Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાનનો UAEના શારજાહમાં જહાજ પર હુમલાનો દાવો:વેરહાઉસમાં પણ આગ લાગી, ઈઝરાયલે કહ્યું- ખામેનીના મોત પછી જેને દેશની કમાન સંભાળી તેનો ખાતમો

    1 day ago

    ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના શારજાહમાં એક જહાજ પર ઈરાને હુમલો કર્યો છે. અહેવાલો મુજબ, મંગળવારે શારજાહ પોર્ટ પર એક જહાજમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. તેમજ શારજાહના સિક્સ્થ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક વેરહાઉસમાં પણ આગ લાગી હતી. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, ફાયર બ્રિગેડની ટીમોએ અંદાજે 20 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો અને કોઈના ઘાયલ થવાની માહિતી મળી નથી. આ દરમિયાન, ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઈરાનના સિક્યુરિટી ચીફ અલી લારીજાનીને મારી નાખ્યા છે. જોકે, ઈરાન તરફથી આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ, ઈઝરાયલના આ દાવાઓ વચ્ચે લારીજાનીના X એકાઉન્ટ પર હાથથી લખાયેલી એક નોટ પબ્લિશ કરવામાં આવી છે. તેમાં તેમણે હુમલામાં માર્યા ગયેલા ઈરાની નૌસૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે, જેમના અંતિમ સંસ્કાર આજે થવાની શક્યતા હતી. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 'નંદાદેવી' જહાજ વાડીનાર પહોંચ્યું જામનગર-દ્વારકા હાઈવે નજીક આવેલા ખંભાળિયાના વાડીનાર દરિયાકાંઠે 'નંદાદેવી' નામનું એલપીજી કેરિયર જહાજ સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ગુજરાત સુધી પહોંચ્યું છે, જે દેશના એલપીજી પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જહાજમાં અંદાજિત 45,000 થી 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો લાવવામાં આવ્યો છે. શરૂઆતમાં આ જહાજને કંડલા પોર્ટ પર જવાનું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને વાડીનાર બંદર તરફ વાળવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો… અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    સંબંધોમાં AIની ઘુસણખોરી!:નાની નાની વાતે ચેટબોટની સલાહ લેવાથી સંબંધોમાં ટકરાવ વધ્યો, 'પરફેક્ટ' જવાબોએ સંબંધોની આત્મિયતા છીનવી
    Next Article
    ચાણસ્માના ઝીલિયામાં ફાર્મ હાઉસ પર સશસ્ત્ર હુમલો, CCTV:8 ગાડીમાં 20 શખસ ધારીયા તલવાર સાથે ત્રાટક્યા, 112 જનરક્ષક વાનને નુકસાન; PI, ASI અને HC તથા 5 GRD ફરજમુક્ત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment