Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીનો વોટ્સએપમાં છેલ્લો મેસેજ 'હું મરી જઈશ':પ્રેમીએ કહ્યું- 'મરવાનું તો તારે જ છે, આજે મરે કે કાલે, હું તો 10-20 રૂપિયા આપી છૂટી જઈશ'; સુરતમાં પરિણીતાનો આપઘાત

    6 days ago

    સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ વતનમાં રહેતા પ્રેમીના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આરોપી યુવક પરિણીતાને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ કરવાની ધમકી આપી મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. લગ્નજીનવમાં ત્રીજા વ્યક્તિના પ્રવેશથી ઘરકંકાસ મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અશ્વિનીકુમાર રોડ પરની પટેલનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રમોહન કુશવાહના લગ્ન મે, 2022માં આકાંક્ષા સાથે થયા હતા. લગ્ન બાદ થોડા જ સમયમાં નરેન્દ્રને જાણ થઈ હતી કે, તેની પત્નીને વતનમાં જ રાહુલ જીવનલાલ પરીહાર નામના યુવક સાથે પ્રેમસંબંધ છે. આ બાબતે પરિવારમાં સમજાવટ બાદ આકાંક્ષાએ રાહુલ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને દંપતી સુરત આવી શાંતિથી રહેતું હતું. પતિ નોકરી જતાં જ પરિણીતાએ આપઘાત કર્યો ફરિયાદમાં જણાવ્યા મુજબ, જાન્યુઆરી 2026માં આકાંક્ષા પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો, જે રાહુલે તેને જબરજસ્તીથી આપ્યો હતો. આકાંક્ષાએ તે સમયે ફોન તોડી નાખી રાહુલ સાથે કોઈ સંબંધ ન હોવાની ખાતરી આપી હતી. જોકે, ગત 14 માર્ચના રોજ નરેન્દ્ર કામે ગયો હતો, ત્યારે આકાંક્ષાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. વોટ્સએપ ચેટમાં ધમકીઓના પુરાવા મળ્યા ઘટના બાદ પોલીસે આકાંક્ષાનો મોબાઈલ ચેક કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપી રાહુલ પરીહાર સાથેની વોટ્સએપ ચેટમાં જાણવા મળ્યું કે, રાહુલ આકાંક્ષાને વીડિયો કોલ કરી પરેશાન કરતો હતો. તેણીના ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કરવાની ધમકી આપી બદનામ કરવાની કોશિશ કરતો હતો. જ્યારે આકાંક્ષાએ મરી જવાની વાત કરી, ત્યારે રાહુલે મરવાનું તો તારે જ છે, આજે મર કે કાલે. હું 10-20 રૂપિયા આપીને છૂટી જઈ જેવા ઉદ્ધત મેસેજ કર્યા હતા. મૃતકના પતિએ આરોપી રાહુલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી પત્નીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી અને ફોટો વાઇરલ કરવાની ધમકી આપી મરવા મજબૂર કરનાર રાહુલ પરીહાર વિરૂદ્ધ મૃતકના પતિએ ફરિયાદ નોંધાવી છે. હાલ અશ્વિનીકુમાર પોલીસે આ મામલે ગુનો નોંધી રાહુલ જીવનલાલ પરીહાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઉત્તર પ્રદેશ રહેતો હોવાથી તેને પકડવા માટે ટીમ રવાના કરવામાં આવશે તે પ્રકારની હાલતો સ્થિતિ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના ધારાસભ્યએ વિધાનસભામાં કરી માંગણીઓ:આરોગ્ય અને માર્ગ-મકાન વિભાગ માટે સૂચનો રજૂ કર્યા, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓને ફાંસીની સજા આપવા કાયદો બનાવવાની માગ
    Next Article
    ચૂંટણી પૂર્વે કડવા પાટીદારોનું શક્તિ પ્રદર્શન:માઁ ઉમિયાની શોભાયાત્રામાં ટુ-વ્હીલર, કાર, બગી, જીપ્સી, ઘોડાગાડી સાથે 2000 લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment