Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદની આંગણવાડીઓમાં બાળકોની નોંધણી, પોષણક્ષમ આહાર મુદ્દે કડક સૂચના:જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ પોષણ ટ્રેકર એપમાં 100 ટકા નોંધણી કરવા, ગુણવત્તાયુક્ત ભોજન પીરસવા માટે સીડીપીઓને સૂચના આપી

    1 week ago

    દાહોદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષસ્થાને સીડીપીઓ અને મુખ્ય સેવિકાઓની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ આંગણવાડી કેન્દ્રો પર આવતા નાના બાળકોને ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ ભોજન મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં 3 થી 5 વર્ષના બાળકોની 100 ટકા નોંધણી આગામી એક સપ્તાહમાં પૂર્ણ કરવા ખાસ તાકીદ કરી હતી. વહીવટી કામગીરી વધુ સુદ્રઢ બને તે હેતુથી, જિલ્લા વિકાસ અધિકારીએ તમામ સીડીપીઓ અને મુખ્ય સેવિકાઓને આંગણવાડી કેન્દ્રોની નિયમિત અને આકસ્મિક મુલાકાત લેવા પણ નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત, એવટી એપ્લિકેશનમાં નિર્ધારિત લક્ષ્યાંક મુજબ ડેટા એન્ટ્રી કરવા તથા દૈનિક આંગણવાડી કાર્યકર દ્વારા હેડ કાઉન્ટમાં ફોટોગ્રાફ્સ અપલોડ કરવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં પોષણ સંગમ એપ્લિકેશન અંગે ચર્ચા કરતા જણાવાયું હતું કે મેડિકલ ચેકઅપની 100 ટકા એન્ટ્રી 3 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. સુપોષિત દાહોદ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરીની પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો. સુધીર જોષીએ આંગણવાડીમાં બાળકોની નિયમિત હાજરી, પૌષ્ટિક આહાર, રમતગમત અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે બાળકોમાં કુપોષણ દૂર કરવાની કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને જો કામગીરીમાં ક્ષતિ જણાશે તો મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ મુજબ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ બેઠકમાં દાહોદ જિલ્લાના તમામ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીઓ તેમજ મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહી હતી. સમગ્ર બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દાહોદ જિલ્લાની આંગણવાડીઓને વધુ સક્રિય બનાવીને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો અને કુપોષણ મુક્ત દાહોદનું સ્વપ્ન સાકાર કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 4 જૂને ખગોળીય ઘટના જોવા મળશે:બપોરે 12.48 વાગ્યે પડછાયો અદૃશ્ય થશે, ઘટનાનું પ્રત્યક્ષ નિદર્શન પ્રદર્શન મેદાનમાં યોજાશે
    Next Article
    પંચમહાલ DRDAના 192 કર્મચારીઓ 6 મહિનાથી પગારવિહોણા:પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની, ઉચ્ચ સ્તરે રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment