Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેસ્ટ સિરીઝ પહેલાં જ ગિલ ઈજાના કારણે રમી શક્યો નથી:વોર્મ-અપ મેચના પહેલા દિવસે SLનો સ્કોર 363/8, 3 બેટર્સની ફિફ્ટી, જાડેજા-કુલદીપ અને માનવને 2-2 વિકેટ

    7 hours ago

    શ્રીલંકા-XIએ ભારત સામેની વોર્મ-અપ મેચમાં મજબૂત શરૂઆત કરી છે. ટીમે 3 દિવસીય મેચના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યાં સુધીમાં 8 વિકેટે 363 રન બનાવ્યા છે. કેશરા નુવાંથા અને દિલુમ સુધીરા અણનમ પાછા ફર્યા. આ પહેલા ઓપનર નિશાન ફર્નાન્ડો (66 રન), રવિન્દુ રસંથા (71 રન) અને કેપ્ટન સોનલ દિનુશા (52 રન)એ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. ભારતીય ટીમ તરફથી રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને માનવ સુથારે 2-2 વિકેટ ઝડપી. એક વિકેટ ગુરનૂર બરારને મળી. ભારતનો ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ રમી રહ્યો નથી. BCCIએ જણાવ્યું કે ગુરુવારે પ્રેક્ટિસ દરમિયાન તેના જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. વોર્મ-અપ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કેએલ રાહુલ કરી રહ્યો છે. ભારત-શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગૉલમાં રમાશે. ટીમ મેનેજમેન્ટે ટેસ્ટ મેચને ધ્યાનમાં રાખીને જ ગિલને વોર્મ-અપ મેચમાં આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ત્રીજા સેશનમાં કેપ્ટન સોનલ દિનુશાની ફિફ્ટી ટી-બ્રેક પછી શ્રીલંકા-XIએ 246/4ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું. ટીમના કેપ્ટન સોનલ દિનુશાએ ફિફ્ટી ફટકારીને ટીમનો સ્કોર 350 પાર પહોંચાડી દીધો. રમેશ મેન્ડિસે 32 રનની ઇનિંગ રમીને તેનો સાથ આપ્યો. દિનુશાને માનવ સુથારે LBW આઉટ કર્યો. ટી-બ્રેક પર અણનમ પાછા ફરેલા અહાન વિક્રમસિંઘે (31 રન)ને કુલદીપ યાદવે ગુરનૂર બરારના હાથે કેચ કરાવ્યો. તેણે એન્જેલા બંદેરાને પણ LBW આઉટ કર્યો. બીજા સેશનમાં ત્રણ વિકેટ પડી લંચ પછી શ્રીલંકા ક્રિકેટ ઇલેવને 138/1થી આગળ રમતા બીજા સેશનમાં 108 રન ઉમેરીને 3 વિકેટ ગુમાવી અને સ્કોર 246/4 સુધી પહોંચાડ્યો. રવિન્દુ રસાંથાએ 143 બોલમાં 71 રન બનાવ્યા, પરંતુ માનવ સુથારના બોલ પર સબસ્ટિટ્યુટ વિપરાજ નિગમના હાથે કેચ આઉટ થયો. આ પહેલા રવીન્દ્ર જાડેજાએ 35 રન પર પસિન્દુ સૂરિયાબંદારાને બોલ્ડ કર્યો, જ્યારે ટી-બ્રેક પહેલા જ ગુરનૂર બરારે પવન રત્નાયકે (39)ને દેવદત્ત પડિકલના હાથે કેચ કરાવ્યો. લંચ સુધી બોલરોને કોઈ વિકેટ નહીં મેચના પહેલા દિવસે લંચ સુધી શ્રીલંકા ક્રિકેટ ઇલેવને 29 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 138 રન બનાવ્યા. લંચ સુધી રવિન્દુ રસાન્થા 82 બોલમાં 50 અને પસિન્દુ સૂરિયાબંદારા 27 બોલમાં 16 રન બનાવીને અણનમ રહ્યા. આ પહેલા નિશાન ફર્નાન્ડોએ 65 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે 20.4 ઓવરમાં રનઆઉટ થઈ ગયા. ભારતીય બોલરોને લંચ સુધી કોઈ વિકેટ મળી ન હતી અને એકમાત્ર સફળતા રનઆઉટના રૂપમાં આવી. મોહમ્મદ સિરાજ અને માનવ સુથારે 5-5 ઓવરમાં 14-14 રન આપ્યા હતા, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાએ 27, રવિન્દ્ર જાડેજાએ 29, કુલદીપ યાદવે 23 અને ગુરનૂર બરારે 25 રન ખર્ચ કર્યા હતા. તૈયારીઓ માટે મહત્વપૂર્ણ છે વોર્મ-અપ મેચ ત્રણ દિવસનો આ વોર્મ-અપ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેસ્ટ સિરીઝ પહેલા ખેલાડીઓને શ્રીલંકાની પરિસ્થિતિઓ અને સ્પિનને અનુકૂળ થવાની તક મળશે. ભારતે પોતાની છેલ્લી ટેસ્ટ જૂનમાં રમી હતી. ભારત હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે. ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે શ્રીલંકા સામેની આ સિરીઝ ટીમને માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કોચિંગ સ્ટાફ અને ટીમમાં ફેરફાર આ મુકાબલો ફિલ્ડિંગ કોચ સુભાદીપ ઘોષના કાર્યકાળની પ્રથમ મેચ પણ છે. BCCIએ પૂર્વ ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ અને સહાયક કોચ રાયન ટેન ડોશેટનો કરાર આગળ વધાર્યો ન હતો. બેટર સાઈ સુદર્શન હાલમાં બેંગલુરુ સ્થિત સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)માં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. જ્યારે, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજાને કારણે આ પ્રવાસનો ભાગ નથી.
    Click here to Read More
    Previous Article
    Agra Viral Video: Baarish में अचानक धंस गई सड़क, SP नेता Nitin Kohli ने गड्डे में उतरकर देखा विकास
    Next Article
    ત્રિશા સાથે અફેરની ચર્ચા વચ્ચે થલાપતિ વિજયના છૂટાછેડા રદ્દ:સંગીતાએ અરજી પાછી ખેંચી, કોર્ટે પૂછપરછ બાદ કેસ બંધ કર્યો; લગ્નેત્તર સંબંધનો આરોપ લગાવ્યો હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment