Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વાવાઝોડાથી 10 તાલુકામાં પાકને નુકસાન,એક મોત‎

    1 week ago

    ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર સવારે સાડા 4 કલાકની આસપાસ અચાનક પ્રતિ કલાકે 18 થી 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થયું. પવન સાથે ધૂળ ભળતાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભર ઊંઘમાં લોકો હતા અને અચાનક બારી-બારણાં અને ઘરની અંદરની ચીજવસ્તુઓ ખખડવાના અવાજે ભયનો માહોલ સર્જ્યો હતો. લગભગ દોઢથી બે કલાક સુધી આ સ્થિતિ રહ્યા બાદ સ્થિતિ સામાન્ય થઇ હતી. આ દરમિયાન બહુચરાજી નજીક હાંસલપુર ગામે કાચા મકાન પર પતરાં અને ઇંગલો પડતાં 65 વર્ષિય લીલાબેન ઠાકોરનું મોત થયું હતું, જ્યારે તેમના પતિ રામજીજી ઠાકોર ગંભીર રીતે ઇજા થઇ હતી. પાટણ જિલ્લામાં સંખારી, અબિયાણા, સમીના બે ગામોમાં અંદાજે 30 થી વધુ કાચા મકાનોના પતરાં કે છત તૂટીને ઉડી ગયા હતા. ભારે પવન ફૂંકાતાં ખેતરોમાં ઉભા એરંડા અને ઘઉંના પાકો પડી જવા સાથે કેટલાક ખેતરોમાં ઘઉંની લણણી કરીને ઢાંકીને મૂકી હોવા છતાં ઉડી જતા તેમજ ઘઉં ખરાબ થતા નુકસાન થયું હતું. તંત્ર દ્વારા ગ્રામ્ય સ્તરે વાવાઝોડાંની અસર અને નુકસાનીનો અંદાજ મેળવવા તલાટીઓ મારફતે રિપોર્ટ માંગતા સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી ફરી 15 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુાટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે દિવસ-રાતના તાપમાનમાં વધુ 2-3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. પતરા ઊડતાં જીવ બચાવવા ઘરના ખૂણામાં ભરાઈ રહેવું પડ્યું સાંતલપુરના અબિયાણા ગામના ચૌહાણ કુબેરે ધ્રૂજતા અવાજે જણાવ્યું કે, વહેલી સવારે પવન એટલો તેજ હતો કે પવનથી ઊંઘ પતરાં કાગળની જેમ ઉડવા લાગ્યા. ઊંઘ ઉડતા જ અમે જીવ બચાવવા ઘરના એક ખૂણે ભેગા થઈ બેસી રહ્યા હતા. બાજુમાં પરિવારોના છાપરાં ઊડતાં જોઈ લાગતું હતું કે માથે આવે નહીં. હાલ ખુલી આભ થઈ જતા કાળઝાળ ગરમી અને આગામી વરસાદના ભય વચ્ચે ઘરમાં હોવા છતાં છત વગર સૌ નોંધારા બન્યા છીએ. લાલપુરમાં પતરાં ઊડતાં કાટમાળ માથે પડતા મહિલાને ઇજા લાલપુર ગામમાં સવારે વાવાઝોડા દરમિયાન 5 જેટલા ઘરોના પતરા ઉડ્યા હતા. જેમાં ઠાકોર વાસમાં ઠાકોર જકશીબેન રાયચંદભાઈના ઘરના પતરા ઉડતા ઉપર રહેલ ઇંટ અને નેવા જેવો કાટમાળ માથે પડતા પગ અને માથાના ભાગ સામાન્ય ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત થતા સારવાર લેવાની ફરજ પડી હતી. જિલ્લામાં વાવાઝોડાથી થયેલ નુકસાન વરસાદની સ્થિતિ (મીમીમાં)
    Click here to Read More
    Previous Article
    આભમાંથી ઉતરી આફત:60 કિમીની ગતિએ ફૂંકાયેલા પવને 146 ગામને 30 મિનિટ સુધી ધમરોળ્યું‎
    Next Article
    હિંસક જૂથ અથડામણ સર્જાઈ:કુકરવાડામાં અદાવતમાં બે જૂથો બાખડ્યા, પાંચને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment