Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના સાપનું ઝેર બનશે 'સંજીવની':SRI એન્ટી-સ્નેક વેનમ માટે ઝેર સોંપ્યું, ટૂંકમાં સમયમાં રાજ્યને મળશે વેક્સિન, રાજ્યમાં સર્પદંશથી થતાં માનવ મૃત્યુ ઘટાડવા પહેલ: મોઢવાડિયા

    1 day ago

    ગુજરાતમાં સર્પદંશની સારવારને વધુ અસરકારક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. વલસાડના ધરમપુર સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) દ્વારા ગુજરાતના ઝેરી સાપોનું ફ્રીઝ-ડ્રાઇડ ઝેર તેલંગાણાની લાઇસન્સ પ્રાપ્ત કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. આ ઝેરના આધારે હવે ગુજરાત માટે પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ તૈયાર થશે, જે ટૂંક સમયમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે આ પહેલ કરવામાં આવી છે. ધરમપુરનું સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની માર્ગદર્શિકા મુજબ સાપોની જાળવણી અને ઝેર એકત્ર કરવાની પ્રક્રિયા અપનાવી રહ્યું છે. ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) હેઠળ કાર્યરત SRIએ કુલ 68.57 ગ્રામ ઝેર સોંપ્યું છે. તેમાં 33.37 ગ્રામ ભારતીય નાગ, 2.67 ગ્રામ કાળોતરો, 30.82 ગ્રામ ખડચિતળો અને 1.71 ગ્રામ ફુરસાના ઝેરનો સમાવેશ થાય છે. આ કંપની હવે ગુજરાત માટે વિશેષ એન્ટી-સ્નેક વેનમનું ઉત્પાદન કરશે. નિષ્ણાતોના મતે, એક જ પ્રજાતિના સાપનું ઝેર પણ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે બદલાય છે. આથી, અન્ય રાજ્યોના ઝેરમાંથી તૈયાર થયેલી રસી ગુજરાતમાં હંમેશા સંપૂર્ણ અસરકારક રહેતી નથી. સ્થાનિક સાપોના ઝેર પરથી તૈયાર થતી રસી વધુ અસરકારક સાબિત થશે, ઓછી માત્રામાં ડોઝની જરૂર પડશે અને ઓર્ગન ફેઇલ્યોર જેવી ગંભીર સ્થિતિનું જોખમ પણ ઘટશે. સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચેરમેન ડૉ. ડી.સી. પટેલે માહિતી આપી કે સમગ્ર ગુજરાતમાંથી ઝેરી સાપો લાવી તેમનું ઝેર એકત્ર કરવામાં આવે છે. આ પ્રક્રિયા રાજ્ય માટે વૈજ્ઞાનિક રીતે વધુ અસરકારક એન્ટી-સ્નેક વેનમ વિકસાવવામાં મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે 2024માં 'નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઇટ એન્વેનોમિંગ' અમલમાં મૂક્યો છે. વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં 50 ટકા ઘટાડો કરવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં ગુજરાતનું આ પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ મહત્વપૂર્ણ યોગદાન આપશે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં પાટા પર ભૂસ્ખલન, 20 ટ્રેન રદ:75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, 142 વૃક્ષો ધરાશાયી થયા, શાળા-કોલેજો બંધ; છત્તીસગઢમાં 2 બાળકો ડૂબી ગયા
    Next Article
    Weather Today LIVE: Heavy Rain Grounds Flights, Triggers Flood Alerts Across India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment