Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવરાજ પાર્કનાં નંદનહિલ્સ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભીષણ આગ:ધુમાડામા ફસાયેલા 10થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું, ચિમની સળગતા આગ મકાનમાં પ્રસરી

    2 days ago

    રાજકોટમાં આજે સવારના સમયે આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં શહેરના વોર્ડ નંબર 11માં આવેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં નચીકેતા સ્કૂલની બાજુમાં સ્થિત નંદન હિલ્સ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને આ અંગેની જાણ થતા જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. અને આગને કારણે ધુમાડામાં ફંસાયેલા 10થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું. ચિમની સળગતા આગ જોતજોતામાં સંપૂર્ણ મકાનમાં પ્રસરી પ્રાપ્ત વિગતો મુજબ, જીવરાજ પાર્કમાં આવેલા નંદન હિલ્સ એપાર્ટમેન્ટના બ્લોક નં. 201 માં રહેતા જ્યાબેન મોહનભાઈ મોનપરાના મકાનમાં સવારના સમયે રસોઈ કામ ચાલુ હતું ત્યારે ચિમનીમાં આગ લાગી હતી. મકાન માલિકના જણાવ્યા અનુસાર, રસોઈ દરમિયાન ચિમની સળગતા આગ જોતજોતામાં સંપૂર્ણ મકાનમાં પ્રસરી ગઈ હતી. આગમાં મકાનમાં રહેલા ટીવી, ફ્રીજ, સોફા, ચિમની તેમજ અન્ય ફર્નિચર સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. 10થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયું ફાયર વિભાગના જયપાલસિંહે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આગને કારણે સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો અને હીટનું પ્રમાણ વધી જતા ઉપરના માળે રહેતા રહીશો પણ ફસાઈ ગયા હતા. અને ધુમાડાનાં કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી. જોકે નાનામૌવા ફાયર સ્ટેશનથી આવેલી ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ઉપરના ફ્લોર પર ફસાયેલા આશરે 10થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. જોકે સોફાસેટ સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયેલા લોકોની યાદી 40 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો ફાયર વિભાગે આ કામગીરીમાં બે ગાડીઓની મદદથી સતત 30થી 40 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ ઘટના સમયે સ્થળ પર મકાન માલિક કાજલબેન સંતપરીયા અને જાણ કરનાર મનીષભાઈ ઉંજીયા હાજર રહ્યા હતા. સાથે-સાથે રાજકોટ તાલુકા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં જાહેરમાં જજ અને વકીલ બાખડ્યા:કોર્ટ સંકુલમાં વિજય સરઘસમાં ઘોંઘાટ થતાં જજ દોડી આવ્યા, વકીલે કહ્યું- 'મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો...'
    Next Article
    8 PM Gujarati News LIVE | 8 વાગ્યાના યુદ્ધ સહિતના તમામ મહત્વના સમાચાર | Fuel Shortage | Petrol pumps

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment