Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના મંત્રી નિતેશ રાણેને 1 મહિનાની જેલની સજા:મુંબઈ-ગોવા હાઈવે પર NHAI એન્જિનિયર પર કાદવ ફેંક્યો હતો; 29 આરોપી નિર્દોષ છૂટ્યા

    12 hours ago

    મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણેને સિંધુદુર્ગ કોર્ટે એન્જિનિયર પર કાદવ ફેંકવાના કેસમાં એક મહિનાની જેલની સજા સંભળાવી છે. કોર્ટે કહ્યું કે જનપ્રતિનિધિ કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. જોકે, બાદમાં સજા પર રોક લગાવતા તેમને હાઈકોર્ટમાં અપીલ કરવાનો સમય આપવામાં આવ્યો છે. આ કેસમાં બાકીના 29 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા. ખરેખરમાં, આ મામલો 4 જુલાઈ 2019નો છે. તેમણે NHAIના સબ-ડિવિઝનલ એન્જિનિયર પ્રકાશ શેડેકરને મુંબઈ-ગોવા હાઈવેના પહોળા કરવાના કામનું નિરીક્ષણ કરવા બોલાવ્યા હતા. રસ્તાની ખરાબ હાલત અને પાણી ભરાવાને લઈને તેઓ નારાજ થઈ ગયા. રાણે અને તેમના સમર્થકોએ એન્જિનિયર પર કાદવ નાખ્યો. તેમને કાદવવાળા પાણીમાં ચાલવા માટે મજબૂર કર્યા. તે સમયે નિતેશ રાણે કોંગ્રેસમાં હતા. કોર્ટે સત્તાનો દુરુપયોગ ગણાવ્યો જસ્ટિસ વી.એસ. દેશમુખે જણાવ્યું હતું કે કામની નબળી ગુણવત્તા અને લોકોની મુશ્કેલીઓ સામે અવાજ ઉઠાવવો ખોટું નથી, પરંતુ કોઈ સરકારી કર્મચારીનું જાહેરમાં અપમાન કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે જો આવા કિસ્સાઓ ચાલુ રહેશે તો સરકારી કર્મચારીઓ ગરિમા સાથે કામ કરી શકશે નહીં. આ સત્તાનો દુરુપયોગ છે. તેથી આવી પ્રવૃત્તિ પર રોક લગાવવી જરૂરી છે. કોર્ટે એમ પણ કહ્યું કે પીડિત NHAIમાં ઉચ્ચ પદ પર હતા, તેમ છતાં તેમની સાથે એવું વર્તન કરવામાં આવ્યું જે સ્પષ્ટપણે અપમાનજનક હતું. શેડેકરને કાદવમાં ચાલવા માટે મજબૂર કરવા એ જાણી જોઈને કરવામાં આવેલું અપમાન હતું. આનાથી જાહેર શાંતિ ડહોંળાઈ શકતી હતી. 30 પર કેસ હતો, 29 લોકો નિર્દોષ છૂટ્યા આ કેસમાં નિતેશ રાણે સહિત 30 લોકો પર હુલ્લડ, સરકારી કર્મચારીને કામ કરતા રોકવા અને ગુનાહિત ષડયંત્ર જેવા આરોપો લાગ્યા હતા. તેમની સાથે કાંકાવલીના તત્કાલીન મેયર સમીર નલાવડે, ડેપ્યુટી મેયર બાબુ ગાયકવાડ, સંજય કામટેકર, પં. સ. સભ્ય મિલિંદ મેહતે, નરેશકર, અભિ મુસલે, મેધા ગાંગણ, સ્વાભિમાન શહેર અધ્યક્ષ રાકેશ રાણે, સંદીપ નલાવડે, નિખિલ આચરેકર, રાજન પરબ, વાગડેના પૂર્વ સરપંચ સંદીપ સાવંત, પૂર્વ ઉપસરપંચ લક્ષ્મણ ઘાડીગાંવકર, બબન હડવે, વિઠ્ઠલ દેસાઈ, કિશોર રાણે, શિવસુંદર દેસાઈ, સચિન પારધીયે પર કેસ થયો હતો. કોર્ટે પુરાવાના અભાવે આ મોટાભાગના આરોપોમાંથી તમામને નિર્દોષ છોડી મૂક્યા. જોકે, નિતેશ રાણેને IPCની કલમ 504 (શાંતિ ભંગ કરવાના ઇરાદાથી જાણી જોઈને અપમાન) હેઠળ દોષિત ઠેરવીને એક મહિનાની સજા ફટકારવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 150 પોઈન્ટનો ઘટાડો:77,150 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટ્યો; બેંકિંગ અને ફાર્મા શેર્સમાં વેચવાલી
    Next Article
    મધ્ય ગુજરાતની ચૂંટણીનું પરિણામ:દહેગામ નગરપાલિકા વોર્ડ નં-1માં કોંગ્રેસ પેનલની જીત, લુણાવાડા નગરપાલિકાની વોર્ડ નં-5ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment