Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સબરીમાલા કેસ, સુપ્રીમ કોર્ટમાં 10મા દિવસે સુનાવણી:જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું - ધાર્મિક પ્રથાઓના નામે રસ્તાઓ બ્લોક કરી શકાય નહીં

    11 hours ago

    કેરળના સબરીમાલા મંદિર સહિત અન્ય સંપ્રદાયોના ધાર્મિક સ્થળોમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે 10મા દિવસે સુનાવણી ચાલી રહી છે. મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ બી વી નાગરત્નાએ કહ્યું કે ધાર્મિક કાર્યોના નામે રસ્તાઓ બ્લોક કરી શકાય નહીં. હિંદુ ધર્મ આચાર્ય સભા વતી હાજર રહેલા વકીલ અક્ષય નાગરાજને દલીલ કરી કે સરકાર આર્ટિકલ 25(2)(a)નો આધાર આપીને કોઈપણ ધાર્મિક સંપ્રદાયના અધિકારોમાં દખલ કરી શકે નહીં. રાજ્યને ધાર્મિક રીતિ-રિવાજો સાથે સંકળાયેલી આર્થિક, નાણાકીય, રાજકીય કે અન્ય બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનો કે રોકવાનો અધિકાર છે. આર્ટિકલ 25 હેઠળ સુરક્ષા માત્ર ધાર્મિક વિશ્વાસ સુધી મર્યાદિત નથી, પરંતુ આસ્થાના બાહ્ય સ્વરૂપો, જેમ કે કોઈ ખાસ દેવતાની પૂજા સાથે સંકળાયેલા રીતિ-રિવાજો, સમારોહો અને પ્રથાઓ સુધી પણ વિસ્તરેલી છે. સબરીમાલા કેસ પર 7 એપ્રિલથી સુનાવણી થઈ સબરીમાલા મંદિર કેસ પર 7 એપ્રિલથી સુનાવણી શરૂ થઈ હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારે મહિલાઓની એન્ટ્રીના વિરોધમાં દલીલો રજૂ કરી હતી. સરકારે કહ્યું હતું કે દેશના ઘણા દેવી મંદિરોમાં પુરુષોની એન્ટ્રી પણ પ્રતિબંધિત છે, તેથી ધાર્મિક પરંપરાઓનું સન્માન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે પૂછ્યું- સ્પર્શ કરવાથી દેવતા અપવિત્ર કેવી રીતે થાય છે આ પહેલા કોર્ટે પૂછ્યું, ‘મૂર્તિને સ્પર્શ કરવો એ ભગવાનનું અપમાન કેવી રીતે હોઈ શકે અને તેઓ અપવિત્ર કેવી રીતે થઈ જાય છે.' સુપ્રીમ કોર્ટે પૂછ્યું, 'શું બંધારણ તે ભક્તની મદદ માટે આગળ નહીં આવે, જેને ફક્ત તેના વંશ અને જન્મના કારણે દેવતાને સ્પર્શ કરવાથી રોકવામાં આવે છે.' આ અંગે સબરીમાલાના વકીલ એડવોકેટ વી. ગિરીએ જણાવ્યું હતું કે, કોઈપણ મંદિરમાં થતા રીતિ-રિવાજો તે ધર્મનો અભિન્ન અંગ હોય છે. પૂજા દેવતાની લાક્ષણિકતાઓથી વિપરીત હોઈ શકે નહીં. ભગવાન અયપ્પા 'નૈષ્ઠિક બ્રહ્મચારી' છે, તેથી ત્યાંની પરંપરાઓ તે મુજબ નક્કી કરવામાં આવી છે. આજે આવી શકે છે ચુકાદો સુપ્રીમ કોર્ટમાં 9 જજોની બંધારણીય બેન્ચ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સંબંધિત કેસની સુનાવણી કરી રહી છે. આ સાથે ધાર્મિક આસ્થાના 66 અન્ય કેસ પણ જોડાયેલા છે. ચુકાદો આજે આવવાની સંભાવના છે. કેરળ હાઈકોર્ટે 1991માં સબરીમાલામાં માસિક ધર્મવાળી મહિલાઓ (10-50 વર્ષ)ના પ્રવેશ પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે 2018માં પ્રતિબંધ હટાવી દીધો. આ નિર્ણય વિરુદ્ધ ઘણી પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર હવે સુનાવણી ચાલી રહી છે. મંદિર પ્રશાસન મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહ્યું છે. સબરીમાલા કેસ પર 7 એપ્રિલથી શરૂ થઈ સુનાવણી સબરીમાલા મંદિર કેસ પર 7 એપ્રિલથી સુનાવણી શરૂ થઈ છે. પહેલા 3 દિવસ, 9 એપ્રિલ સુધી સુનાવણી થઈ. આ દરમિયાન કેન્દ્ર સરકારે મહિલાઓની એન્ટ્રીના વિરોધમાં દલીલો રજૂ કરી. સરકારે કહ્યું હતું કે દેશના ઘણા દેવી મંદિરોમાં પુરુષોની એન્ટ્રી પણ પ્રતિબંધિત છે, તેથી ધાર્મિક પરંપરાઓનું સન્માન થવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    UPના ગાઝિયાબાદના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ:9મા માળે લાગેલી આગ 15મા માળ સુધી પહોંચી, લોકો ભાગ્યા; ઘર સળગતું જોઈ મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી
    Next Article
    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત:જવાનપુર પાટીયા પાસે મોતની ચીચીયારી ગુંજી, કારનો કચ્ચરઘાણ, 6 લોકો ગંભીર, હોસ્પિટલ ખસેડાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment