Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 હજાર વર્ષો જૂની દિવાસા પર્વની પરંપરા અકબંધ‎:પાટણ સ્મશાનભૂમિમાં પૂર્વજોને પ્રિય વસ્તુઓ ‎અર્પણ કરી હૈયાફાટ રુદન સાથે શ્રદ્ધાંજલિ અર્પી‎

    1 day ago

    ​પાટણ શહેર અને સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતા દેવીપૂજક સમાજ દ્વારા અષાઢ વદ ચૌદશના પવિત્ર દિવાસા પર્વે પાટણ ખાતે શ્રદ્ધાંજલિ અને ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ સાથે સમાજની આદિકાળથી ગાઢ આસ્થા જોડાયેલી હોવાથી, રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં દેવીપૂજક ભક્તો અહીં ઉમટી પડ્યા હતા. ​દેવીપૂજક સમાજની ઉત્પત્તિ પાટણમાં થઈ હોવાની અને મોટાભાગના પૂર્વજોની અંતિમક્રિયા અહીં જ થઈ હોવાની માન્યતાને કારણે દેશ-વિદેશ તથા ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ પોતાના સ્વર્ગસ્થ પૂર્વજોના અસ્થિકુંભ સાથે પાટણ પહોંચ્યા હતા.અષાઢ વદ ચૌદશના દિવસે પ્રથમ દિવાસો અહીં ઉજવ્યા બાદ અમાસના દિવસે લોકો પોતપોતાના વતનમાં વિધિ કરે છે.​ રાજ્યભરમાંથી 30થી વધુ બસો મારફતે આવેલા શ્રદ્ધાળુઓએ હડકમાઈ માતાજીના મંદિર અને પીતાંબર તળાવ પાસે આવેલી સ્મશાનભૂમિમાં દીવા-અગરબત્તી પ્રગટાવી, ફૂલહાર અર્પણ કરી અને નાળિયેર વધેરીને પૂર્વજોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ પ્રસંગે વાતાવરણ અત્યંત ભાવુક બન્યું હતું. શ્રદ્ધાંજલિ વિધિ પૂર્ણ થયા બાદ સમાજના લોકોએ એકબીજાને મળીને આ પર્વને એક ધાર્મિક ઉત્સવ તરીકે ઉજવ્યો હતો.નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજના અગ્રણી દિનેશભાઈ પટણીએ જણાવ્યું હતું કે, સાત પેઢીથી પૂર્વજોને યાદ કરવાની આ પરંપરા અવિરતપણે જાળવી રાખવામાં આવી છે, જેનાથી નવી પેઢીને આપણા સમૃદ્ધ સંસ્કારોથી માહિતગાર કરી શકાય છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની સાથે પીવાનાં પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.​ બીજી તરફ અમદાવાદ નરોડા ફ્રૂટ માર્કેટની યુવા ટીમ અને સ્થાનિક આગેવાનોના સહયોગથી છેલ્લા 15 વર્ષથી યાત્રાળુઓ માટે વિનામૂલ્યે વિશાળ ભોજન અને આશ્રય કેમ્પ કાર્યરત છે. રાજુભાઈ પટણી અને નગીનભાઈ પટણીના જણાવ્યા મુજબ, આ વર્ષે પણ નિસ્વાર્થ ભાવે 25 હજાર થી વધુ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ અને રહેવાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવી હતી.જેણે સેવાકીય પ્રવૃત્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કરૂણાંતિકા:ધીણોજમાં પાણી ભરેલા કૂવા કાંઠે બેઠેલા આધેડ અંદર પડી જતાં ડૂબી જવાથી મોત
    Next Article
    Tukaram Mundhe Impact: Why Blinkit And Reliance Retail Outlet Are Under FDI Scanner

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment