Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહુઆ મોઇત્રાનો આરોપ- બંગાળમાં મુસ્લિમ અધિકારીઓ સાથે ભેદભાવ:દાવો- UN માનવાધિકાર નિષ્ણાતને પત્ર લખ્યો, સરકાર પાસેથી જવાબ માંગવાની અપીલ કરી

    6 hours ago

    TMC સાંસદ મહુઆ મોઇત્રાએ પશ્ચિમ બંગાળમાં અમિત શાહના સરકારી કાર્યક્રમોને લઈને UNમાં ફરિયાદ કરી છે. તેમણે મુસ્લિમ IAS અને IPS અધિકારીઓને ધર્મના આધારે બહાર રાખવાનો આરોપ લગાવ્યો છે. મોઇત્રાએ UNના લઘુમતી બાબતોના વિશેષ દૂત પ્રોફેસર નિકોલસ લેવરાને પત્ર મોકલ્યો છે. તેમણે કહ્યું કે જુલાઈ અને ઓગસ્ટમાં શાહની રાજ્ય મુલાકાત દરમિયાન ત્રણ વરિષ્ઠ અધિકારીઓને કાર્યક્રમોમાંથી હટાવવામાં આવ્યા અથવા આવવાથી રોકવામાં આવ્યા. મોઇત્રાના જણાવ્યા અનુસાર, અન્ય ધર્મોના અધિકારીઓને કાર્યક્રમોમાં સામેલ થવા દેવામાં આવ્યા. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, આ સમાચારની પુષ્ટિ થઈ શકી નથી. મહુઆની X પર પોસ્ટ… પત્રમાં દાવો- જુલાઈ અને ઓગસ્ટમાં કાર્યક્રમો યોજાયા, અધિકારીઓને બહાર રાખવામાં આવ્યા મોઇત્રાએ આ પત્ર માનવાધિકારો માટેના UN હાઈ કમિશનર કાર્યાલય (OHCHR)ના લઘુમતી બાબતોના વિશેષ દૂત પ્રોફેસર નિકોલસ લેવરાને લખ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ત્રણ પ્રસંગોએ વરિષ્ઠ મુસ્લિમ IAS અને IPS અધિકારીઓને કાર્યક્રમોમાંથી બહાર રાખવામાં આવ્યા. આ ઘટનાઓ અમિત શાહના જુલાઈ અને ઓગસ્ટમાં પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન બની હતી. મોઇત્રાએ જણાવ્યું કે આ અધિકારીઓના અન્ય ધર્મોના સમકક્ષોને કાર્યક્રમોમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે પત્રમાં લખ્યું, “આ ત્રણેય અધિકારીઓમાં એક વાત સમાન છે અને જે વાત તેમને કાર્યક્રમમાં રહેવાની મંજૂરી મેળવનારા સહકર્મીઓથી અલગ પાડે છે, તે તેમનો ધર્મ છે.” મહુઆએ પત્રમાં 3 અધિકારીઓનાં નામ લીધાં મોઇત્રાએ સિલિગુડીના પોલીસ કમિશનર વકાર રઝા, પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સના વડા જાવેદ શમીમ અને વરિષ્ઠ IAS અધિકારી ખલીલ અહમદનો ઉલ્લેખ કર્યો. તેમણે આ ઘટનાઓને “ઈરાદાપૂર્વક બહાર રાખવાની” પેટર્ન ગણાવી. મોઇત્રાએ કહ્યું કે આ પ્રકારના વર્તનથી લઘુમતી સમુદાયોના વિશ્વાસ અને સુરક્ષા પર અસર પડી શકે છે. ભારત સરકાર પાસેથી જવાબ માંગવાની અપીલ TMC નેતાએ વિશેષ દૂતને ભારત સરકાર પાસેથી અધિકારીઓને બહાર રાખવાના કારણો અને તેના માટે જવાબદાર સત્તાધિકારીની માહિતી માંગવાની અપીલ કરી. તેમણે અમિત શાહના પ્રવાસો સાથે જોડાયેલા CCTV ફૂટેજ, ટૂર ડાયરી અને અન્ય રેકોર્ડ સુરક્ષિત રાખવાની પણ માગ કરી. મોઇત્રાએ પોતાની ફરિયાદમાં યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ અને ઇન્ટરનેશનલ કોવનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સની જોગવાઈઓનો ઉલ્લેખ કર્યો. મોઇત્રાએ થોડા દિવસ પહેલાં આ મામલે પોસ્ટ કરી હતી. ત્યારબાદ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેમને ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સ્વરા ભાસ્કરે કહ્યું- 'રામ જન્મભૂમિના નિર્ણયથી દુઃખી થઈ':'હું હિંદુ છું પણ મને અફસોસ થયો'; આમિર, શાહરુખ અને સલમાન ખાનને મેસેજ કરીને માફી માગી
    Next Article
    અમદાવાદમાં 'આશીર્વાદના દીવડા' કાર્યક્રમ પહેલા વરસાદ:મુખ્યમંત્રી વરસતા વરસાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા, દ્વારકામાં લાંબા સમય બાદ ધોધમાર વરસાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment