Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:કડીમાં જીએસટી અધિકારીઓનો ખેલ; 100 કરોડની જમીન 25 કરોડમાં વેચવાનો કારસો

    1 week ago

    સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા વેચાણવેરાની બાકી રકમની વસુલાતના નામે કિંમતી જમીન વેચી મારવાનો કારસો સામે આવ્યો છે. અધિકારીઓએ વેચાણવેરા સમયની ચાર કંપનીઓ સામે રૂ.18 કરોડથી વધુની બાકી વસૂલાતના નામે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કડી તાલુકાના ચાંદરડા ગામની કંપનીની 100 કરોડ રૂપિયાની જમીન ટાંચમાં લઈને 25 કરોડ રૂપિયામાં વેચી મારવા માટે આ કારસો ઘડાયો હતો. જો કે આખું ભાંડો ફૂટી જતા અધિકારીઓ ભીંસમાં આવ્યા છે. મધુ રિફોઇલ એન્ડ કેમિકલ લિમિટેડ, પ્રાચી મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડિંગ કંપની, પ્રભુ ક્રિએશન અને પ્રાચી ઇન્ડસ્ટ્રીઝ સામેની જૂની રિકવરી બાબતે વિભાગે સર્વે નં. 59 અને 84 હેઠળ આવેલી બિનખેતી જમીન કબ્જે લીધી હતી. બજાર મૂલ્ય અંદાજે રૂ. 100 કરોડથી વધુ ગણાતી આ જમીન માત્ર રૂ. 25 કરોડમાં હરાજી કરવાની સાંઠગાંઠ રચાઈ ગઇ હતી. ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે તેવો ગોટાળો? આ સમગ્ર પ્રકરણમાં કડીના રાજ્યવેરા અધિકારીની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની ચર્ચા જોર પકડી રહી છે. જો નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થાય તો રૂ. 100 કરોડની જમીન રૂ. 25 કરોડમાં પધરાવવાનો મસમોટો ગોટાળો બહાર આવે તેવી શક્યતા છે. હાલમાં જ આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે, પરતુ્ં સ્ટેટ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલે તપાસ કરવી જોઇએ. કારણ કે અહીં અધિકારીઓએ સત્તાનો સરેઆમ દુરુપયોગ કરીને મોટું ષડયંત્ર રચ્યું હતું. વાંચો શું છે આ ષડયંત્ર... કોણ-કોણ સામેલ અને હવે શું? માલિક વિદેશમાં હોવાનો લાભ લીધો, જીએસટી વિભાગમાં અંદરખાને ગોટાળો ? જેનો કરવેરો બાકી છે તેવા જમીન માલિક વિદેશમાં હોવાનો લાભ લઈને કેટલાક અધિકારીઓએ મળતીયાઓને લાભ થાય તે રીતે હરાજી પ્રક્રિયા ગોઠવી હતી. નિયમિત જાહેરાત અને બીડ પ્રક્રિયાની આડમાં મળતીયાઓને ફાયદો કરાવવાની અહીં તૈયારી કરી લેવાઇ હતી. જમીન પર બેંકનો બોજો હોવા છતાં હરાજી પ્રક્રિયા આગળ વધારવામાં આવી. બેંકને જાણ થતા મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો. કાયદાકીય રીતે બોજાવાળી મિલ્કતની હરાજી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે આ જમીન પર જીએસટી વિભાગ સિવાય બેંકના નાણાં પણ ચૂકવવાના બાકી હતા, હરાજીમાં ભાગ લેનાર ભાગીદારોની પીછેહઠ હરાજીમાં સામેલ ત્રણ પૈકી બે ભાગીદારો બેંક બોજાની જાણ થતા તાત્કાલિક હટી ગયા હતા. બાકી રહેલા એક પાર્ટનર પાસે રૂ. 25 કરોડની જોગવાઈ ન હોવાથી જમીન રૂ. 40 કરોડના શરતી સોદાથી ત્રીજા વ્યક્તિને વેચવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે- જે સમગ્ર સોદાને વધુ શંકાસ્પદ બનાવે છે. જો કે આ બધુ જ પ્રી પ્લાન હોવાનું ધીમે ધીમે સામે આવી રહ્યું છે. ત્રીજી હરાજીમાં ‘મળતિયા’ મેદાનમાં ? પહેલી બે હરાજીમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા ત્રીજી હરાજીમાં વિભાગના જ લોકો દ્વારા ગોઠવાયેલી ત્રણ વ્યક્તિને ઉભા કરાયા હોવાના આક્ષેપો છે. માત્ર રૂ. 1 કરોડ જમા લઈ બાકીની રકમ માટે મુદત આપવી પણ સવાલો ઊભા કરે છે. કોઇ પણ હરાજીમાં સરકારમાં પૈસા ભરવા એક સમય મર્યાદા હરાજી પહેલા જ નક્કી થતી હોય છે અને તેની વિગતો ડોક્યુમેન્ટમાં દર્શાવવાની હોય છે. હરાજી પ્રક્રિયા અટકાવવા હાઇકોર્ટનો સહારો જમીન માલિક તરફથી હરાજી અટકાવવા હાઇકોર્ટનો સહારો લેવાયો છે. માલિકની ગેરહાજરી અને તેમના પ્રતિનિધિને સત્તાવાર માન્યતા ન આપવી પણ વિવાદનું કેન્દ્ર છે. બીજી તરફ કરોડોની જમીન મફતના ભાવે પધરાવી દેવાનો ગોટાળો ચર્ચાસ્પદ બન્યો છે. અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ આ સમગ્ર ઘટનામાં રાજ્યવેરા અધિકારીની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. જો આ મામલે ઊંડી તપાસ કરવામાં આવે તો મોટાપાયે કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આ મામલે તપાસ થશે: ચીફ કમિશનર ‘સ્ટેટ જીએસટીના ચીફ કમિશનર આરતી કંવરે જણાવ્યું કે ‘ડિપાર્ટમેન્ટની રિકવરીના કેસમાં જમીન ટાંચમાં લીધી હોય તો માર્કેટ રેટ કરતા ઓછી કિંમતમાં હરાજી કરી શકાય નહીં. જો કઈ ખોટું થયું હશે તો આ મામલે હું તપાસ કરાવીશ.’
    Click here to Read More
    Previous Article
    Chetak Screen Academy unveils: Here are the nominees for the finest in film…
    Next Article
    પરવાનગી વિના ધમધમતો હતો પ્રદીપ ગુરુજીનો આશ્રમ:સુરતના પ્રદીપ ગુરુજીનું સત્યમ યોગ ધામ આશ્રમ આખેઆખું ગેરકાયદે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment