Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જેતપરમાં વીજપોલની કામગીરી પર બ્રેક નહીં!:આમરણાંત ઉપવાસના 10મા દિવસે ખેડૂતે ઉપવાસી નેહુલ અમૃતિયાના ખેતરમાં વીડિયો ઉતાર્યો, આંદોલનના વ્હોટ્સએપ ગ્રુપમાં વાઈરલ કર્યો

    12 hours ago

    મોરબીના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની પાસેથી પ્રતિ પોલ દીઠ પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 11મા દિવસે પણ યથાવત રહ્યું છે. ગત 18 જૂનથી શરૂ થયેલા આ આંદોલન વચ્ચે તંત્ર અને ખેડૂતો વચ્ચેનો ગજગ્રાહ વધુ ઘેરો બન્યો છે. ત્યારે ગઈકાલે 27 જૂને આંદોલનના 10મા દિવસે વીજ કંપની દ્વારા વીજપોલની કામગીરી ચાલતી હોવાના આરોપ લગાવતો એક વીડિયો આંદોલનના વ્હોટ્સએપ ગ્રુપમાં ખેડૂતે મૂક્યો છે. જેમાં ઉપવાસી નેહુલ અમૃતિયાના ખેતરમાં કામગીરી ચાલતી હોવાનો આરોપ લગાવાયો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક જાહેર કાર્યક્રમમાં કૃષિમંત્રીએ ખાનગી વીજ કંપનીઓને કામ બંધ કરવા સૂચના આપી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે. જેતપર ગામમાં જ્યાં આંદોલન ચાલી રહ્યું છે, ત્યાં જ ઉપવાસી ખેડૂતના ખેતરમાં અત્યારે પણ વીજ પોલ ઊભા કરવાની કામગીરી ધમધમી રહી છે. ખેડૂતો લેખિત આમંત્રણની માગ પર અડગ આંદોલન દરમિયાન અત્યાર સુધીમાં સરકાર તરફથી ખેડૂતોને મંત્રણા કરવા માટે 2થી 3 વખત મૌખિક આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, ઉપવાસી છાવણી ખાતે બેઠેલા ખેડૂતો અને તેમની કમિટીએ આ મૌખિક પ્રસ્તાવો ફગાવી દીધા છે. ખેડૂતોએ અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી મુખ્યમંત્રી તરફથી લેખિતમાં મંત્રણા માટેનું આમંત્રણ નહીં મળે, ત્યાં સુધી તેઓ વાટાઘાટો માટે જશે નહીં. મંત્રીની સૂચના ઘોળીને પી જતી વીજ કંપનીઓ? આંદોલનના 11મા દિવસે એક ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. આમરણાંત ઉપવાસ પર બેઠેલા નેહુલ અમૃતિયાના જ ખેતરમાં ખાનગી વીજ કંપની દ્વારા પોલ ઊભા કરવાનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે. કૃષિમંત્રીએ અગાઉ જાહેર મંચ પરથી વીજ કંપનીઓનું કામ બંધ કરાવવાની વાત કહી હતી, પરંતુ જમીની હકીકત એ છે કે આજની તારીખે પણ કંપનીઓ બેરોકટોક કામ કરી રહી છે. આંદોલન વચ્ચે કામગીરી ચાલુ રહેતા સવાલ એક તરફ ન્યાયની અપેક્ષા સાથે ખેડૂતો આકરા આંદોલન પર બેઠા છે, તો બીજી તરફ કૃષિમંત્રીની સૂચના છતાં કંપનીઓ કામ ચાલુ રાખતી હોવાથી વહીવટી તંત્રની પકડ સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. વીજ કંપનીઓ મંત્રીના આદેશને પણ ગણકારતી ન હોય તેવો ઘાટ સર્જાયો છે, જેના કારણે આ આંદોલનનો અંત ક્યારે આવશે અને ખેડૂતોને ક્યારે ન્યાય મળશે તે કહેવું મુશ્કેલ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળામાં પ્રથમવાર યોજાયો 'યુવા શક્તિ સંગમ':સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, "હવે યુવતીઓ પણ બીયર અને ઈ-સિગારેટને રવાડે ચડી, આ ચિંતાજનક બાબત"
    Next Article
    અમરેલીમાં સિંહો બાદ દીપડાની દહેશત:જાફરાબાદના ધોળાદ્રી ગામમાં વીજળિક વેગે શ્વાનનો શિકાર; ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment