Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવેલી સંકુલ ‘શ્રીકૃષ્ણ’ના નાદથી ગુંજ્યું:શ્રીનાથધામ હવેલીમાં વ્રજરાજકુમારજીએ 100થી વધુ વૈષ્ણવોએ દીક્ષા ગ્રહણ કરાવી

    21 hours ago

    રાજકોટ સ્થિત VYO શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હવેલી સંકુલ ‘શ્રીકૃષ્ણ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રવિવારે આયોજિત આ કાર્યક્રમમાં વહેલી સવારથી જ વૈષ્ણવોનો પ્રવાહ ઊમટી પડ્યો હતો. ઉપસ્થિત તમામ ભક્તજનોએ ભાવપૂર્વક ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રીનાથધામ હવેલીમાં વ્રજરાજકુમારજીની નિશ્રામાં 100થી વધુ વૈષ્ણવોએ દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ, વૈષ્ણવોએ વ્રજરાજકુમારજી મહોદયની મુલાકાત લઈ તેમના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા. તેમણે વૈષ્ણવોને પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો અને ભક્તિનું મહત્ત્વ સમજાવી આશીર્વાદ પાઠવ્યા હતા. આ આયોજનનું મુખ્ય આકર્ષણ ‘બ્રહ્મસંબંધ દીક્ષા’ રહ્યું હતું. વ્રજરાજકુમારજીના હસ્તે 100થી પણ વધુ ભાવિક વૈષ્ણવોએ વિધિવત રીતે બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરી હતી. પુષ્ટિમાર્ગમાં બ્રહ્મસંબંધનું વિશેષ મહત્ત્વ છે, જેના દ્વારા જીવનો ઠાકોરજી સાથે સંબંધ સ્થાપિત થાય છે. દીક્ષા ગ્રહણ કરનાર તમામ વૈષ્ણવોએ વ્રજરાજકુમારજી પાસે કંઠી બંધાવી ઠાકોરજીની સેવાનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:મોતની દોરી સામે માનવતાનો તાર - ચાઈનીઝ દોરીથી બચવા ગેરેજના સંચાલકે 350થી વધુ વાહનમાં સેફ્ટિગાર્ડ લગાવ્યા
    Next Article
    प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा- भारत तेजी से विकसित राष्ट्र बनने की ओर अग्रसर है | 11 Jan 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment