Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:દસ્તાવેજ ન કરી આપી ગોધાવાવની પાટીના યુવક સાથે 1 કરોડની છેતરપિંડી

    1 week ago

    ગિરનાર રોડ પર આવેલ ગોધાવાવની પાટી, માતૃ છાયા ટેનામેન્ટમાં રહેતા 43 વર્ષીય પ્રદિપભાઈ માલદેભાઈ દિવરાણીયા અને તેના ભાગીદાર રવિરાજભાઈ અતુલકુમાર વ્યાસે બીલખા પાસેના ભલગામની સીમ સર્વે નંબર 182માં આવેલી 44 વીઘા વીડીની જમીન ખરીદવા માટે અમદાવાદ રહેતા મૂળ બીલખાન નિર્મળકુમાર પુંજાભાઈ વાળા, ઉર્મિલાબેન વાળા અને રાજેશ્વરીબેન બસીયા સાથે સોદો કર્યો હતો. આ સોદા પેટે ફરિયાદી પક્ષ દ્વારા વર્ષ 2019 થી 2024 દરમિયાન કટકે-કટકે કુલ રૂ. 1,83,02,000ની માતબર રકમ ચૂકવવામાં આવી હતી. આરોપીઓએ જમીનનો ટાઈટલ ક્લિયર કરાવી આપવાની અને વેચાણ દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી હતી. જોકે, ભગીરથભાઈ બસીયા દ્વારા તેમના ભાગની 22 વીઘા જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. જ્યારે નિર્મળકુમાર વાળા, ઉર્મિલાબેન વાળા અને રાજેશ્વરીબેન બસીયાએ 1,01,51,000ની રકમ મેળવી લીધા બાદ પણ ત્રણેયે જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો. એટલું જ નહીં, અંદરોઅંદર વાંધા અરજીઓ ઉભી કરી જમીનનું વેચાણ અટકાવી દીધું હતું અને પ્રદીપભાઈએ ચૂકવેલા નાણાં પણ પરત કર્યા નહોતા. આમ, જમીન આપવાના બહાને વિશ્વાસમાં લઈ નાણાં પડાવી છેતરપિંડી આચરતા બીલખા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આજે NEET પરીક્ષા:આજે સાયન્સના કુલ 2103 છાત્રો નીટની પરીક્ષા આપશે
    Next Article
    મનપાના વાહન કોન્ટ્રાક્ટમાં ગોટાળો:નવુ ટેન્ડર ફેઈલ, જૂનાને જ લંબાવવાની ફરજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment