Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 મહિના સુધીની તારિખોમાં વેઈટિંગ:ગાંધીનગર-મુંબઈ વંદે ભારતમાં 20 ડબ્બા પણ ઓછા પડ્યા

    9 hours ago

    ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનમાં ટિકિટ ન મળવાની મુસાફરોની ફરિયાદ સામે આવી હતી. રેલવે વિભાગે સ્પષ્ટતા કરી છે કે ધસારાને પહોંચી વળવા ટ્રેનની ક્ષમતા વધારીને 20 ડબ્બાની કરવામાં આવી છે. સમય બચાવવા માટે લોકો આ ટ્રેન પસંદ કરે છે, તેથી 2 મહિના અગાઉ બુકિંગ કરાવવું જરૂરી છે. ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનમાં ટિકિટ મેળવવા બાબતે મુસાફરો સતત ફરિયાદો કરી રહ્યા હતા. લોકોનું કહેવું છે કે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ ઉપલબ્ધ હોતી નથી. આ ફરિયાદ સામે રેલવે વિભાગે વર્તમાન પરિસ્થિતિની વિગતો આપી હતી. આ ટ્રેન ગાંધીનગરથી સુરતનું અંતર માત્ર 3 કલાકમાં પૂરું કરે છે. અન્ય કોઈ ટ્રેન આટલી ઝડપે મુસાફરોને પહોંચાડતી નથી. ભીડને પહોંચી વળવા માટે રેલવેએ 6 મહિના પહેલા જ ટ્રેનમાં ફેરફાર કર્યો હતો. પહેલા આ ટ્રેનમાં 16 ડબ્બા હતા, જે વધારીને હવે 20 કરાયા છે. 20 ડબ્બા આ ટ્રેનની છેલ્લી મર્યાદા છે. રેલવે વિભાગે જણાવ્યું છે કે આ ટ્રેન લોકોની પહેલી પસંદ છે. ટિકિટની અછતથી બચવા માટે મુસાફરોએ 2 મહિના અગાઉ રિઝર્વેશન કરાવી લેવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    હુમલો:અમરેલી તારવાડીમાં ક્રિકેટ રમવા બાબતે પિતા- પુત્ર પર હુમલો કર્યો
    Next Article
    Met Gala 2026: Kim Kardashian, Kylie and Kendall Jenner turn red carpet into their personal runway

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment