Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામ નવમી:ગણેશોત્સવની જેમ રામ જન્મોત્સવ: 10 દિવસ 17 વિસ્તારમાં રામજીની મૂર્તિની સ્થાપના કરાશે

    1 week ago

    વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરમાં ગણેશોત્સવની જેમ જ રામ જન્મોત્સવ ઉજવવાની કવાયત હાથ ધરાઈ છે. આ અભિયાનનો પ્રારંભ સયાજીગંજ વિસ્તારથી કરાયો છે. જેમ ગણપતિની પ્રતિમાની 10 દિવસ માટે સ્થાપના કરાય છે, તેવી જ રીતે હવે ચૈત્રી નવરાત્રીથી રામનવમી સુધી ભગવાન રામચંદ્રજીની પ્રતિમાનું સ્થાપન કરાશે. પ્રારંભિક તબક્કે વિશ્વ હિન્દુ પરિષદના 17 પ્રખંડ અને ત્યારબાદ અન્ય પોળ, શેરી તથા સોસાયટીઓ સુધી આ આયોજન લઈ જવાશે. આ અભિયાનનો મુખ્ય આશય સામાન્ય લોકો ભગવાન રામચંદ્રના જીવનના સિદ્ધાંતો અને આદર્શો પોતાના જીવનમાં ઉતારે તેવો છે. હાલ શહેરના લલિતા ટાવર પાસે રામચંદ્રજીની 5.5 ફૂટની પ્રતિમાનું સ્થાપન કરાયું છે, રામનવમીએ અહીંથી શોભાયાત્રા નીકળશે. કિશનવાડી, જંબુ બેટ સહિત 3 વિસ્તારમાં 2 દિવસ ભગવાનની છબીનું સ્થાપન કરાશેે. શહેરમાં આઠમ અને નોમ ભેગા હોવાથી રામનવમી ગુરુવારે મનાવવામાં આવી છે. જોકે, ગુરુવારે બપોર પછી નવમી તિથિ બેસતી હોવાથી અયોધ્યામાં શુક્રવારે રામનવમીની ઉજવણી થશે. તે મુજબ સયાજીગંજ કાલાઘોડા રામ મંદિરે પણ કાર્યક્રમો શુક્રવારે જ રખાયા છે. કાલાઘોડા ખાતે 1008 લોકો મહાઆરતી કરશે સયાજીગંજ સ્થિત રામ મંદિર પાસે રામલીલાનું આયોજન કરનાર નોર્ધન કલ્ચર એસો. દ્વારા શુક્રવારે સાંજે 6:30થી 7 દરમિયાન મહાઆરતી થશેે. જેમાં 1008 લોકો એક સાથે હનુમાન ચાલીસાના પાઠ કરશે. અન્ય રામ મંદિરોને અયોધ્યાની પવિત્ર માટી અપાશે સયાજીગંજના રામ મંદિરમાં અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહની માટીનો કળશ પૂજન માટે રખાયો છે. આ કળશની માટીમાંથી નાના કળશ તૈયાર કરી અન્ય મંદિરોમાં મોકકલાશેે. > શૈલેષ શુક્લ, સંયોજક, ગુજરાત ક્ષેત્ર ધર્મ યાત્રા મહાસંઘ રામ જન્મોત્સવ સંઘર્ષ સમિતિ દ્વારા યાત્રા કઢાશે વડોદરા મહાનગર સહમંત્રી વિપુલ પઢીયારે જણાવ્યું હતું કે, શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળના બેનર હેઠળ શોભાયાત્રા કાઢવામાં આવશે નહીં. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું હોવાથી તમામ શોભાયાત્રાઓ રામ જન્મોત્સવ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ જ નીકળશે.
    Click here to Read More
    Previous Article
    દુર્ઘટના:ભાયલીમાં રોડ બેસી જતાં વકીલ સહિત 2 યુવકો બાઈક સાથે ખાડામાં ખાબક્યા
    Next Article
    ફરિયાદ:ડેટિંગ એપથી સજાતિય યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો, ફ્લેટ પર બોલાવી દાગીના પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment