Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં ભક્તોનો ઘસારો વધતા STએ દોડાવી વધારાની બસો:18 ઓગસ્ટથી 245 ટ્રીપ દોડાવી, 9 હજારથી વધુ યાત્રાળુઓને સુવિધા મળી, 8 લાખથી વધુની આવક થઈ

    7 hours ago

    શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને કારણે સોમનાથ યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા છે. આ ભીડને પહોંચી વળવા વેરાવળ ST ડેપો દ્વારા અલગ અલગ રૂટ પર વધારાની બસો ચલાવવામાં આવી રહી છે. શ્રાવણ મહિના દરમિયાન સોમનાથમાં ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં યાત્રાળુઓની ભીડ વધતા બસોમાં પણ ભારે ગિરદી જોવા મળે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ST વિભાગે સોમનાથ-દ્વારકા અને સોમનાથ-જૂનાગઢ જેવા મુખ્ય રૂટ પર વધારાની ટ્રીપો શરૂ કરી છે. વેરાવળ ST ડેપોએ 18 ઓગસ્ટથી અત્યાર સુધીમાં લગભગ 245 વધારાની ટ્રીપો ચલાવી છે. આ વધારાની બસોને કારણે 9 હજારથી વધુ મુસાફરોને આવવા-જવાની સુવિધા મળી છે. આ ઉપરાંત, વધારાની ટ્રીપોથી વેરાવળ ST ડેપોને 8 લાખ રૂપિયાથી વધુની આવક પણ થઈ છે. હાલમાં અલગ અલગ એક્સપ્રેસ રૂટ પર મુસાફરોની ભારે ભીડ છે અને લગભગ 100 ટકા બુકિંગ થઈ રહ્યું છે. યાત્રાળુઓને લાંબા સમય સુધી બસની રાહ ન જોવી પડે અને તેઓ સરળતાથી પોતાના સ્થળે પહોંચી શકે તે માટે ST તંત્ર જરૂરિયાત મુજબ વધારાની ટ્રીપો ચલાવી રહ્યું છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારને કારણે સોમનાથમાં ભક્તોની ભીડ વધુ વધવાની શક્યતા છે. આવા સમયે વેરાવળ ST ડેપો દ્વારા વધારાની બસો ચલાવવાનો નિર્ણય યાત્રાળુઓ માટે રાહતરૂપ બન્યો છે. તહેવારો દરમિયાન યાત્રાળુઓની સંખ્યા અને રૂટ પરની માંગને જોઈને હજુ પણ જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. વેરાવળ GSRTC ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું કે, યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને ST વિભાગ સતત નજર રાખી રહ્યું છે. મુસાફરોની જરૂરિયાત મુજબ વધારાની બસો ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    "સગાઈ માટે પૈસાની જરૂર પડી તો ડ્રગ્સની ડિલિવરી કરી":રાજકોટ રેલવે સ્ટેશન પરથી 9.23 લાખના 18.467 કિલો ગાંજા સાથે એક ઝડપાયો, મુખ્ય સૂત્રધાર ફરાર
    Next Article
    સંસદસભ્ય ધવલભાઈ પટેલે વલસાડ કાર્યાલયે નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા:કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment