Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:મુંબઈ-પુણે એક્સપ્રેસ વેની મિસિંગ લિન્ક 1 મેથી શરૂ

    8 hours ago

    બહુપ્રતિક્ષિત મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરના મિસિંગ લિન્ક પ્રકલ્પનું કામ આખરે હવે અંતિમ તબક્કામાં છે. આ પ્રકલ્પનું 99 ટકા કામ પૂરું થયું છે. અત્યારે રંગરોગાન સહિત આંતરિક કામની શરૂઆત મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ તરફથી કરવામાં આવી છે. બાકીના કામ પૂરા કરીને મિસિંગ લિન્ક શરૂ કરવા જરૂરી પરવાનગીઓ લઈને 1 મેથી આ રોડ વાહનવ્યવહાર માટે શરૂ કરવાનું નિયોજન એમએસઆરડીસીનું છે. તેથી 1 મેથી મુંબઈથી પુણેનો પ્રવાસ ઝડપી થશે અને પ્રવાસીઓના 30 મિનિટના સમયની બચત થશે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર વાહનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ભવિષ્યમાં એમાં હજી વધારો થશે. વધતી વાહનસંખ્યાના કારણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ છે અને અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. તેથી આ એક્સપ્રેસ વેની ક્ષમતા વધારવા એમએસઆરડીસીએ મિસિંગ લિન્ક પ્રકલ્પ હાથમાં લીધો. એ અનુસાર મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખપોલીથી કુસગાવ 19.80 કિલોમીટરનો નવો રોડ અર્થાત મિસિંગ લિન્ક બાંધવાના કામની શરૂઆત 2019માં કરી હતી. કરાર અનુસાર આ પ્રકલ્પ 2022માં પૂરો થઈને આ રોડ વાહનવ્યવહાર માટે શરૂ થવો અપેક્ષિત હતો. જો કે કામની ઝડપ અને ટેકનિકલ અડચણના લીધે કામમાં વિલંબ થતા આ પ્રકલ્પ પૂરો થવા 2026 સુધી રાહ જોવી પડી. હવે આ પ્રકલ્પનું કામ અંતિમ તબક્કામાં છે. પ્રકલ્પનું 99 ટકા બાંધકામ પૂરું થયું છે અને રંગ લગાડવાના કામની શરૂઆત કરવામાં આવી છે. ખીણમાંથી જતા આ રોડના થાંભલાઓને, કેબલસ્ટેડ પુલના થાંભલાઓને બ્લૂ રંગ લગાડવામાં આવી રહ્યો છે એવી માહિતી એમએસઆરડીસીના અધિકારીએ આપી હતી. પુલ સહિત બોગદાના આંતરિક કામની પણ શરૂઆત કરવામાં આવી છે. આ કામ એપ્રિલના અંતમાં પૂરું કરવાનું સુરક્ષા તપાસ શરૂ થશે મિસિંગ લિન્ક શરૂ કરવા પહેલાં જરૂરી સુરક્ષા તપાસ કરવી ફરજિયાત છે. એમાં પુલ કેટલો ભાર ઝીલી શકે છે એની અને અન્ય તપાસનો સમાવેશ છે. આ તપાસકામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને તપાસ માટે જરૂરી પરવાનગીઓ લેવામાં આવશે. એ પછી 1 મેના આ રોડ વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું હતું. મિસિંગ લિન્ક શરૂ થતા ઘાટનો પ્રવાસ ટળશે અને પ્રવાસમાં 30 મિનિટની બચત થશે.
    Click here to Read More
    Previous Article
    Another Indian killed in missile attack on Riyadh, toll up to six
    Next Article
    પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકની ખાતરી:વૈશ્વિક તણાવથી ST સેવામાં અવરોધ પેદા નહીં થાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment