માટે કુલ 45 હિટાચી મશીનો ફાળવવામાં આવ્યા છે. જળ સંરક્ષણના આ મહત્વપૂર્ણ કાર્ય માટે PGVCL દ્વારા અંદાજે રૂ. 6.5 કરોડથી વધુની રકમ CSR ફંડ તરીકે મંજૂર કર છે. વાડિયા તાલુકાનું જંગર ગામ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના તથા ગામના દાતાઓનાં સહયોગથી 100 ટકા સોલાર વિલેજ બન્યું છે, ગામના દરેક ઘરમાં સોલાર ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે ગામ હવે સંપૂર્ણપણે સૂર્યઉર્જાથી પ્રકાશિત બન્યું છે. આ યોજનામાં અમદાવાદ સ્થિત રવજીભાઈ પી. વસાણી ગ્રુપ પરિવારનો વિશેષ સહયોગ રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીએ મોડેલ સોલાર વિલેજ અને ગ્રામ્ય મોડેલ તળાવનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં કુંકાવાવ-વડીયા તાલુકા પંચાયતના હોદ્દેદારો, જિલ્લાના રાજકીય આગેવાનો, જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પાથર, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, અમરેલી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, PGVCLના અધિકારીઓ, અને 45 ગામોના સરપંચો હાજર રહ્યા હતા. અગાઉ લાઠી તાલુકાનું દુધાળા ગામ સોલાર વિલેજ બન્યું હતું અમરેલી જિલ્લામાં અગાઉ લાઠી તાલુકાનું દુધાળા ગામ પણ સોલાર વિલેજ બન્યું હતું. અહીં દાતા ગોવિંદભાઈ ધોળકિયાના સહયોગથી દરેક ઘર પર વિનામૂલ્યે સોલાર પેનલો લગાવવામાં આવી હતી. જેના કારણે મોટાભાગના ઘરોનું વીજ બિલ શૂન્ય બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ખાતાધારકો હેરાન પરેશાન‎:ભાવનગર જિલ્લા બેંક સાથે ઠગાઇથી 10 દિ'થી સાવરકુંડલા તાલુકામાં 6 બ્રાન્ચની સેવાઓ બંધ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પવિત્ર રમજાન માસમાં હજયાત્રાના બહાને 32 લોકો‎પાસેથી રૂા. 21.79 લાખ પડાવી ટુર એજન્ટ ગાયબ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment