Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરા રોગ અંગે આરોગ્ય વિભાગની ગંભીર ચેતવણી:0 થી 15 વર્ષના બાળકોના વાલીઓ માટે ખાસ અપીલ

    2 दिन पहले

    ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ચાંદીપુરા રોગના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને નાગરિકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા અને સાવચેતીના પગલાં જાહેર કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગે ખાસ કરીને 0 થી 15 વર્ષની વય જૂથના બાળકોના વાલીઓને વધુ સતર્ક રહેવા અપીલ કરી છે, આ રોગ 'સેન્ડફ્લાય' (રેતી માખી) ના કરડવાથી ફેલાય છે, જેમાં સતત વધુ પડતો તાવ, ઝાડા-ઊલટી, ખેંચ આવવી અને અર્ધસભાન થવું સહીતના ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર સર ટી. હોસ્પિટલ ખાતે લઈ સારવાર અર્થે મોકલવા., ​ચાંદીપુરા રોગ મુખ્યત્વે સેન્ડફ્લાયના કરડવાથી ફેલાય છે આ માખી સામાન્ય માખી કરતા કદમાં ખૂબ જ નાની હોય છે જે સામાન્ય રીતે ઘરની અંદર તેમજ બહારની દીવાલોની તિરાડો, પશુવાડા, ભેજવાળા વિસ્તારો અને ગાર-લીંપણવાળા ઘરોના પોલાણોમાં આશ્રય લેતી હોય છે આથી આવા સ્થળોએ વિશેષ કાળજી રાખવી અનિવાર્ય છે.​ આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો 0 થી 15 વર્ષના બાળકોમાં નીચે મુજબના લક્ષણો દેખાય તો તેને સામાન્ય તાવ સમજીને નજરઅંદાજ ન કરવા, ​સતત અને વધુ પડતો તાવ આવવો, ​ઝાડા અને ઊલટી થવી,​શરીરમાં ખેંચ આવવી, ​બાળક અર્ધસભાન કે બેભાન થઈ જવું, ​બચાવ અને અટકાયતના પગલાં,​ચાંદીપુરા રોગથી રક્ષણ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કાળજી રાખવા અનુરોધ કરાયો છે, ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ અને ચોખ્ખી હવાની અવરજવર રહે તેવી વ્યવસ્થા કરવી તેમજ દીવાલોની તિરાડો અને છિદ્રો પૂરાવી દેવા, 15 વર્ષ સુધીના બાળકોને હંમેશાં જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરીને સુવડાવવા., બાળકોને ખુલ્લા શરીરે બહાર કે ધૂળમાં રમવા ન દેવા અને હંમેશાં આખું શરીર ઢંકાય તેવા પૂરતા કપડાં પહેરાવવા., ​જો કોઈપણ બાળકમાં ઉપર જણાવેલા ગંભીર લક્ષણો પૈકી કોઈ પણ લક્ષણ જણાય, તો જરાય વિલંબ કર્યા વગર તુરંત જ દર્દીને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડીને સત્વરે નિદાન અને યોગ્ય સારવાર શરૂ કરાવવા માટે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલા અને લીલીયા બનશે ફાટક મુક્ત:કેન્દ્ર સરકારે 32.54 કરોડના ખર્ચે બનનારા ત્રણ મહત્વપૂર્ણ રેલવે અન્ડરબ્રિજના નિર્માણને મંજૂરી આપી
    Next Article
    CJP Parliament March LIVE Updates: "Protests To Continue," Says CJP After Meeting With JP Nadda

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment