Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'you will be Killed', ચિરાગ પાસવાનને મારી નાખવાની ધમકી:ઇંગ્લિશમાં પત્ર મોકલ્યો, લખ્યું- આતંકવાદીઓ જલ્દી જ તમારી હત્યા કરી દેશે, ગૃહ મંત્રાલય પાસેથી તપાસની માગ

    21 hours ago

    કેન્દ્રીય મંત્રી અને LJP (R)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી પોસ્ટથી મોકલી છે. માહિતી અનુસાર, પત્ર અંગ્રેજીમાં લખાયેલો છે- “You will be killed shortly by hardcore Terrorists”. જેનો અર્થ છે, “કટ્ટરવાદી આતંકવાદીઓ તમારી જલ્દી જ હત્યા કરી દેશે.” ધમકીભર્યો પત્ર મળ્યા બાદ ચિરાગ પાસવાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ પાર્ટી કાર્યાલયે તેની જાણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કરી છે. કાર્યાલય દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવને લખવામાં આવેલા પત્રમાં સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી છે. સાથે જ આવશ્યક સુરક્ષા અને કાર્યવાહીની માગ કરી છે. ધમકી આપનારની ઓળખ કરવામાં લાગેલી એજન્સીઓ સૂત્રો અનુસાર, ધમકીભર્યો પત્ર મોકલનારની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સીઓ એ પણ શોધી રહી છે કે પત્ર ક્યાંથી મોકલ્યો અને તેને મોકલવા પાછળ કોનો હાથ છે. હાલમાં ધમકી આપનારની ઓળખ અને તેની પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. મામલાની ગંભીરતાને જોતા સંબંધિત એજન્સીઓ પત્રના સ્ત્રોત સહિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે. Z સુરક્ષામાં ચાલે છે ચિરાગ પાસવાન ચિરાગ પાસવાનને હાલમાં Z કેટેગરીની સુરક્ષા મળી છે. તેમને આ સુરક્ષા ઓક્ટોબર 2024માં આપવામાં આવી હતી. આ સુરક્ષા વ્યવસ્થા હેઠળ SSB કમાન્ડોની જગ્યાએ CRPFના જવાનો તેમની સુરક્ષામાં તૈનાત છે. Z સિક્યોરિટી હેઠળ ચિરાગ પાસવાનની સુરક્ષામાં કુલ 33 જવાનો તૈનાત છે. તેમાંથી 10 આર્મ્ડ સ્ટેટિક ગાર્ડ તેમના નિવાસસ્થાને રહે છે. આ ઉપરાંત 6 PSO 24 કલાક તેમની સાથે રહે છે. ત્રણ શિફ્ટમાં આર્મ્ડ એસ્કોર્ટના 12 કમાન્ડો તૈનાત રહે છે. જ્યારે, વોચર્સ શિફ્ટમાં 2 કમાન્ડો અને ચોવીસ કલાક 3 પ્રશિક્ષિત ડ્રાઇવરો પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ છે. જુલાઈ 2025માં પણ તેમને ધમકી મળી હતી જુલાઈ 2025માં ચિરાગ પાસવાનને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રવક્તાએ પટના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. આરક્ષણના મુદ્દાને લઈને ચર્ચામાં છે ચિરાગ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન આરક્ષણના મુદ્દાને લઈને ચર્ચામાં છે. તેમણે ઉપ વર્ગીકરણ એટલે કે કોટાની અંદર કોટા અને ક્રીમી લેયરને લઈને જીતન રામ માંઝી પર નિશાન સાધ્યું હતું અને તેમની પાસેથી રાજીનામાની માગ કરી હતી. ચિરાગનું કહેવું હતું કે જો માંઝી અને તેમના પુત્ર અનુસૂચિત જાતિ આરક્ષણની અંદર 'ક્રીમી લેયર' લાગુ કરવા અથવા કોટાની અંદર કોટાના પક્ષધર છે તો તેમને આરક્ષણનો લાભ લેવાનો અધિકાર નથી. નૈતિકતાના આધારે સૌથી પહેલા કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    મોદી-પુતિન અને જિનપિંગે ટ્રમ્પનું ટેન્શન વધાર્યું:શાહબાઝે મોદીનો ફોટો કટ કરીને પાકિસ્તાનની માનસિકતા છતી કરી, SCO સમિટમાં ભારતને શું મળ્યું? જાણો સિક્રેટ
    Next Article
    મોદી-જિનપિંગ-પુતિનની જુગલબંધીથી ટ્રમ્પ ફફડ્યા!:રશિયાની આંખમાં આંખ નાખીને મોદી બોલ્યા 'યુદ્ધ પૂરું કરો' SCOમાં ભારતે શું મળ્યું? જાણો સિક્રેટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment