Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    T-20 વર્લ્ડ કપ ટ્રોફી લઈને સૂર્યા-ગંભીર સાળંગપુર પહોંચ્યા:ભારતની જીતની માનતા પૂર્ણ કરી, હનુમાનજીના ચરણોમાં ટ્રોફી અર્પણ કરી

    9 hours ago

    ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર તાજેતરમાં T-20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સાળંગપુર પહોંચ્યા હતા. તેમણે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ચરણોમાં વર્લ્ડ કપ ટ્રોફી અર્પણ કરી, ભારતની જીત માટે રાખેલી માનતા પૂર્ણ કરી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ, જે 'મિસ્ટર 360' તરીકે પણ ઓળખાય છે, અને કોચ ગૌતમ ગંભીર ખાસ દર્શનાર્થે આવ્યા હતા. બંને દિગ્ગજો પોતાની સાથે વર્લ્ડ કપ ટ્રોફી લાવ્યા હતા, જે ભારત વિશ્વવિજેતા બને તે માટે રાખેલી માનતા પૂર્ણ કરવા માટે હતી. સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે દાદાના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. તેમણે સુવર્ણ વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ અવસરે કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરે ધજા પૂજનની વિધિ પણ સંપન્ન કરી હતી અને મંદિરના શિખર પર ધજા ચડાવી હતી. મંદિરના પૂજ્ય સંતો દ્વારા બંને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નૌત્તમસ્વામીજી (પ્રમુખ, સત્સંગ મહાસભા), શુકદેવસ્વામીજી (ગોકુલધામ નાર), અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી-સાળંગપુરધામ સહિતના સંતો હાજર રહ્યા હતા. તેમણે કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની નેતૃત્વ ક્ષમતા અને ભારતીય ટીમની મહેનતને બિરદાવી હતી. સંતોએ આગામી ટુર્નામેન્ટ્સમાં પણ ભારત વિજયી બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. દર્શનાર્થે આવેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, "વર્લ્ડ કપ જીતવો એ આખા દેશનું સપનું હતું. દાદાની કૃપાથી જ અમે આ ટ્રોફી ભારત લાવી શક્યા છીએ. આજે અહીં ટ્રોફી સાથે નતમસ્તક થઈને હું અને ગૌતમ ભાઈ ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ."
    Click here to Read More
    Previous Article
    અલકાપુરીમાં ઓનલાઈન સટ્ટો રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા:પ્રોજેક્ટર પર IPL મેચ જોઈ સટો રમતા'તા, મોબાઈલ, રોકડ અને વાહનો સહિતનો 2.91 મુદ્દામાલ જપ્ત
    Next Article
    Rs 9,26,02,45,300: What Ukrainian Strikes Is Costing Russia Each Day

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment