Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંચરડા નીબ કરૌરી મહારાજ મંદિરમાં ભક્તિનો માહોલ:આજે 100મો ભવ્ય સુંદરકાંડ પાઠ યોજાયો, બે વર્ષથી ચાલે છે અવિરત ક્રમ

    3 days ago

    અમદાવાદ નજીક રાંચરડા સ્થિત સુપ્રસિદ્ધ ‘શ્રી સંકટમોચન મહાવીર નીબ કરૌરી મહારાજ મંદિર’ ખાતે આજે રવિવાર, 19 જુલાઈ 2026ના રોજ એક વિશેષ ધાર્મિક ઉત્સવ ઉજવાવા જઈ રહ્યો છે. મંદિરમાં આજે સાંજે 5:30 વાગ્યે 100મા સુંદરકાંડ પાઠની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટ 2024ના રોજ મંદિરના લોકાર્પણ બાદથી અહીં છેલ્લા બે વર્ષથી નિયમિતપણે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઋતુગત શૃંગાર અને સામાજિક સેવાઓનું અનોખું સંગમ મંદિરમાં વિતેલા બે વર્ષ દરમિયાન યોજાયેલા દરેક સુંદરકાંડ પાઠની વિશેષતા એ રહી છે કે, અહીં ઋતુ અનુસાર ભગવાનનો અનોખો શૃંગાર કરવામાં આવે છે. જેમાં ઋતુફળો, સવા મણ લાડુ, પતંગ, જાંબુ, નમકીન અને વિવિધ મીઠાઈઓનો થાળ ધરાવવામાં આવે છે. આ ઉપરાંત પર્યાવરણની જાગૃતિ માટે તુલસીના છોડનો વિશેષ શૃંગાર કરી ભક્તોમાં તેનું વિતરણ પણ કરાયું હતું. મંદિર માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક સેવાનું કેન્દ્ર પણ બન્યું છે. વિતેલા સમયમાં અંધજન મંડળના બાળકોને રામનવમી અને સુંદરકાંડ પાઠ જેવા તહેવારોમાં જોડીને વિશેષ કાર્યક્રમો યોજાયા છે, તેમજ વૃદ્ધાશ્રમના વડીલોને પણ મંદિરે આમંત્રિત કરીને આશીર્વાદ લેવામાં આવ્યા છે. પંડિત વિનોદજીની ટીમ દ્વારા 100 પાઠ પૂર્ણ મંદિરમાં આયોજિત તમામ 100 સુંદરકાંડ પાઠ પંડિત વિનોદજી અને તેમની ટીમ દ્વારા સુમધુર શૈલીમાં કરવામાં આવ્યા છે. મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણ ગર્ગના જણાવ્યા અનુસાર મંદિરમાં 100મા સુંદરકાંડ પાઠની ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ હતો. આગામી સમયમાં પણ તમામ હિન્દુ તહેવારો જેમ કે રક્ષાબંધન, ગણેશ ઉત્સવ, શિવરાત્રી અને નવરાત્રી જે રીતે અગાઉ ધામધૂમથી ઉજવાયા હતા, તેમ જ સંપૂર્ણ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવાતા રહેશે. ભક્તો માટે આસ્થાનું નવું કેન્દ્ર મંદિરમાં નિયમિત સેવા આપતા કીર્તિભાઈ પટેલ, રાહુલભાઈ બારોટ, ભરતભાઈ જોશી, નિરવભાઈ પટેલ અને ઋષભભાઈ શાહના જણાવ્યા મુજબ, સુંદરકાંડ પાઠની સાથે હનુમાન ચાલીસા અને ભવ્ય મહાઆરતીથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની જાય છે. બાબા નીબ કરૌરી મહારાજની અસીમ કૃપાથી આ મંદિર ધીમે-ધીમે શ્રદ્ધા અને વિશ્વાસનું મોટું કેન્દ્ર બન્યું છે, જ્યાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'આટલા લોકોના કારણે હું આપઘાત કરવા જઈ રહ્યો છું':સાવલીમાં પ્રેમલગ્ન કર્યા બાદ યુવકને ધમકીઓ મળતા યુવક વીડિયો બનાવી ગુમ થઈ જતા ભારે દોડધામ મચી
    Next Article
    STEM Enrolment Crosses 1 Crore Mark, Women's Share Rises To 44%: Government Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment