Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેટ દ્વારકાના હનુમાન દાંડી મંદિરે હનુમાન જ્યંતી કાર્યક્રમોની રૂપરેખા જાહેર:1 અને 2 એપ્રિલે વિજયમંત્ર અખંડ રામધૂન, પ્રાગટ્ય અને ધ્વજારોહણ થશે

    11 hours ago

    બેટ દ્વારકાના પ્રસિદ્ધ હનુમાન દાંડી મંદિરે હનુમાન જ્યંતી નિમિત્તે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર સમિતિ દ્વારા આ કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા જાહેર કરવામાં આવી છે.જાહેર કરાયેલી રૂપરેખા મુજબ, તારીખ 1 એપ્રિલ, 2026 (બુધવાર) ના રોજ સવારે 10:00 વાગ્યે વિજયમંત્ર અખંડ રામધૂનનો પ્રારંભ થશે. આ રામધૂન સતત બે દિવસ સુધી ચાલશે.તારીખ 2 એપ્રિલ, 2026 (ગુરુવાર) ના રોજ સવારે 6:58 વાગ્યે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય ઉત્સવ અને મહાઆરતી યોજાશે. ત્યારબાદ સવારે 10:00 વાગ્યે મંદિર પર ધ્વજારોહણ અને નિત્ય આરતી કરવામાં આવશે.સવારે 11:00 વાગ્યે અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા છે. મંદિર સમિતિના પ્રમુખ હેમભા વાઢેર દ્વારા હનુમાન જ્યંતી મહોત્સવમાં પધારતા તમામ ભક્તોને મહાપ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.હનુમાન જ્યંતી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો બેટ દ્વારકા ખાતે દર્શનાર્થે આવે તેવી શક્યતા છે. આથી, મંદિર સમિતિ દ્વારા ભક્તોની સુવિધા માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસાના કલ્યાણ ચોકમાં નિઃશુલ્ક છાશ પરબ શરૂ:જલારામ ટ્રસ્ટ દ્વારા ગરમીમાં રાહત આપવા પહેલ
    Next Article
    મોરબીમાં યુવાને 5 લાખ સામે ₹7.90 લાખ ચૂકવ્યા:છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment