Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાપાન ડૂબ્યું, એશિયન ગેમ્સના 10 દિવસ પહેલાં પૂર:પાણી-પાણી થયું નાગોયા; બસ-મેટ્રો અટકી, રસ્તાઓ બંધ, 400 ખેલાડીઓને બચાવાયા; ભારતીયટીમ્સ રવાના થવાની તૈયારીમાં

    6 hours ago

    એશિયન ગેમ્સની શરૂઆતથી 10 દિવસ પહેલા જાપાનના નાગોયામાં પૂર આવ્યું. પરિસ્થિતિ એવી બની કે એશિયન ગેમ્સમાં ભાગ લેવા આવેલા 400 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. પૂરમાં નાગોયા શહેરના રસ્તાઓ અને ઘરો ડૂબી ગયા. મેયર ઇચિરો હિરોસાવાએ દાવો કર્યો કે એશિયન ગેમ્સ માટે કોઈ ચિંતાની વાત નથી. ટૂર્નામેન્ટનું આયોજન નિર્ધારિત સમયે થશે. નાગોયામાં 19 સપ્ટેમ્બરે એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમની યોજાવાની છે. નાગોયા પૂરની 3 તસવીરો… 3500 લોકોએ ઇમરજન્સી શેલ્ટરમાં આશ્રય લીધો બસ અને મેટ્રો સેવાઓ થોડા સમય માટે પ્રભાવિત રહી. લગભગ 3,500 લોકોએ ઇમરજન્સી શેલ્ટરમાં આશ્રય લીધો. નાગોયા અને ઇચીમાં એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી યોજાવાની છે. રિપોર્ટ- વેન્યુમાં કેટલીક જગ્યાએ છત પરથી પાણી ટપકી રહ્યું છે જાપાની મીડિયામાં શહેરના રસ્તાઓ અને મેટ્રો સ્ટેશનોમાં ભરાયેલા પાણીની તસવીરો બતાવવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી APના રિપોર્ટ અનુસાર, વેન્યુની કેટલીક જગ્યાએ છત પરથી પાણી ટપકવાની ઘટનાઓ પણ બની હતી. જોકે, મેયર હિરોસાવાએ કહ્યું કે એશિયન ગેમ્સના ડઝનબંધ વેન્યુને ગંભીર નુકસાન થયું નથી. ભારત ગેમ્સમાં 768 સભ્યોનું દળ મોકલી રહ્યું છે રમતગમત મંત્રાલયે જાપાનના આઈચી અને નાગોયામાં યોજાનારી 20મી એશિયન ગેમ્સ માટે 503 ખેલાડીઓ અને 255 સપોર્ટ સ્ટાફ મોકલવાની જાણકારી આપી છે. સપોર્ટ સ્ટાફમાં કોચ, મેનેજર, ફિઝિયો અને મેડિકલ ટીમ વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ 19 સપ્ટેમ્બરે રવાના થશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે એશિયન ગેમ્સ માટે ટીમ જાહેર કરી દીધી છે. શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી ટીમમાં યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે સાનો માટે રવાના થશે. તેના બીજા દિવસે ટીમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. મહિલા ક્રિકેટ ટીમ પહેલા પહોંચશે હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દુબઈમાં એશિયા કપ રમ્યા બાદ 13 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે અને 14 સપ્ટેમ્બરે નાગોયા માટે રવાના થશે. મહિલા ટીમ એશિયન ગેમ્સમાં સીધા ક્વાર્ટર ફાઇનલથી અભિયાન શરૂ કરશે. તેનો પ્રથમ મુકાબલો 18 સપ્ટેમ્બરે થશે. મહિલાઓની આ ટુર્નામેન્ટ 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગેમ્સમાં રહેવાની વ્યવસ્થા પર પણ વિવાદ હતો આ પહેલા સમાચાર આવ્યા હતા કે BCCI અને PCB ગેમ્સના આયોજકોથી નારાજ છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે ખેલાડીઓને સ્ટેડિયમથી 20 કિમી દૂર નાના હોટલ રૂમમાં રોકવામાં આવ્યા છે, જ્યાં બેગ ખોલવા જેટલી પણ જગ્યા નથી. જ્યારે ડ્રેસિંગ રૂમ પાકા મકાનની જગ્યાએ ટેન્ટમાં બનેલા છે અને વોશરૂમ 500 મીટર દૂર છે. આના પર JCAના CEO નાઓકી એલેક્સ મિયાજીએ કહ્યું હતું- 'અમે ક્રિકેટ ટીમને હોટલનો વિકલ્પ આપ્યો છે. જ્યારે અન્ય ઘણી રમતોના ખેલાડીઓ માટે ક્રુઝ શિપ અથવા કન્ટેનર હોટલ જેવી મર્યાદિત સુવિધાઓ છે.’ તેમણે કહ્યું…
    Click here to Read More
    Previous Article
    Saharanpur Masjid Demolition पर भड़कीं Youtuber Huda Zariwala CM Yogi और DM पर क्या बोली?जाना पड़ा जेल
    Next Article
    27મીથી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા:પ્રથમ વખત ઓનલાઈન ટિકિટિંગ શરૂ થશે, થનારી આવક નાટ્ય સંસ્થાઓને અપાશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment