Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારવાથી માળોદ સુધીનો રસ્તો ખાડામાં ફેરવાયો‎:વઢવાણ તાલુકાના પાંચ ગામોને જોડતા 10 કિ.મી. રોડ પર છ મહિનાથી મોટા ગાબડાં

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ગ્રામીણ રસ્તાઓની હાલત દયનીય બની છે. ખાસ કરીને માળોદ, વાધેલા અને ખારવા ગામને જોડતો અંદાજે 10 કિમીનો મુખ્ય રસ્તો છેલ્લા છ મહિનાથી અત્યંત બિસ્માર હાલતમાં છે. ખાડાઓ અને કાદવના સામ્રાજ્ય વચ્ચે દરરોજ 10 હજારથી વધુ ગ્રામજનો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે. વઢવાણ તાલુકાના ગામોને જોડતા રસ્તા બિસ્માર બન્યા છે. જેમાં માળોદ ખારવા ગામનો રસ્તો બિસ્માર છે. આ વિસ્તારના લોકો ખેતી તેમજ રોજગાર માટે રોજ આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ રસ્તો બિસ્માર હોવાથી ખાસ કરીને વરસાદી મોસમમાં કાદવ અને પાણી ભરાઈ જતા વાહનો ચલાવવું મુશ્કેલ બની જાય છે. ઘણી વખત લોકો ને લાંબો ફેરો કરીને પોતાના ગંતવ્ય સુધી પહોંચવું પડે છે. આ અંગે પટેલ અમિતભાઇ અસવાર ધર્મેન્દ્રસિંહ વગેરે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માણોદ ગામથી ખારવા સુધીનો લગભગ 10 કિલોમીટરનો રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં છે. આ રસ્તો નવો બની જાય તો ટીંબા, ગોમટા ખારવા અને બલદાણા જેવા આસપાસના ગામોના લોકોને પણ મોટી રાહત મળશે. ગ્રામજનો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કામગીરી હાથ ધરાઈ નથી. તેથી ગ્રામજનોમાં તંત્ર સામે રોષ છે અને તાત્કાલિક રસ્તો નવો બનાવવાની લોકોમા ખાસ માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    Oil price rise: Market sinks 5% in a week, logs worst 4-yr weekly fall
    Next Article
    ગોકુલનગરમાં ગટરના પાણીની રેલમછેલ:સુરેન્દ્રનગરના 1000થી વધુ નાગરિકો નર્કાગાર જેવી હાલતમાં જીવવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment