Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના રણમાંથી સંશોધકોને પ્રાચીન વસાહત મળી:100થી વધુ માનવ હાડપિંજરો, માટીના વાસણો, તાંબાના સિક્કા, બાંધકામના અવશેષો પ્રાપ્ત થયા

    22 hours ago

    પાકિસ્તાન સરહદ નજીક કચ્છના રણમાં કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધન દરમિયાન ગઈકાલે સંશોધકોને એક જ દિશામાં દફનાવાયેલા 100થી વધુ માનવ હાડપિંજરો મળ્યા છે. આ ઉપરાંત, ટેરાકોટાની વસ્તુઓ, માટીના વાસણો, દીવા, તાંબાના સિક્કા, રમકડાં અને બાંધકામના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. સંશોધકોનું માનવું છે કે, આ અવશેષોની વિવિધતા દર્શાવે છે કે આ સ્થળ માત્ર સામાન્ય રહેણાક વિસ્તાર નહોતું, પરંતુ એક વિકસિત અને સમૃદ્ધ માનવ વસાહત હોઈ શકે છે. આ સ્થળને કામચલાઉ રીતે 'બરબાદપુર' નામ આપવામાં આવ્યું છે. સ્થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાયું કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગના ઇન્ચાર્જ ડૉ. ગૌરવ ચૌહાણની ટીમે આ સ્થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કર્યું છે. સંશોધકોનું અનુમાન છે કે, પ્રાચીન સમયમાં આ વિસ્તાર નદીકાંઠાની વસાહત તરીકે વિકસ્યો હશે. સિંધુ નદીના જૂના વહેણ સાથે આ વિસ્તારના સંભવિત સંબંધ અંગે પણ સંશોધન ચાલી રહ્યું છે. નદીના પ્રવાહમાં થયેલા ફેરફારોથી અવશેષો સપાટી પર આવ્યાની શક્યતા આ સ્થળની પ્રાથમિક જાણકારી સૌથી પહેલા વર્ષ 2024માં BSFના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. ત્યારબાદ સંશોધકોએ સ્થળની મુલાકાત લઈ પુરાતત્વીય પુરાવાઓનું દસ્તાવેજીકરણ કર્યું. 1819ના કચ્છના વિનાશક ભૂકંપ બાદ નદીના પ્રવાહમાં થયેલા સંભવિત ફેરફારોને કારણે જમીન નીચે દટાયેલા અવશેષો સમયાંતરે સપાટી પર આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સ્થળ આશરે 1000થી 1500 વર્ષ જૂનું હોઈ શકે પ્રાથમિક અનુમાન મુજબ, આ સ્થળ આશરે 1000થી 1500 વર્ષ જૂનું હોઈ શકે છે. જોકે, તેની ચોક્કસ ઉંમર વૈજ્ઞાનિક પરીક્ષણો બાદ જ નક્કી થશે. સત્ય સામે લાવવા માટે હવે માનવ અવશેષો અને પુરાતત્વીય સામગ્રીનું કાર્બન ડેટિંગ, DNA વિશ્લેષણ અને અન્ય આધુનિક પદ્ધતિઓ દ્વારા પરીક્ષણ કરાશે. ઓક્સફર્ડ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ, ISRO અને PRL જેવી સંસ્થાઓના સહયોગથી આ સંશોધનને આગળ વધારાશે. આગામી તબક્કાનું વિસ્તૃત ઉત્ખનન ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની મંજૂરી મળ્યા બાદ હાથ ધરાશે. સંશોધન બાદ કચ્છના પ્રાચીન માનવ વસવાટ, નદીના બદલાયેલા પ્રવાહ અને પ્રદેશના સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસ અંગે નવી કડીઓ મળી શકે છે. રણની ધરતી નીચે છુપાયેલું આ રહસ્ય હવે વૈજ્ઞાનિક તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યું છે. .
    Click here to Read More
    Previous Article
    દરિયાપુર પોલીસના બંદોબસ્ત સાથે મનપસંદ જીમખાનાને સિલ કરાયું:રહેણાક મકાનને કોમર્શિયલ તરીકે ઉપયોગમાં લેવાતું હતું, SMCની રેડમાં 187 જુગારીઓ ઝડપાયા'તા
    Next Article
    "Dengue-fied And Hospitalised": Swara Bhasker Posts Health Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment