Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાથીદાંત રાખવાના કેસમાં મોહનલાલ ઘેરાયા:10 હાથીદાંત અને તેમાંથી બનેલી 13 મૂર્તિઓ જાહેર કરી, વન વિભાગ કાર્યવાહી કરશે; રેડમાં ખુલાસો થયો હતો

    1 day ago

    સાઉથ સુપરસ્ટાર મોહનલાલે કેરળ વન વિભાગ સમક્ષ 10 હાથીદાંત અને હાથીદાંતમાંથી બનેલી 13 મૂર્તિઓ જાહેર કરી છે. આ જાહેરાત એક્ટરે સરકારની એમ્નેસ્ટી (માફી) યોજના હેઠળ કરી છે. મોહનલાલ પર ગેરકાયદેસર રીતે હાથીદાંત રાખવાનો 15 વર્ષ જૂનો કેસ ચાલી રહ્યો છે. વારસા અને ભેટમાં હાથી દાંત અને તેની વસ્તુઓ મળ્યાનો દાવો 'લાઇવ લો'ના રિપોર્ટ અનુસાર, આ તમામ મૂર્તિઓનું કુલ વજન લગભગ 46 કિલોગ્રામ છે, જેમાં ભગવાન કૃષ્ણ, રામ અને તિરુપતિ બાલાજીની મૂર્તિઓનો સમાવેશ થાય છે. એક્ટરે કહ્યું કે, આ વસ્તુઓ તેમને વારસામાં અથવા ભેટમાં મળી હતી. વન અધિકારીઓ અનુસાર, મોહનલાલે અગાઉ ફક્ત ચાર હાથીદાંત હોવાની જાણકારી આપી હતી. હવે તેમણે વધુ છ હાથીદાંત સાથે 13 મૂર્તિઓની જાહેરાત કરી છે. વન વિભાગ આ વસ્તુઓની તપાસ માટે ડીએનએ ટેસ્ટ પણ કરાવી શકે છે. 2011માં રેડ દરમિયાન મળી હતી આ આખો મામલો વર્ષ 2011નો છે. ત્યારે આવકવેરાના અધિકારીઓએ કોચીના થેવરા વિસ્તારમાં આવેલા મોહનલાલના ઘર પર રેડ કરી હતી. ટીમ ત્યાં નાણાકીય દસ્તાવેજો અને રોકડ શોધવા ગઈ હતી, પરંતુ તેમને ઘરમાં હાથીના દાંત અને તેનાથી બનેલી કલાકૃતિઓ સજાવેલી મળી હતી. સરકારની મંજૂરી વિના હાથીના દાંત રાખવા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગેરકાયદેસર છે. આ પછી વન વિભાગે આ વસ્તુઓને જપ્ત કરીને પેરુમ્બાવૂર કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો. એક્ટરે કહ્યું હતું- 'કાયદાની જાણકારી નહોતી' 'ડાઉન ટુ અર્થ'ના રિપોર્ટ અનુસાર, મોહનલાલે ત્યારે દાવો કર્યો હતો કે, આ હાથીદાંત એક એવા પાલતુ હાથીના છે, જેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. તેમણે તેને ફક્ત યાદગીરી તરીકે પોતાની પાસે રાખ્યા હતા. એક્ટરનું કહેવું હતું કે, તેમને તેને રાખવું ગેરકાયદેસર છે તેની જાણકારી નહોતી. ત્યારબાદ વર્ષ 2015માં સરકારે તેમને આ હાથીદાંતની ઘોષણા કરવાની મંજૂરી આપી દીધી અને વર્ષ 2016માં તેમને ઓનરશિપ સર્ટિફિકેટ પણ જારી કરી દેવામાં આવ્યું. કોર્ટના નિર્ણય પછી સર્ટિફિકેટ રદ થયું મોહનલાલે પેરુમ્બાવૂર કોર્ટના આદેશને કેરળ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જ્યાંથી તેમને વર્ષ 2025 સુધી વચગાળાનો સ્ટે મળ્યો હતો. એક્ટરે વર્ષ 2016 અને 2019માં સરકારને કેસ પાછો ખેંચવા અપીલ પણ કરી હતી, જેને વર્ષ 2023માં ફગાવી દેવામાં આવી હતી. 'લાઇવ લૉ'ના રિપોર્ટ મુજબ, ઓક્ટોબર 2025માં હાઈકોર્ટે નિવૃત્ત ફોરેસ્ટ અધિકારીઓ અને વન્યજીવ સંરક્ષકોની અરજી પર સુનાવણી કરતા મોહનલાલના માલિકી પ્રમાણપત્રને ગેરકાયદેસર જાહેર કર્યું. જોકે, કોર્ટે એક્ટર પર કેસ ચલાવવાનો આદેશ આપ્યો ન હતો. હવે વન વિભાગ આ હાથીદાંત અને મૂર્તિઓની અસલિયત જાણવા માટે તેમનો ડીએનએ ટેસ્ટ કરાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    In 6 days, Mumbai’s tree falls outstrip incidents of entire monsoon season
    Next Article
    યુ.એન. મહેતા હોસ્પિટલની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના:ગૂંગળામણથી ફસાયેલા મજૂરોમાંથી એકને સ્થાનિકે અને બેને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા; મેયર-ચેરમેન ઘટનાસ્થળે દોડ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment