Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 10નાં મોત:30થી વધુ મજૂરો દાઝ્યા, 12ની હાલત ગંભીર; પરિવારજનોએ હોબાળો કર્યો

    5 days ago

    છત્તીસગઢના સક્તી જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે બોઈલર ફાટ્યું. આ દુર્ઘટનામાં 4 મજૂરોના મોત થયા છે. એસપી પ્રફુલ્લ ઠાકુરે તેની પુષ્ટિ કરી છે. જ્યારે 30 થી 40 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા છે. 18 ઘાયલોને રાયગઢની જિંદલ ફોર્ટિસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જ્યાં 6 મજૂરોના મોત થયા હોવાના સમાચાર છે. આ ઘટના ડભરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મળતી માહિતી મુજબ, સિંઘીતરાઈ સ્થિત વેદાંતા પાવર પ્લાન્ટમાં દરરોજની જેમ સામાન્ય કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક બપોરે લગભગ 2 વાગ્યે બોઈલર ફાટ્યું. ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટ્યુબ ફાટવાને કારણે આ દુર્ઘટના બની છે. 11 ઘાયલોને ખરસિયાની પદ્માવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્લાન્ટની બહાર મજૂરોના પરિવારજનો હોબાળો કરી રહ્યા છે. તેઓ ઘાયલોને મળવા દેવાની માગ કરી રહ્યા છે. ઘટનાસ્થળે એડિશનલ એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ બળ હાજર છે. સક્તી કલેક્ટર અમૃત વિકાસ તોપનો પણ પ્લાન્ટ પહોંચી ગયા છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે X પર લખ્યું - પીડિતો માટે યોગ્ય વળતર અને ઘાયલોની સારવારની વ્યવસ્થા કરવામાં આવે. ઘટના સંબંધિત તસવીરો જુઓ જિંદલ હોસ્પિટલમાં 6 ઈજાગ્રસ્તોના મોતના સમાચાર જિંદલ હોસ્પિટલમાં 18 માંથી 6 ઈજાગ્રસ્તોના મોતના સમાચાર મળી રહ્યા છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. 18 ઈજાગ્રસ્તોને જિંદલ ફોર્ટિસ હોસ્પિટલ લાવવામાં આવ્યા. બોઈલરમાં બ્લાસ્ટ સમયનો વીડિયો પણ સામે આવ્યો અકસ્માતમાં 4 મજૂરોના મોત, SP પ્રફુલ્લ ઠાકુરે પુષ્ટિ કરી સક્તિમાં પ્લાન્ટની બહાર પરિજનોએ હંગામો મચાવ્યો
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે CSK vs KKR:કોલકાતાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, ટીમમાં ચક્રવર્તી પરત ફર્યો; ધોની આજે પણ રમી રહ્યો નથી
    Next Article
    300 સીટ પર ભાજપનો વિજય:સંઘવી:'ગુજરાતીઓને ક્યારેય ગાળો ન આપે એવો કોંગ્રેસનો હિસાબ કરી નાંખો', અમિત ચાવડાએ કહ્યું-ભાજપના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment