Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ખાદ્ય તેલમાં ભેળસેળની ફરિયાદ:SOG અને ફૂડ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી

    17 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ખાદ્ય તેલમાં ભેળસેળની ફરિયાદો મળ્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે SOG પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે શહેરના સટ્ટા બજાર વિસ્તારમાં એક તેલના વેપારીને ત્યાં દરોડો પાડી તપાસ શરૂ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી SOG પોલીસે ફૂડ વિભાગ સાથે મળીને આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ભેળસેળયુક્ત દૂધ અને તેલની બનાવટો દ્વારા લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા છે.નોંધનીય છે કે, થોડા દિવસો પૂર્વે તાલાલાના વાડી વિસ્તારમાં પણ SOG પોલીસે ફૂડ વિભાગ સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. તે સમયે આશરે ૧૬,૦૦૦ કિલોગ્રામ શંકાસ્પદ કેરીનો રસ મળી આવ્યો હતો, જે બે વર્ષ જૂનો હોવાનું અને લગ્નની સિઝનમાં વેચવા માટેનો હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહી પણ ભેળસેળ અટકાવવાના વ્યાપક અભિયાનનો એક હિસ્સો હતી.
    Click here to Read More
    Previous Article
    પાટડીના બિસ્માર રોડ માટે ₹9.50 કરોડ મંજૂર:નવરંગપુરા-ઉપરિયાળા-પોરડા-મોટી મજેઠી રોડનું નવીનીકરણ થશે
    Next Article
    ભાવનગર મનપાનો 'હીટવેવ એક્શન પ્લાન':બપોરે 1થી 4 શ્રમિકોને આરામ અને સ્કૂલોના સમયમાં ફેરફારની સૂચના, બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment