Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ફૂડ વિભાગનું 10 દુકાનોમાં ચેકિંગ:અનલોગ ચીઝ-પનીર જપ્ત કરાયા, 15 કિલો વાસી ખાદ્યસામગ્રીનો નાશ

    5 days ago

    મોરબીમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત અનલોગ ચીઝ અને પનીરના ઉપયોગ સામે ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે. સનાળા રોડ પર આવેલી દસ જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પંદર કિલો વાસી ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે ખાસ કરીને પિઝા શોપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેમાં પાપા લુઈસ, રિયલ પેપરિકા અને લાપીનોઝ જેવી પિઝા શોપનો સમાવેશ થાય છે, જ્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ફ્રીજમાં સંગ્રહિત વાસી અને અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો, જે ગ્રાહકોને પીરસવામાં આવતો હોવાનું જણાયું હતું. આ વાસી ખાદ્યસામગ્રીનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો અને દુકાનદારોને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ ન કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મોરબીના અન્ય વિસ્તારોમાં પણ અનલોગ ચીઝ અને પનીરનો ઉપયોગ કરતી દુકાનોમાં સઘન તપાસ અભિયાન ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    બાલાસિનોરમાં ગેરકાયદેસર દબાણો સામે સતત બીજા દિવસે તંત્રની કાર્યવાહી:અમદાવાદ ઢાળથી ફગવા જકાતનાકા સુધી કાચા અને પાકા દબાણો પર બુલડોઝર ફેરવાયું
    Next Article
    સોનગઢના વેલ્ઝર ગામે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:એક શખ્સ ઝડપાયો, મુખ્ય સૂત્રધાર સહિત બે વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment