Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર પર આવતા પ્રવાસીઓના પાણી માટે વલખા:10 હજાર પગથિયા પર એક જ જગ્યાએ પાણીની વ્યવસ્થા, પ્લાસ્ટિક બોટલ લઈ જવા પર પ્રતિબંધ

    2 days ago

    જૂનાગઢમાં આગઝરતી ગરમી વચ્ચે હાલ ગિરનાર ચડવા આવતા પ્રવાસીઓએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પ્લાસ્ટિક બોટલ લઈ જવા પર પ્રતિબંધ હોવાના કારણે પ્રવાસીઓને નીચે જ પાણીની બોટલ મૂકાવી દેવામાં આવે છે. પર્વત પર રસ્તામાં ઈકો ફ્રેન્ડલી બોટલમાં પાણી મળે છે પરંતુ, તે ઊંચા ભાવે અને ભેળસેળ વાળું મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. ભાસ્કરે ગિરનાર ચડવા આવતા પ્રવાસીઓ સાથે વાતચીત કરી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે ગિરનાર સીડીઓ પર પહોંચી ત્યારે ધોમધખતા તાપમાં ગિરનારની સીડીઓ જાણે આગ ઓકતી હોય તેવો અનુભવ થયો. માત્ર 25 થી 30 સીડીઓ ચડતા જ સામાન્ય માણસનો શ્વાસ ફૂલી જાય તેવી કાળઝાળ ગરમીમાં, નાના બાળકો સાથે આવતા પરિવારો જ્યારે 5,000 થી 10,000 પગથિયાં ચડતા દેખાયા,ત્યારે પાણી વિના તેમની હાલત કેવી થતી હશે તેનો અંદાજ તંત્રને નથી. પ્રશાસન દ્વારા પાણી કે શૌચાલયની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. અંબાજી મંદિર નજીકનું શૌચાલય ખંઢેર હાલતમાં છે, જ્યારે રસ્તામાં દુકાનોમાં પાણીની બોટલો 50 રૂપિયામાં વેચાય છે. પ્રવાસીઓના આક્ષેપ મુજબ, ઘણી બોટલો સીલ મારેલી હોતી નથી અને તેમાં લોકલ પાણી ભરીને પધરાવી દેવામાં આવે છે. પાણીની એક બોટલના 50 રૂપિયા વસૂલવામાં આવે છે- પ્રવીણભાઈ ​મુંદ્રાથી આવેલા પ્રવીણભાઈ જણાવ્યું હતું કે, અહીં ગિરનાર પર પાણીની બહુ તકલીફ છે. છોકરાવાળા અને બીજા માણસો જે આવે છે તેમને પાણી માટે વલખા મારવા પડે છે. અમને તો અહીં એવો અનુભવ થયો કે બીજી વાર અહીંયા આવી જ ન શકીએ. એક બોટલ પચાસ રૂપિયાની મળે છે. નવાઈની વાત એ છે કે અમે નીચેથી પાણીની બોટલ લાવ્યા હોઈએ તો સિક્યુરિટી તે લઈ લે છે. જો સુવિધા હોય તો પ્રવાસી બીજી વાર આવે, બાકી હવે તો આ અમારી છેલ્લી મુલાકાત છે. બોટલમાં રો વોટર ભરીને વેચી દેવામાં આવે છે- સુરભીબેન ​મુંબઈના સુરભીબેને વ્યક્ત વ્યથા કરતા જણાવ્યું કે અહીં ગિરનાર પર પાણીની સખત સમસ્યા છે. મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે પાણીની બોટલ 50 રૂપિયામાં મળે છે અને તે પણ સીલ પેક હોતી નથી. તેમાં લોકલ પાણી ભરેલું હોય છે. ગિરનારના પગથિયે બેઠેલા સિક્યુરિટી ગાર્ડ કહે છે કે તમારી બોટલ નીચે જ મૂકી દો, પણ ઉપર જે વેચાય છે તે પણ પ્લાસ્ટિકની જ બોટલો છે.ભવનાથ તળેટીમાં વેંચાતી પાણીની બોટલ ઉપર લઈ જવા દેતા નથી અને ઉપર સીલ વગરની બોટલો મોંઘા ભાવે વેચાય છે. આવા તાપમાં બાળકો માટે પણ પાણી લાવવા દેતા નથી, જો આવું જ રહ્યું તો લોકો ગિરનાર આવવાનું બંધ કરી દેશે. પીવાના પાણી અને શૌચાલયની સુવિધાના અભાવથી પ્રવાસીઓ પરેશાન ​મહારાષ્ટ્રના લાતુરથી આવેલા બાલાજી પાટીલે જણાવ્યું કે, પીવાના પાણીની સમસ્યા સાથે પર્વતના પગથિયાં પણ વ્યવસ્થિત નથી, જેનાથી ચાલવામાં તકલીફ પડે છે. શૌચાલયની પૂરતી વ્યવસ્થા નથી. કાળઝાળ ગરમીમાં છાંયડા વગર ચાલવું પડે છે. આ કોઈ સરકારને બદનામ કરવાની વાત નથી, પણ તંત્રએ પોતાની જવાબદારી સમજવી જોઈએ. જો પરિસ્થિતિ આવી જ રહી તો ગરમીના કારણે લોકોના જીવ જવાનું પણ જોખમ છે. તંત્રએ તાત્કાલિક પાણી, શૌચાલય અને છાંયડાની વ્યવસ્થા કરવી જોઈએ. "સરકાર કરોડોની ગ્રાન્ટ આપે છે પણ સ્થાનિક તંત્ર ગંભીર નથી" ​મહારાષ્ટ્રના મહેશ ફિશકે એ જણાવ્યું કે અમે પરિવાર સાથે દત્ત પ્રભુના દર્શન કરવા આવ્યા હતા, પણ અહીં પાયાની સુવિધાઓનો અભાવ જોઈ આઘાત લાગ્યો. મહિલાઓ માટે શૌચાલયની વ્યવસ્થા ન હોવી એ ગંભીર બાબત છે. અત્યારે જે પાણી મળે છે તે પણ મંદિર દ્વારા અપાય છે, પ્રશાસન તરફથી કોઈ મદદ નથી. સરકાર કરોડોની ગ્રાન્ટ આપે છે પણ સ્થાનિક તંત્ર ગંભીર નથી. જો સુધારો નહીં થાય તો શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઘટી જશે. ​મહારાષ્ટ્રના ગૌતમભાઈએ તંત્રની નિષ્ક્રિયતા અંગે જણાવ્યું કે, મારો આજનો અનુભવ ખૂબ પરેશાનીવાળો રહ્યો. પાણી માટે લોકો તડપે છે અને એક બોટલના 50 થી 100 રૂપિયા લેવાય છે. મંદિર પાસે પૂજારીઓ બેસવા નથી દેતા અને કહે છે કે ઘરે મંદિર બાંધી લો. ચોટીલા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી છાંયડાની વ્યવસ્થા અહીં પણ હોવી જોઈએ. અહીં તંત્ર દ્વારા કોઈ જ સગવડ આપવામાં આવતી નથી. તંત્રએ પાણી પહોંચાડવાના દાવા કર્યા પણ કાગળ પર થોડા સમય પહેલા તંત્રએ જાહેરાત કરી હતી કે, 83 કરોડના ખર્ચે હસનાપુર ડેમનું પાણી ફ્લોટિંગ પંપ દ્વારા અંબાજી સુધી પહોંચાડવામાં આવશે. પરંતુ આ કામ ક્યારે શરૂ થશે તેની કોઈ સત્તાવાર માહિતી નથી. હાલના સમયમાં પ્રવાસીઓ માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા નથી. અંબાજી મંદિર પાસે રોપ-વે દ્વારા એક કુલર મુકાયું છે અને દત્તાત્રેય માર્ગ પર મંદિર દ્વારા એક વ્યવસ્થા છે, જે અપૂરતી છે. જૂનાગઢનું વહીવટી તંત્ર સુવિધાઓ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જો આ જ સ્થિતિ રહી, તો ગિરનાર આવતા પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. શ્રદ્ધાળુઓ હવે પાણી અને શૌચાલય જેવી પાયાની જરૂરિયાતો માટે સરકાર અને તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. પ્રવાસીઓને પડતી તકલીફોને લઈ અમે કલેકટર, મનપા અને વનવિભાગના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, થઈ શક્યો ન હતો.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરનો યુવક 'મોયા મોયા' બીમારીનો શિકાર બન્યો:લાખોનો ખર્ચ, આઠ વર્ષ પથારીવશ રહ્યો; આયુર્વેદિક સારવારથી 35 દિવસમાં ચાલતો થયાનો દાવો
    Next Article
    ટ્રેનમાં બેસીને જમતા હોય તેવી ફીલિંગ આવશે:ગોપીનાળા નજીક રેસ્ટોરન્ટ ઓન વ્હીલ, બે મહિના પછી 24 ક્લાક ગુજરાતી, પંજાબી ને ચાઈનીઝ વાનગી મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment