Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુલપતિ કાઉન્સિલ:VC છેલ્લી ઘડીએ ACમાંથી બે સભ્યો BOMમાં લઇ જવાનો એજન્ડા લાવ્યા, સભ્યોએ ઉડાવી દીધો!

    11 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે મળેલી એકેડેમિક કાઉન્સિલ (AC)ની બેઠક તોફાની રહી હતી. બેઠકમાં 58 જેટલા એજન્ડાઓ તો મંજૂર કરી દેવાયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ કુલપતિ દ્વારા રજૂ કરવામાં આવેલા એક મુદ્દાએ મિટિંગમાં હોબાળો મચાવ્યો હતો. કુલપતિએ પોતાની મરજી મુજબ સભ્યોની નિમણૂક કરવાની કોશિશ કરતા સભ્યોએ ‘સત્તાના દુરુપયોગ’નો આક્ષેપ કરી સભા ગજવી હતી. જો કે અંતે આ પ્રસ્તાવ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. બેઠકમાં વિવાદનું મુખ્ય કારણ એકેડેમિક કાઉન્સિલમાંથી બે સભ્યોને બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BoM) માં લઈ જવાનો મુદ્દો હતો. સ્ટેચ્યુટ મુજબ ACમાંથી BoMમાં બે સભ્યોની પસંદગી કરવાનો સંપૂર્ણ અધિકાર એકેડેમિક કાઉન્સિલના સભ્યોનો હોય છે. તમામ સભ્યોએ સાથે મળીને સર્વાનુમતે આ બે નામ નક્કી કરવાના હોય છે. પરંતુ, શુક્રવારે કુલપતિ પોતે જ બે નામ પહેલેથી નક્કી કરીને લાવ્યા હતા અને સભ્યો પાસે તેના પર મંજૂરીની મહોર લગાવવા દબાણ કર્યું હતું. સભ્યોએ આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, AC થી BoMમાં સભ્યો નિયુક્ત કરવાનો પાવર કુલપતિને નથી. વધુમાં, અનુભવના વર્ષોની ગણતરીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે બેઠકમાં ભારે માથાકૂટના દ્દશ્યો સર્જાયા હતા. યુનિવર્સિટીના સ્ટેચ્યુટ મુજબ સભાના એક સપ્તાહ પહેલા સભ્યોને એજન્ડા મોકલવા અનિવાર્ય છે જેથી તેઓ તેનો અભ્યાસ કરી શકે. જોકે, સભ્યોએ જણાવ્યું હતું કે તેમને માત્ર એક કે બે દિવસ પહેલા જ એજન્ડા મોકલવામાં આવે છે. આ રણનીતિ પાછળ યુનિવર્સિટી સત્તાધીશોની એવી મનસા હોય છે કે સભ્યો એજન્ડાનો પૂરતો અભ્યાસ ન કરી શકે અને વિવાદિત મુદ્દાઓ સરળતાથી પસાર થઈ જાય તેવી શંકા સેવાઈ રહી છે. જો કે એકેડેમિક કાઉન્સિલમાંથી બે સભ્યોને બીઓએમમાં લઇ જવાનો મુદ્દો અંતે પેન્ડિંગ રાખવો પડ્યો હતો. ‘ગ્લોરિયસ ગેરરીતિ’ 5 વર્ષમાં જે કોલેજમાં અનેક વિદ્યાર્થીઓ ભણી ગયા તે કોલેજને યુનિ.ની મંજૂરી જ ન હતી મળી ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી આ બેઠકમાં ખુલ્લી પડી છે. શહેરની ગ્લોરિયસ કોલેજના જોડાણને લઈને એક ચોંકાવનારો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. બેઠકમાં ગ્લોરિયસ કોલેજના વર્ષ 2020-21ના જોડાણને મંજૂરી આપવાનો એજન્ડા મુકવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે જે કોલેજનું જોડાણ હજુ હવે મંજૂર કરવા જઈ રહ્યા છે, ત્યાંથી હજારો વિદ્યાર્થીઓ ડિગ્રી લઈને નીકળી પણ ગયા છે! મોટો સવાલ એ છે કે જો કોલેજ પાસે છેલ્લા 5 વર્ષથી યુનિવર્સિટીનું જોડાણ જ નહોતું, તો ત્યાં એડમિશન આપવાની મંજૂરી કોણે આપી? મંજૂરી વિના ભણેલા વિદ્યાર્થીઓની ડિગ્રીની માન્યતા કેટલી? આટલા વર્ષો સુધી યુનિવર્સિટીના વહીવટદારો શું નિદ્રામાં હતા? આ મુદ્દો યુનિવર્સિટીમાં ચાલી રહેલા વહીવટમાં લાલિયાવાડીનો જીવંત પુરાવો બની ગયો છે.
    Click here to Read More
    Previous Article
    મુસાફરો માટે અત્યાધુનિક પહેલ:કિંમતી સામાન રાખવા રેલવે સ્ટેશને સ્માર્ટ લોકર મુકાયા
    Next Article
    CBSEનું શાળાઓને ‘હોમવર્ક’:વેબસાઈટ પર હવે પરિણામ, ફી, શિક્ષકોના નામ-લાયકાત મુકવા પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment