Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ બનશે રામમય:ગુરુવારે 100થી વધુ ફ્લોટ્સની સાથે ‘સમરસતા’નો શંખનાદ ફૂંકશે રામોત્સવ રથયાત્રા

    5 days ago

    રાજકોટમાં રામનવમીના પવિત્ર દિવસે રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત “રામોત્સવ રથયાત્રા સમિતિ” દ્વારા આગામી તા.26 માર્ચના રોજ ગુરુવારે રથયાત્રાનું આયોજન કરાયું છે. આ રથયાત્રામાં સનાતન પરંપરાની ઝાંખી કરાવતા 100થી વધુ સુશોભિત ફ્લોટ્સ સાથે અનેક સામાજિક સંસ્થાઓ અને મંડળો જોડાશે. આ રથયાત્રાનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના લોકો એકત્રિત થઈ સમરસ બને અને રામના જીવનમૂલ્યોને પોતાના જીવનમાં ઉતારે તેવો છે. આ યાત્રા ગુરુવારે સવારે 8 વાગ્યે નાણાવટી ચોકથી પ્રારંભ થશે. રથયાત્રાના પ્રારંભ પૂર્વે નાણાવટી ચોક ખાતે એક ધર્મસભા યોજાશે. જેમાં સંતો-મહંતો આશીર્વચન પાઠવશે અને વિહિપના ક્ષેત્રિય સંગઠન મંત્રી રંગ રાજેજી કુટુંબ પ્રબોધન, સમરસતા અને ભગવાન રામના આદર્શો પર માર્ગદર્શન આપશે. રથયાત્રાનું સમાપન બપોરે 1 વાગ્યે ગોંડલ રોડ પર આવેલા પ્રાચીન સત્યયુગ શ્રીરામ મંદિર ખાતે થશે. આ મંદિરમાં છેલ્લા 35 વર્ષોથી વિશ્વ શાંતિ અને ગાય માતાની રક્ષાના હેતુથી અખંડ ધૂન ચાલી રહી છે. અહીં પ્રભુ શ્રીરામની મહાઆરતી બાદ તમામ રામભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવી છે. હિન્દુ જાગૃતિ અને સમાજમાં સંસ્કારોના સિંચન માટે વિહિપના કાર્યકર્તાઓએ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે નાણાવટી ચોક(9 વાગ્યે), રૈયા ચોક(9:10), હનુમાનમઢી ચોક (9:50), કિસાનપરા ચોક(10:20), જિલ્લા પંચાયત ચોક(10:40),મોટી ટાંકી ચોક(11 વાગ્યે), ત્રિકોણબાગ (11:35), ગુંદાવાડી (12:15), સત્યયુગ રામમંદિર(1 વાગ્યે)તમામ સ્થળોએ ફરશે. શુક્રવારે અભિજિત મુહૂર્ત 12:24થી 1:14 સુધી રહેશે ચૈત્ર સુદ આઠમને ગુરુવાર તા.26 માર્ચના દિવસે સવારે 11:50 સુધી આઠમ તિથિ છે ત્યારબાદ નોમ તિથિ છે. જે શુક્રવારે સવારના 10:08 વાગ્યા સુધી છે. આમ ચૈત્ર સુદ નોમને શુક્રવારે ઉદિત નોમ તિથિ છે. પંચાંગમાં પણ વૈષ્ણવ પંથની રામનવમી શુક્રવારે લખેલી છે આથી 27મીએ મનાવી પણ ઉચિત ગણાશે. જોકે અયોધ્યામાં રામનવમી 26મીએ છે, જ્યારે સરકારી જાહેર રજા પણ 26 તારીખે છે. શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ગુરુવારે દુર્ગાષ્ટમી છે. આથી ગુરુવારના દિવસે જે લોકોને આઠમના નિવેદ થતા હોય તો ગુરુવારના દિવસે કરવા, આઠમનો હવન ગુરુવારના દિવસે કરવો શુભ રહેશે. રામ નામ ૐ કાર સમાન છે. બીજા બધા મંત્ર જાપ બોલવામાં નીતિ નિયમ છે. ફક્ત રામ નામના મંત્ર જ એવો છે કે, જે ઘર,પૂજા, મંદિર અને સ્મશાનમાં પણ બોલી શકાય છે. રામનવમીના- દિવસે બપોરે અભિજિત મુહૂર્ત 12:24થી 1:14 સુધી છે. શ્રીરામના 7 સૌથી સરળ મંત્રો: (1) ‘રામ’ આ મંત્ર કોઈપણ જગ્યાએ, કોઈપણ સમયે બોલી શકાય, (2) રાં રામાય નમઃ આ મંત્રના જપ કરવાથી આર્થિક સંકટ દૂર થાય. (3) રામચંદ્રાય નમઃ આ મંત્રના જપથી જીવનના કલેશ દૂર થાય. (4) ‘ૐ રામભદ્રાય નમ:’ કાર્યની “સિદ્ધિ’ માટે પ્રભાવી મંત્ર. (5) શ્રી નમો ભગવતે રામચંદ્રાય’’ આ મંત્ર આપત્તિના નિવારણ માટે. (6) ‘શ્રીરામ જય રામ જપ- જય રામ આ મંત્ર શુભ મનોકામના માટે (7) ‘શ્રીરામ ગાયત્રી મંત્ર-શ્રી દશરથાય વિમહે સીતા વલ્લભાય ધીમહિ તત્રો રામ પ્રયોધ્યાત. સર્વ કાર્યમાં સિદ્ધિ આપે છે.
    Click here to Read More
    Previous Article
    લોકોમાં ભયનો માહોલ ફેલાયો:રાજકોટમાં છ વર્ષ બાદ 3.2ની તીવ્રતાનો ભૂકંપ, શહેરથી માત્ર 7 કિ.મી. દૂર મવડી પાસે કેન્દ્રબિંદુ
    Next Article
    ‘પોસ્ટ એક્ઝામ’ કામગીરી:ધો.12 સાયન્સના પરીક્ષા કેન્દ્રોના CCTVની 500 સીડી તપાસાઈ, શંકાસ્પદ વિદ્યાર્થીઓનું હિયરિંગ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment