Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર્ડ 1 માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયા:નૂરમહંમદ પલેજાએ ટિકિટ ન મળતા પક્ષપલટો કર્યો, 500 સમર્થકો પણ જોડાયા

    2 days ago

    જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 1 માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ કોર્પોરેટર નૂર મહંમદ પલેજા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેઓ લાંબા સમયથી પક્ષ સામે નારાજગી ધરાવતા હતા અને ટિકિટ ન મળતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જામનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ નૂર મહંમદ પલેજાને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. તેમની સાથે જેન્તીભાઇ પ્રજાપતિ અને યાકુબ અબ્બાસ ગાદ પણ ભાજપમાં જોડાયા હતા. માત્ર આ દિગ્ગજ નેતાઓ જ નહીં, પણ તેમની સાથે અંદાજે 500 જેટલા સમર્થકોએ પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો છે. મળતી માહિતી મુજબ, આગામી ચૂંટણીમાં ટિકિટની ફાળવણીને લઈને કોંગ્રેસમાં આંતરિક અસંતોષ હતો. પૂર્વ નગરસેવક નૂર મહંમદ પલેજાએ ટિકિટ ન મળતા થોડા દિવસ પહેલા જ પક્ષને અલવિદા કહી દીધું હતું. તેમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વધુ સ્પષ્ટ બની છે.
    Click here to Read More
    Previous Article
    RTE પ્રવેશ પ્રક્રિયા:શહેરમાં 1125 બેઠક માટે 4300 ફોર્મ ભરાયા, 3319 મંજૂર
    Next Article
    MI vs CSK: Sanju Samson's Post-Match Remark Proves He Is True Successor To 'Captain' Dhoni

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment