Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ, વર્ષના અંત સુધીમાં દોષિતોને સજા આપો':VHP અધ્યક્ષ આલોક કુમારે રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી સામે આક્રોશ વ્યક્ત કર્યો

    1 day ago

    વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર હાલ દક્ષિણ ગુજરાતના પાંચ દિવસના પ્રવાસે છે. 'સંત દર્શન યાત્રા' અંતર્ગત પોતાના પ્રવાસના બીજા દિવસે તેઓ નવસારી પહોંચ્યા હતા. અહીં તેમણે VHP અને સંઘના સ્થાનિક કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં થયેલી કથિત ચોરી અને ધર્માંતરણ સહિતના મુદ્દાઓ પર મીડિયા સમક્ષ નિવેદનો આપ્યા હતા. આલોક કુમારે અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં થયેલી કથિત ચોરી અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "આ કૃત્ય જેણે પણ કર્યું હોય, તે વ્યક્તિ ગમે તેટલી નાની હોય કે મોટી, તેના નામ સાર્વજનિક થવા જ જોઈએ." તેમણે આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આ વર્ષના અંત સુધીમાં દોષિતોને જેલમાં મોકલવાની માંગ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુનેગાર દંડ ભોગવશે અને રામજી સામે પ્રાયશ્ચિત કરશે, પરંતુ આ ઘટનાથી હિન્દુત્વની ધારા અટકશે નહીં અને તે આ જ રીતે આગળ વધતી રહેશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર લાગેલા આરોપો અંગે વીએચપી અધ્યક્ષે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, "કેટલાક લોકો આ મુદ્દે પોતાનો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે." તેમણે સોના-ચાંદી ગાયબ થવા, જમીન કૌભાંડ અને 40 ટકા કમિશન લેવાના આરોપોને રાજકીય ગણાવ્યા, કારણ કે ટ્રસ્ટ દ્વારા તમામ સોના-ચાંદીના સામાનની સાર્વજનિક માહિતી પહેલેથી જ આપી દેવામાં આવી છે. તેમણે પોલીસને તટસ્થ તપાસ કરવા અને જો દોષ સાબિત થાય તો ચંપત રાયને પણ દંડ મળવો જોઈએ તેમ જણાવ્યું. આલોક કુમારે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ સામે સંતો અને VHP દ્વારા થઈ રહેલી કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ખાસ કરીને ડાંગ જિલ્લાના પ્રત્યેક ગામમાં હનુમાનજીના મંદિર સ્થાપિત કરીને હિન્દુ સંસ્કૃતિ અને આદિવાસી પરંપરાઓના જતન માટે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    TRP ગેમઝોન અગ્નિકાંડમાં 5 અધિકારી કાયમી ઘરભેગા:ફાયર સ્ટેશન ઓફિસર વિગોરા અને TP વિભાગના 4 અધિકારી ડિસમિસ, મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવ્યા
    Next Article
    Bengaluru woman stabbed by ex-boyfriend after refusing to marry him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment