Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગદીશ ત્રિવેદીએ અમેરિકા-કેનેડા પ્રવાસમાં 10 કરોડ એકત્ર કર્યા:ગુજરાતની સેવાભાવી સંસ્થાઓ માટે 18 કાર્યક્રમો દ્વારા દાન મેળવ્યું

    3 days ago

    હાસ્ય કલાકાર અને લેખક ડો. જગદીશ ત્રિવેદીએ અમેરિકા અને કેનેડાનો સવા બે મહિનાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ગુજરાતની વિવિધ સેવાભાવી સંસ્થાઓ માટે કુલ અઢાર કાર્યક્રમો યોજીને આશરે 9.84 કરોડ રૂપિયાનું દાન એકત્ર કર્યું હતું. ડો. ત્રિવેદી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મુની સેવા આશ્રમ-ગોરજની કૈલાસ કેન્સર હોસ્પિટલ અને વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર માટે સાત કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો ન્યુયોર્ક, સમરસેટ, વુરહીસ, સિનસિનાટી, ડીટ્રોઈટ, હ્યુસ્ટન અને સેન્ટ લુઈસમાં યોજાયા હતા, જેમાંથી કુલ 4.11 કરોડ રૂપિયા એકત્ર થયા. નવસારી પાસે આવેલા સુપા ગામની સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ માટે ડલ્લાસ, સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસમાં ચાર કાર્યક્રમો યોજાયા હતા, જેમાંથી કુલ 4.01 કરોડ રૂપિયાનું દાન મળ્યું. ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ માટે ન્યુ જર્સી, શિકાગો, વોશિંગ્ટન અને બાલ્ટીમોરમાં યોજાયેલા ચાર કાર્યક્રમોમાંથી કુલ 1.09 કરોડ રૂપિયા એકત્ર થયા. આ ત્રણેય સંસ્થાઓ વતી મુની સેવા આશ્રમના ચેરમેન ડો. વિક્રમ પટેલ, આંખની હોસ્પિટલના ચેરમેન ડો. ભાવિન પટેલ અને ટ્રસ્ટી ડો. ભાવિન ભુવા, તેમજ નિર્દોષાનંદજી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. નટુભાઈ રાજપરાએ હાજર રહી દાન સ્વીકાર્યું હતું. ભારતના દિવ્યાંગ લોકો માટે કાર્યરત સંસ્થા સમર્થનમ - અમેરિકા માટે સાન હોઝેમાં એક કાર્યક્રમ દ્વારા 26.60 લાખ રૂપિયા એકત્ર થયા હતા. સમર્થનમના ફાઉન્ડર ચેરમેન ડો. મહંતેશે આ ચેક સ્વીકાર્યો હતો. આ ઉપરાંત, ફ્રેસ્નો અને બેકર્સફીલ્ડમાં યોજાયેલા એક-એક કાર્યક્રમમાં અનુક્રમે 17.50 લાખ અને 19.50 લાખ રૂપિયાનું દાન એકત્ર થયું. આ રકમમાંથી રાજકોટની કર્મયોગ ટ્રસ્ટ સંચાલિત યુનાઈટેડ કેર હોસ્પિટલને 11 લાખ રૂપિયા અને અમદાવાદની ઉમંગ મૂકબધીર બાળકોની શાળા, વસ્ત્રાપુરને 11 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ગુજરાતની અન્ય પાંચ શાળાઓને પણ નાની-મોટી રકમનું દાન મળ્યું હતું. ડો. જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,"ગુજરાતની વિવિધ સંસ્થાઓ માટે કુલ 9.84 કરોડ રૂપિયાની સેવા કરવાનો તેમને અવસર મળ્યો તે મહાદેવની કૃપા છે." તેમણે વધુમાં જાહેરાત કરી હતી કે,"આગામી જુલાઈની 24, 25 અને 26 તારીખે તેઓ આફ્રિકાના કેન્યા દેશમાં ત્રણ કાર્યક્રમો કરશે. ત્યાં એકત્ર થનાર સંપૂર્ણ રકમ ગરીબ આફ્રિકન લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે દાનમાં આપવામાં આવશે."
    Click here to Read More
    Previous Article
    ઘોઘંબાના રિંછવાણી ગામે કિશોરને ઝેરી સાપે ડંખ માર્યો:ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
    Next Article
    કોર્પોરેશનના સિ્કયુરિટી ગાર્ડનો પગાર ન થતા પરેશાની:અડધો મહિનો વિતી ગયા બાદ પણ પગારથી વંચિત, એજન્સીએ કહ્યું- પાલિકાએ ચાર મહિનાથી પેમેન્ટ નથી કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment