Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને રાહત:1 એપ્રિલ સુધી જેલમાં નહીં જવું પડે, કોર્ટે કહ્યું- પૈસા ચૂકવવાની આ છેલ્લી તક

    6 days ago

    ચેક બાઉન્સ કેસમાં ફસાયેલા બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે- રાજપાલે અત્યાર સુધી બાકી રકમનો મોટો હિસ્સો જમા કરાવી દીધો હોવાથી, તેને હાલ પૂરતું ફરીથી જેલમાં મોકલવામાં આવશે નહીં. હવે આ કેસની આગામી સુનાવણી 1 એપ્રિલે થશે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આગામી સુનાવણીની તારીખ ટાળવામાં આવશે નહીં અને કેસ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. કોર્ટે તેને રાજપાલ માટે છેલ્લી તક તરીકે જોવાનું કહ્યું છે. આજે 25 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યો સુનાવણી દરમિયાન રાજપાલ યાદવના વકીલે કોર્ટને જાણકારી આપી કે રાજપાલે અત્યાર સુધી ફરિયાદકર્તા કંપની 'મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ'ને 4.25 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. વકીલે આજે કોર્ટમાં 25 લાખ રૂપિયાનો વધુ એક ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) જમા કરાવ્યો. આ સાથે જ કોર્ટમાં રેગ્યુલર બેલ (નિયમિત જામીન)ની અરજી પણ આપવામાં આવી, કારણ કે રાજપાલની વચગાળાની જામીન આજે પૂરી થઈ રહી હતી. કોર્ટે પૂછ્યું- શું લોન લીધી હતી? કાર્યવાહી દરમિયાન જજે રાજપાલ યાદવને સીધો સવાલ કર્યો કે શું તેમણે લોન લીધી હતી? આના પર એક્ટરે સ્વીકાર્યું કે તેમણે પૈસા લીધા હતા. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે રાજપાલને પહેલા પણ પૈસા પરત કરવાના ઘણા અવસર આપવામાં આવ્યા હતા, પરંતુ તેણે સમયસર ચૂકવણી કરી ન હતી. કોર્ટે તેમને રાજપાલ માટે છેલ્લી તક તરીકે જોવાનું કહ્યું છે. રાજપાલ બોલ્યા- 'જેલમાં જવાથી ભારે નુકસાન થયું' રાજપાલ યાદવે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે 2016ના આદેશ મુજબ તેમને 10.40 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. તેમણે દાવો કર્યો કે તેમણે પોતાના એક મિત્રની 28 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના દસ્તાવેજો પણ સુરક્ષા તરીકે આપ્યા હતા. રાજપાલે આરોપ લગાવ્યો કે બીજો પક્ષ બાકી પૈસા લેવાને બદલે તેમને જેલમાં મોકલવામાં વધુ રસ દાખવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પહેલા જેલમાં જવાથી તેમની આર્થિક સ્થિતિ વધુ બગડી ગઈ, જેના કારણે તેમને એક ફિલ્મ પ્રોજેક્ટમાં 22 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ચેક બાઉન્સ કેસમાં જેલમાં જઈ ચૂક્યા છે રાજપાલ રાજપાલ યાદવ હાલમાં 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આ મામલો તેમની વર્ષ 2010ની ફિલ્મ 'અતા પતા લાપતા' માટે લીધેલી લોન સાથે સંબંધિત છે. રાજપાલે બિઝનેસમેન માધવ ગોપાલ અગ્રવાલ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. વ્યાજ અને પેનલ્ટી સાથે આ રકમ હવે વધીને 9 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ કેસમાં રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરીએ દિલ્હીની તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. હવે તેમને 1 એપ્રિલ સુધી માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    LIVE : I&B मंत्री अश्विनी वैष्णव की कैबिनेट ब्रीफिंग LIVE | Cabinet Briefing Live
    Next Article
    ભારતે યુદ્ધ વચ્ચે ઈરાનને મેડિકલ સહાય મોકલી:ઈરાની દૂતાવાસે આભાર માન્યો, ઈઝરાયલનો દાવો- એરસ્ટ્રાઈકમાં ઈરાની ઈન્ટેલિજન્સ મિનિસ્ટરનું મોત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment