Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં 100 ગૌરક્ષકોની નિમણૂક કરાઈ:સામતભાઈ જેબલીયાએ તરઘરા, પાળીયાદ, રાણપુર પંથકમાં કરી નિમણૂક

    1 day ago

    બોટાદ જિલ્લામાં ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા તરઘરા, પાળીયાદ અને રાણપુર પંથકમાં 100 ગૌરક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકોમાં મુન્નાભાઈ ખાચર અને જયદીપભાઈ બોરીચાને ગૌરક્ષા સમિતિ અને શિવસેનાના બોટાદ તાલુકા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.સામતભાઈ જેબલીયા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી અને રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે બેવડી જવાબદારી સંભાળે છે. તેઓ જીવના જોખમે માનદ સેવા આપી રહ્યા છે. આ નિમણૂકો દ્વારા ગૌરક્ષાના કાર્યને વધુ મજબૂત બનાવવાનો હેતુ છે. આ નિમણૂકોના સમાચારથી ગુજરાતભરના ગૌરક્ષકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. ઠેર ઠેર ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. મુન્નાભાઈ ખાચર (મો. 9913152510) અને જયદીપભાઈ બોરીચાને અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.સામતભાઈ જેબલીયાએ વધુ નિડર ગૌરક્ષકોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેઓ પ્રાણની આહુતિ આપીને પણ ગૌરક્ષાનું કાર્ય કરી શકે. ગૌરક્ષા સમિતિમાં વિના મૂલ્યે જોડાવા અને કતલખાને જતા ગૌવંશને બચાવવા માટે બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાનો ગમે ત્યારે સંપર્ક કરવા જણાવાયું છે.માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ સામતભાઈ જેબલીયા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    યુપીના યુવકનું અમેરિકાના હુમલામાં મોત:હોર્મુઝમાં શિપ પર હતા, પિતાને કહ્યું હતું- જલ્દી પાછો ફરીશ, પત્ની બેભાન, માતા રડી રહ્યા છે; પરિવાર પર આભ તુટી પડ્યું
    Next Article
    જર,જમીન અને જોરુ..કહેવતને સાર્થક કરતો કિસ્સો:ઈસનપુરમાં ઉછીના રૂપિયા પરત માગતા યુવક પર 3 મિત્રે હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment