Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુકાનીધારી તસ્કરોએ અમરેલીના જુના વાઘણીયા ગામને નિશાન બનાવ્યું:10થી વધુ મકાનો, દુકાનો, મંદિરમાં તાળા તૂટ્યા; બગસરા પોલીસ કામગીરી સામે રોષ

    17 hours ago

    અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામમાં તસ્કરોએ એક જ રાતમાં 10થી વધુ સ્થળોને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ દુકાનો, રહેણાંક મકાનો અને રામજી મંદિર સહિતના સ્થળોએ તાળા તોડ્યા હતા, જેના કારણે ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ ઘટના બગસરા પંથકમાં પોલીસની નિષ્ક્રિયતા અને નાઈટ પેટ્રોલિંગના અભાવને કારણે બની હોવાનું મનાય છે. બુકાનીધારી તસ્કરો ગામની બજારમાં ફરતા હોવાના દૃશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસ આ ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. ધારીના ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, જુના વાઘણીયા ગામમાં બેથી ત્રણ જગ્યાએ ચોરી થઈ છે, જ્યારે અન્ય સ્થળોએ માત્ર તાળા તૂટ્યા છે. આશરે 4 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનો અંદાજ છે. આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. પોલીસ પેટ્રોલિંગના અભાવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ચોરીના બનાવો વધી રહ્યા હોવાથી લોકોમાં નારાજગી વ્યાપી છે. સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને વર્તમાન PIની બદલી કરી કડક અધિકારીની નિમણૂક કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    134 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના વાંસદામાં 5 ઇંચ:માંગરોળ-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, દરિયામાં કરંટ; સુરતમાં પાણી ભારાયા
    Next Article
    લોકમેળાનું ઇન્ડિયન નેવીના બેન્ડથી ઓપનિંગ:રાજકોટમાં જન્માષ્ટમીના મેળામાં 5 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો : 15 લાખ લોકોની સુરક્ષા માટે 5 એમ્બ્યુલન્સ, 3 ફાયર ફાઇટર તૈનાત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment