Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર્ડ નંબર - 1નું સમીકરણ:પાલનપુર પાલિકાના વોર્ડ-1માં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવાર વચ્ચે મુકાબલો

    3 days ago

    પાલનપુર શહેરમાં ગુજરાતની પ્રથમ એવી ઘટના નોંધાઈ છે. જેમાં કોંગ્રેસની મહિલા ઉમેદવાર સામે ભાજપના ત્રણ ઉમેદવારો ચૂંટણી લડશે. અહીં વોર્ડ 1માંથી કોંગ્રેસના અશોક જોષી, આરતી ઠાકોર અને આશિષ પઢિયારે ફોર્મ પાછાં ખેંચ્યાં હતા. પરંતુ લતાબેન સોલંકી, જેઓ સામાન્ય સ્ત્રી સીટ પરથી ઊભા હતા, તેમણે ફોર્મ પાછું ખેંચ્યું નહોતું. આથી સવારે ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ થયા હોવાનું જાહેર થતાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જોકે સામાન્ય સીટ પર ઊભેલા દશરથસિંહ સોલંકી, અંકુર જોષી અને સામાન્ય સ્ત્રી સીટ પર ઊભેલી મીતાબેન સોની – ત્રણેય સામાન્ય સીટ પર હોવાને કારણે હવે અહીં ચૂંટણીની સ્થિતિ સર્જાઈ છે. એકમાત્ર કોંગ્રેસની મહિલા ઉમેદવાર સહિત અહીં સૌથી ઓછાં મત મેળવનાર સામાન્ય ઉમેદવાર હારશે, જ્યારે બાકીના ત્રણ ઉમેદવારો વિજેતા જાહેર કરાશે. પાલનપુર નગરપાલિકામાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પ્રાંત કચેરી પરિસરમાં સવારથી જ હાઈ વોલ્ટેજ ડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સવારે 11 વાગ્યાથી કોંગ્રેસના નેતાઓ ગ્રાઉન્ડ ફ્લોર પર પગથિયાં પાસે ગોઠવાઈ ગયા હતા, જેથી કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા અંદર જઈ ન શકે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ ભાજપના નેતાઓ કોઈક રીતે પ્રથમ માળે આવેલી પ્રાંત કચેરીમાં પહોંચી વોર્ડ નંબર 1માંથી ત્રણ ઉમેદવારોના ફોર્મ પાછાં ખેંચાવી લીધાં હતા. જેના કારણે ભાજપના નેતાઓએ માન્યું કે અહીં ત્રણ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. આ અંગે ભાજપ કાર્યાલય દ્વારા અધિકૃત જાહેરાત પણ કરાઈ દેવાઈ હતી. ઉપરાંત બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારો દશરથસિંહ સોલંકી અને અંકુરભાઈ જોષી દ્વારા આભાર દર્શન અને અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો હતો. જોકે, ચૂંટણી પંચે સાંજે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસની પછાત વર્ગની મહિલાએ ફોર્મ પાછું ખેંચ્યું હોવાથી તેની સામે ભાજપની પછાત વર્ગની મહિલા ઉમેદવાર બિનહરીફ થઈ છે. પરંતુ લતાબેન સોલંકી સામાન્ય કેટેગરીમાં હોવાથી તેમની સામેના ઉમેદવારોને ચૂંટણી લડવી જ પડશે. આ પરિસ્થિતિ ઊભી થતા ચૂંટણી વિભાગના અધિકારીઓએ માત્ર જાગૃતિ ચૌધરીને જ બિનહરીફ જાહેર કર્યા હતા. આમ પાલનપુર શહેરમાં વોર્ડ નં. 1માં 1, વોર્ડ નં. 3માં 1 અને વોર્ડ નં. 10માં 2 મળી કુલ 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. પાલિકાના વોર્ડ નંબર 1ની ચૂંટણીની વર્તમાન સ્થિતિને સાદી અને સરળ ભાષામાં સમજો સવારે 3 બેઠકો બિનહરીફ માનીને ભાજપે વિજયી ઉત્સવ કેમ મનાવ્યો? સામાન્ય રીતે જ્યારે વિરોધ પક્ષના ઉમેદવારો ફોર્મ ખેંચે ત્યારે સામેવાળા ઉમેદવાર જીતી ગયા ગણાય. વોર્ડ-1માં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા, એટલે ભાજપના નેતાઓને એમ લાગ્યું કે હવે તેમની સામે કોઈ જ નથી, તેથી 3 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. પરંતુ તેઓ એ ભૂલી ગયા કે કોંગ્રેસના ચોથા ઉમેદવાર (લતાબેન) મેદાનમાં હજુ પણ ઉભા છે. એક જ મહિલા ઉમેદવાર બાકી હોય તો બાકીના 3 કેમ બિનહરીફ ન થયા? ચૂંટણીના નિયમ મુજબ, જો કોઈ વોર્ડમાં કુલ 4 બેઠકો હોય અને સામે પક્ષે માત્ર 1 જ ઉમેદવાર બાકી હોય, તો તે એક ઉમેદવાર ગમે તે બેઠક પર લડી શકે છે. અહી કોંગ્રેસના લતાબેન "સામાન્ય (General)" બેઠક પર છે. જ્યાં સુધી તેઓ મેદાનમાં છે, ત્યાં સુધી ભાજપના ત્રણેય "સામાન્ય" બેઠકના ઉમેદવારો (દશરથસિંહ, અંકુરભાઈ અને મીતાબેન) સામે હરીફાઈ ગણાય. એટલે કે, આ ત્રણેયમાંથી કોઈ એકની સામે લતાબેન ચૂંટણી લડી રહ્યા છે તેવું માનવામાં આવે છે. તો પછી માત્ર જાગૃતિબેન ચૌધરી જ કેવી રીતે બિનહરીફ જાહેર થયા? કારણ કે જાગૃતિબેન પછાત વર્ગ (OBC)ની અનામત બેઠક પર હતા. તેમની સામે કોંગ્રેસના જે ઉમેદવાર આરતીબેન ઠાકોર હતા, તેમણે ફોર્મ ખેંચી લીધું. હવે પછાત વર્ગની બેઠક પર જાગૃતિબેન સિવાય બીજું કોઈ જ ઉમેદવાર બાકી રહ્યું નથી, તેથી નિયમ મુજબ માત્ર તેમને જ વિજેતા (બિનહરીફ) જાહેર કરી શકાય. હવે વોર્ડ-1 માં ચૂંટણીનું ચિત્ર શું રહેશે? હવે સ્થિતિ એવી છે કે ભાજપના 3 ઉમેદવારો (2 પુરુષ અને 1 મહિલા) મેદાનમાં છે અને તેમની સામે કોંગ્રેસના માત્ર મહિલા ઉમેદવાર (લતાબેન) છે. મતદારોએ 4 માંથી 3 ઉમેદવારોને પસંદ કરવાના રહેશે. જે ઉમેદવારને સૌથી ઓછા મત મળશે તે હારી જશે. એટલે કે, ભાજપના 3 ઉમેદવારો વચ્ચે જંગ નથી, પણ આ ત્રણેયમાંથી કોઈ પણ એક હારી શકે છે જો કોંગ્રેસના મહિલા ઉમેદવારને તેમના કરતા વધુ મત મળે તો. આ આખી ઘટનામાં ક્યાં ભૂલ થઈ? અહીં "કેટેગરી" સમજવામાં ભૂલ થઈ હતી. ભાજપના નેતાઓને લાગ્યું કે ત્રણેય પુરુષો સામેના ઉમેદવારો હટી ગયા છે એટલે તેઓ જીતી ગયા. પણ ટેકનિકલ રીતે, જ્યાં સુધી વોર્ડની કુલ બેઠકો જેટલા જ ઉમેદવારો મેદાનમાં ન રહે, ત્યાં સુધી બિનહરીફ જાહેર ન થઈ શકાય. બનાસકાંઠા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચૂંટણી ફેસલો આ રીતે થશે? ભાજપના નેતાઓ કોંગ્રેસની આરતી ઠાકોરની ઓળખ છુપાવીને પ્રાંત કચેરીમાં લઈ ગયા હતા પ્રાંત કચેરીએ બપોરે પાલિકા વોર્ડ નં. 1ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર આરતી ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું હતુ. જ્યાં પાલિકાના પૂર્વ પ્રમુખ હસમુખ પઢિયાર, પૂર્વ ઉપપ્રમુખ નાગજી દેસાઇ, સંજય જાની સહિતે ઉમેદવાર આરતીબેન ઠાકોરને કોર્ડન કરી કચેરીમાં લાવ્યા હતા. ફોર્મ પરત ખેંચ્યા પછી તેણીનો હાથ પકડી કારમાં બેસાડી લઇ જવાઇ હતી. આ હાઇવોલ્ટેજ ડ્રામાથી ઉત્તેજના પ્રસરી ગઇ હતી.
    Click here to Read More
    Previous Article
    Today News Headlines for School Assembly, April 16, 2026: Iran threatens to halt trade in Gulf if US doesn’t lift blockade
    Next Article
    વિદેશી દારૂ ઝડપાયો:પાટણમાં ઝાડીમાંથી 2.52 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment