Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હપ્તા ભરીએ કે 10 હજાર ખર્ચીને બાથરૂમ રીપેર કરાવીએ?':સુરતના સુમન પાર્થ આવાસમાં 14 માળ સુધી બારેમાસ ચોમાસું, તંત્રની લીપાપોતીથી કંટાળીને રહીશોનો ભારે આક્રોશ

    9 hours ago

    સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના ભટાર આઝાદનગર નજીક આવેલા સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ સુમન પાર્થ આવાસના રહેવાસીઓ છેલ્લા ચાર વર્ષથી પાણી લીકેજની ગંભીર સમસ્યાથી ત્રસ્ત છે. વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિક રહીશોમાં શાસકો અને અધિકારીઓ સામે ભારે નારાજગી અને આક્રોશ ફાટી નીકળ્યો છે. ચાર વર્ષમાં જ છત અને દીવાલોમાંથી પાણી ટપકવાની ફરિયાદ સુમન પાર્થ આવાસના અનેક ફ્લેટોમાં પરિસ્થિતિ દયનીય બની ગઈ છે. ચોમાસું ન હોવા છતાં ઘરોની અંદર બારેમાસ ચોમાસા જેવો માહોલ જોવા મળે છે. અનેક ફ્લેટોની છત અને દીવાલોમાંથી સતત પાણી ટપકતું રહે છે. આ ભેજ અને ટપકતા પાણીને કારણે લોકોના ઘરની દીવાલો ખરાબ થઈ ગઈ છે અને ઘરવખરીના સામાનને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. પોતાના જ પાકા ઘરમાં રહેવા છતાં લોકો નરકાગાર જેવી સ્થિતિ ભોગવવા મજબૂર બન્યા છે. રોજિંદા જીવન પર આ સમસ્યાની એટલી ગંભીર અસર પડી છે કે લોકો માનસિક રીતે પણ પરેશાન થઈ ચૂક્યા છે. બિલ્ડિંગના સ્ટ્રક્ચરની સલામતી સામે સવાલો છેલ્લા 4 વર્ષથી સતત થઈ રહેલા પાણીના લીકેજને કારણે બિલ્ડિંગની આંતરિક સ્થિતિ અત્યંત જર્જરિત થઈ ગઈ છે. દીવાલો નબળી પડી રહી છે અને લાંબા ગાળે આખી બિલ્ડિંગના સ્ટ્રક્ચરને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આવાસના રહીશોના જણાવ્યા મુજબ, જો આ લીકેજ વહેલી તકે રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે. સેંકડો પરિવારોના જીવ જોખમમાં મૂકાયા હોવા છતાં પાલિકાનું હજી સુધી પેટનું પાણી હલતું નથી, જે તંત્રની ગંભીર ઉદાસીનતા દર્શાવે છે. SMCની કામગીરી માત્ર કાગળ પર રહેવાસીઓનો આક્ષેપ છે કે તેઓએ આ બાબતે સુરત મહાનગરપાલિકામાં અનેક વખત લેખિત રજૂઆતો કરી છે અને ઓનલાઈન પોર્ટલ પર પણ અસંખ્ય ફરિયાદો નોંધાવી છે. ફરિયાદ બાદ પાલિકાના ટેકનિકલ અધિકારીઓ માત્ર સ્થળ મુલાકાત (વિઝિટ) કરીને ચાલ્યા જાય છે. ફોટા પાડીને માત્ર કાગળ પર કામગીરી બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્તરે કોઈ અસરકારક કે કાયમી સમાધાન કરવામાં આવ્યું નથી. તંત્રની આ ઢીલી નીતિથી સ્થાનિકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. સ્થાનિક મહેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, અમે જ્યારથી રહેવા આવ્યા છીએ ત્યારથી અમારે પાણી લીકેજ છે. હું અત્યારે સોસાયટીનો પ્રમુખ છું. બે મહિનાથી મેન્ટેનન્સ લેવા જાવ, 5 લાખ રૂપિયા પેન્ડિંગ મેન્ટેનન્સ છે. લેવા જઈએ એટલે દરેક ફ્લેટ હોલ્ડર એમ કહે છે કે અમારું પાણી લીકેજ બંધ કરાવો. સાહેબ અમે ક્યાંથી કરાવવાના? એક બાથરૂમનું રિપેરીંગનું અત્યારે 10,000નો ખર્ચ છે. ત્રણ જગ્યાએ રિપેરીંગ કરાવીએ એટલે 30,000 રૂપિયા ખર્ચ, ગરીબ માણસ ક્યાંથી આપે? અમે હપ્તા ભરીએ કે પછી આ રિપેરીંગ કરાવીએ? અમે SMCમાં પણ જાણ કરેલી છે, તારવાડી પણ જાણ કરેલી છે, તો હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો. આગળ બિલ્ડરને અમે જોઈન્ટની વાત કરેલી તો એ લોકો આવીને ખાલી લીપાપોતી કરી ગયા છે. પટ્ટો મારી ગયા છે, પણ પાણી લીકેજનું આજ સુધી એક બુંદ પણ બંધ નથી થઈ હવે સ્થાનિકોની ધીરજ ખૂટી ગઈ છે. રોષે ભરાયેલા રહેવાસીઓએ તંત્રને આખરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં તેમની વાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને લીકેજની સમસ્યાનું કાયમી નિવારણ નહીં થાય, તો તેઓ સોસાયટીના તમામ સભ્યો સાથે રસ્તા પર ઉતરીને પાલિકા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં પોલીસે જપ્ત કરેલા દારૂની રખેવાળી કરનારાઓએ ચોરી કરી:કાકણપુર પોલીસ સ્ટેશનમાંથી 3 હોમગાર્ડ અને GRD જવાને ₹15.20 લાખનો વિદેશી દારૂ ચોર્યો, બૂટલેગરને વેચી માર્યો
    Next Article
    Big news regarding Patidar agitation case | પાટીદાર આંદોલન કેસને લઈ મોટા સમાચાર | Hardik Patel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment