Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબવાના બનાવો રોકવા માટે નિર્ણય:પરિક્રમા દરમિયાન લાઇફ જેકેટ વિના બોટમાં બેસનારને 100નો દંડ કરાશે

    3 days ago

    નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમા દરમિયાન બોટમાં લાઇફ જેકેટ વિના મુસાફરી કરનારા લોકો પાસેથી રૂા. 100નો દંડ વસુલવામાં આવશે. ડૂબી જવાના બનાવો રોકવા માટે તંત્ર તરફથી નિર્ણય લેવાયો છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરિક્રામા ગત તા.19 માર્ચથી પ્રાંરભ થઈ છે. આ છ દિવસોમાં 1.12 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી છે. રામનવમીની રાજાઓ હોય ફરજીયાત રજીસ્ટ્રેશન કરીને પરિક્રમા વિસ્તારમાં જવાનું રહેશે. બોટિંગ પોઇન્ટ પર પણ પરિક્રમાવાસીઓ એ સાવચેતી રાખવાની છે. ખાસ કરીને લાઈફ જેકેટ ફરજીયાત પહેરવાનું છે. જો લાઈફ જેકેટ વગર કોઈ પણ પરિક્રમાવાસી ઝડપાસે તો તેની પાસેથી સ્થળ પરજ 100 રૂપિયા દંડ લેવાશે જે વ્યક્તિ દીઠ રહેશે. આ સાથે જો લાઈફ જેકેટમાં બોટ ઇજારદાર ની ભૂલ જણાશે તો બોટ ઇજારદાર પાસેથી 500 રૂપિયા વ્યક્તિ દીઠ દંડની વસુલાત કરવામાં આવશે. સુરક્ષા અને સલામતીની ખાસ કાળજી રાખવામાં આવે છે. ખાસ કરીને હાલમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી પરિક્રમાર્થીઓને સ્વાસ્થ્ય સંદર્ભે કોઈ મુશ્કેલી ન સર્જાય તેની પુરતી કાળજી રાખવા સાથે પરિક્રમા રૂટ ઉપર 8 સ્થળોએ કેમ્પ ઊભા કરી સતત સેવા પુરી પાડવામાં આવી રહી છે. ઉત્તરવાહિની પરિક્રામાના સમગ્ર રૂટ પર આરોગ્ય વિભાગ દ્વારા કુલ 8 લોકેશન પર 24X7 કલાક, 108 એમ્બ્યુલન્સ સહિત રૂટિન મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 24 કલાકમાં 450 પરિક્રમાવાસીઓની તબિયત બગડે છે આખા દિવસમાં 450 થી વધુ લોકો આરોગ્ય સેવા લે છે. 6 દિવસો માં કુલ 4, 500 જેટલા પરિક્રમાવાસીઓ એ ડીહાઇડ્રેશન, બ્લડ પ્રેસર, સુગર વધવું ઘટવું, ચક્કર આવવા, ખેંચ આવવી સહિતની તખલીફોમાં આરોગ્ય સારવાર લીધી છે. અમદાવાદના શૈલેષ પીઠવા નામના 58 વર્ષીય પરિક્રમાવાસીને નર્મદા રામપુરઘાટ રણછોડજી મંદિર પાસે રાત્રીના 2 વાગ્યાના અચાનક ખેંચ આવી જતા બેભાન થઇ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ABVPએ સંચાલક મંડળના પ્રમુખને આવેદન આપ્યું:વલસાડ ABVPએ લો કોલેજમાં ગેરરીતિઓ સામે તપાસ માગી
    Next Article
    વિજયની ઉજવણી:નર્મદા બાર એસોએસિશનના પ્રમુખનું રાજપીપળામાં વિજય સરઘસ નીકળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment