Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:જિલ્લામાં સીમાંકન વધ્યું, SIR બાદ ઘટેલા મતદારો‎સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગણિત બદલી નાખશે‎

    11 hours ago

    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો ચૂંટણીપંચ દ્વારા પણ ચૂંટણી અંગેની તૈયારીઓ શરૂ કરી છે પરંતુ રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ એસ.આઈ.આર.ની કામગીરી બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી ચૂંટણીનું ગણિત બદલશે. પોરબંદર જિલ્લામાં પોરબંદર મનપામાં 18,357,પોરબંદર તા.પ.માં 2221,રાણાવાવ તા.પ.માં 1881,કુતિયાણા તા.પ.માં 812 મળી જિલ્લા પંચાયતમાં 4913 મતદારો એસ.આઈ.આર.માં ઘટી જતાં જે લોકો ત્રણ કે ત્રણ થી વધુ ટર્મથી જીતતા હતા તેનું જીતવું મુશ્કેલ બને તેવા પણ એધાન જોવા મળી રહ્યા છે.જોકે આગામી ચૂંટણીના પરિણામ બાદ જ એસ.આઈ.આર.કોના માટે ફળી અને કોના માટે મુશ્કેલ બની તે સામે આવશે. તાજેતરમાં રાજ્યની 15 મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સત્તાધીનોની ટર્મ પુરી થતા વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી.આ વહીવટદારની નિમણૂક બાદ તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકિય પાર્ટીઓ પણ કામે લાગી ગયા છે અને ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી સહિતની પ્રકિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ રાજ્યમાં એસ.આઈ.આર.ની કામગીરી બાદ પ્રથમ ચૂંટણી યોજવાની છે ત્યારે નિષ્ણાંતોના મતે આ ચૂંટણીમાં એસ.આઈ.આર.ની કામગીરી દરમ્યાન ઓછા થયેલ મતદારો મહત્વની ભૂમિકા ભજવશે. પોરબંદર જિલ્લામાં પણ પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત, કુતિયાણા તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકા સહિત રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે.ત્યારે પોરબંદર જિલ્લામાં પણ એસ.આઈ.આર.ની કામગીરી બાદ પ્રથમ ચૂંટણી યોજવાની છે જેથી એસ.આઈ.આર.માં જિલ્લામાં થયેલ કામગીરીમાં ઘટેલ મતદારો ચૂંટણીનું ગણિત બદલી નાખે તેવા પણ એધાન જોવા મળી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર મનપામાં 18,357, પોરબંદર તા.પ.માં 2221, રાણાવાવ તા.પ.માં 1881, કુતિયાણા તા.પ.માં 812 મળી જિલ્લા પંચાયતમાં 4913 મતદારો એસ.આઈ.આર.માં ઘટી જતાં જે લોકો ત્રણ કે ત્રણ થી વધુ ટર્મથી જીતતા હતા તેનું જીતવું મુશ્કેલ બને તેવા પણ એધાન જોવા મળી રહ્યા છે.જોકે આગામી ચૂંટણીના પરિણામ બાદ જ એસ.આઈ.આર.કોના માટે ફળી અને કોના માટે મુશ્કેલ બની તે સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    In Gurgaon, property tax bills include garbage collection charges despite only private arrangement in place
    Next Article
    Cameron Green "Not Good Enough": KKR's Rs 25.20 Crore Signing Ridiculed After Another Flop Show

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment