Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂના દૂષણે 100થી વધુ યુવાનોના જીવ લીધા:નાગસેન નગરમાં ગલીએ ગલીએ ગંદકીને ઘરે ઘરે માતમ, નેતાઓ સામે જનતાનો આક્રોશ:'આ વખતે વોટ નહીં મળે!'

    5 days ago

    સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 28 પાંડેસરા-ભેસ્તાનમાં આવેલા નાગસેન નગરના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.નાગસેન નગરમાં માત્ર ગટર અને ગંદકીનો જ નરક નથી, પણ દારૂના દૂષણે આખા વિસ્તારને સ્મશાનમાં ફેરવી દીધું છે. નાગસેન નગરમાં ગલીએ ગલીએ ગંદકીને ઘરે ઘરે માતમ જોવા મળ્યો હતો. નેતાઓ સામે જનતાનો આક્રોશ જોવા મળ્યો હતોને કહ્યું,'આ વખતે વોટ નહીં મળે!'. સ્થાનિક ઉષાબેને કહ્યું કે, મારી નજર સામે આ વિસ્તારના કપિલ, પિન્ટુ, સુનીલ અને દાદા મોરે જેવા 100થી વધુ યુવાનો દારૂ પીને મરી ગયા છે. ચોકી પાછળ જ દારૂની પોટલીઓનું સામ્રાજ્ય: ખાખીનો ખોફ ક્યાં ગયો? નાગસેન નગરમાં પ્રવેશતાની સાથે જ વિકાસના દાવાઓની પોલ ખુલી જાય છે. જે પોલીસ ચોકી પર વિસ્તારની સુરક્ષાની જવાબદારી છે, ત્યાં તાળા લટકેલા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ ચોકીની બિલકુલ પાછળ આવેલા ખંડેર જેવી જગ્યામાં દારૂની ખાલી પોટલીઓનો ઢગલો જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પીવાય છે. કાયદો અને વ્યવસ્થા જાણે આ વિસ્તારમાં દમ તોડી ચૂકી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દારૂના દૂષણે 100થી નવયુવાનોના જીવ લીધા આ વિસ્તારની સૌથી ભયાનક વાસ્તવિકતા એ છે કે અહીંના યુવાનો દારૂના રવાડે ચઢીને અકાળે મોતે મરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયમાં 21થી 25 વર્ષની વયના અનેક યુવાનોના લિવર અને કિડની ફેઈલ થવાને કારણે મોત નીપજ્યા છે. ગંદકી અને ઉભરાતી ગટરોમાં જીવવા મજબૂર સ્થાનિકો નાગસેન નગરની ગલીઓમાં પગ મૂકવો પણ મુશ્કેલ છે. ગટરના પાણી રસ્તા પર વહે છે અને પીવાના પાણીમાં પણ લાલ કીડા નીકળી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. ચોમાસું હોય કે ઉનાળો, અહીં ગંદકીનું સામ્રાજ્ય બારેમાસ રહે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. 'વોટ લેવા આવે ત્યારે મધ જેવી વાતો કરે છે' સ્થાનિક રહેવાસી દ્વારકાબેને કહ્યું કે, ત્રણ દિવસથી કુંડીઓ ઉભરાય છે, સંડાસના પાણી રસ્તા પર આવે છે. આટલી વાસમાં અમે કેમ ના રહીએ? રસ્તો ચાલવા જેવો નથી. જ્યારે વોટ લેવા આવે ત્યારે મધ જેવી વાતો કરે છે, પણ પછી કોઈ દેખાતું નથી. કોરોના કાળમાં પણ કોર્પોરેટરો લાપતા: જનતાનો આક્ષેપ સ્થાનિક મહિલાઓએ ભારે રોષ સાથે જણાવ્યું કે, જ્યારે દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો હતો અને ગરીબ જનતા પાસે ખાવાના અનાજ નહોતા, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોઢું બતાવવા પણ આવ્યા નહોતા. લોકડાઉનમાં સહાયના નામે શૂન્ય કામગીરી થઈ હોવાના ગંભીર આક્ષેપો થયા છે. 'અમે કોઈને વોટ આપવાના નથી' સ્થાનિક મેભીબાઈ સિરસતે કહ્યુ કે, લોકડાઉનમાં અમને ખાવા નહોતું મળતું, કેટલા ખરાબ દિવસો કાઢ્યા છે. અનાજ આવતું તો પણ પાછું મોકલી દેવાતું હતું. કોઈ કોર્પોરેટર હાલચાલ પૂછવા નહોતું આવ્યું. હવે કયા મોઢે વોટ માંગવા આવશે? અમે કોઈને વોટ આપવાના નથી. કોર્પોરેટરની દુકાન આ જ વિસ્તારમાં, પણ રહે છે બીજે! વોર્ડ નંબર 28ના પૂર્વ કોર્પોરેટર રાજ કવર રાઠોડની એક દુકાન આ વિસ્તારમાં છે. સ્થાનિકોનું કહેવું છે કે આ દુકાન માત્ર ચૂંટણી જીતવા અને સંપર્ક રાખવા પૂરતી છે, બાકી કોર્પોરેટર પોતે સુરક્ષિત સોસાયટીઓમાં રહે છે અને નાગસેન નગરની ગંદકી સામે જોતા પણ નથી. જ્યારે તેમના પુત્ર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે બચાવ કરતા કહ્યું કે, SMC બરાબર કામ કરે છે, પણ લોકો જ ગંદકી કરે છે. 'લોકો જ ગંદકી કરે છે અને કચરો ફેંકે' પૂર્વ કોર્પોરેટરના પુત્રએ કહ્યું કે, અમે અહીં 22 વર્ષથી રહીએ છીએ અને આ વિસ્તારમાં ઘણું સારું કામ થયું છે, રોડ પણ બન્યા છે. SMC (સુરત મહાનગરપાલિકા)ના માણસો નિયમિત આવે છે અને બધું સાફ કરીને જાય છે. પેઢીઓ બદલાઈ પણ નાગસેન નગર ના બદલાયું? દાયકાઓથી અહીં રહેતા વૃદ્ધોની આંખોમાં આશા હવે રોષમાં ફેરવાઈ ગઈ છે. 40-40 વર્ષથી રહેતા લોકોનું કહેવું છે કે પેઢીઓ બદલાઈ ગઈ પણ નાગસેન નગરની કિસ્મત બદલાઈ નથી. 'નો વોટ' ની ચીમકી: જનતા હવે જાગૃત થઈ! આગામી ચૂંટણીમાં નાગસેન નગરના રહીશોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે અથવા વર્તમાન પ્રતિનિધિઓને જાકારો આપશે. કમલબેન નથ્થુંએ કહ્યું કે, બે મહિના પહેલા મારો છોકરો ગુજરી ગયો, કોઈ પૂછવા ન આવ્યું. દારૂ હજુ પણ વેચાય છે. જે અમારી વ્યવસ્થા કરે તેને જ મત અપાય ને? હવે અમે કોઈને મત આપવાના નથી.
    Click here to Read More
    Previous Article
    સાળંગપુરધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન; 151 કિલોની કેક, 1 લાખ બલૂનની વર્ષા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞમાં 1 હજારથી વધુ ભક્તો જોડાયા
    Next Article
    પાટણમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:મંદિરોમાં મારૂતિ યજ્ઞ, છપ્પન ભોગ અને સુંદરકાંડના પાઠ યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment