Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોહલી ભારતની સૌથી વેલ્યુએબલ પર્સનાલિટી:બ્રાન્ડ વેલ્યુ ₹3542 કરોડ; શાહરૂખ બીજા, પ્રિયંકા ત્રીજા અને અમિતાભ 7મા નંબરે

    1 week ago

    દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી ભારતની સૌથી વેલ્યુએબલ પર્સનાલિટીની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમની બ્રાન્ડ વેલ્યુ 3,542 કરોડ રૂપિયા છે. શાહરૂખ ખાન બીજા અને પ્રિયંકા ચોપરા જોનાસ ત્રીજા સ્થાને છે. ફોર્ચ્યુન ઇન્ડિયા અને ઇન્ટરબ્રાન્ડે દેશની 25 સૌથી વેલ્યુએબલ સેલિબ્રિટી પર રિસર્ચ કર્યું. જેમાં ટોપ 10માં 3 ક્રિકેટર અને 7 ફિલ્મી સેલિબ્રિટી છે. ટોપ-25 સેલિબ્રિટીઝમાં દીપિકા, રશ્મિકા મહિલા સેલિબ્રિટીઝમાં પ્રિયંકા ચોપરા સૌથી ઉપર રહી. આ ઉપરાંત દીપિકા પાદુકોણ (11મું સ્થાન), રશ્મિકા મંદાના (17મું સ્થાન), કૃતિ સેનન, ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સાઉથની અભિનેત્રી નયનતારાને સ્થાન મળ્યું છે. વેલ્યુએબલ વ્યક્તિઓની યાદીમાં દિલજીત દોસાંઝ, કરણ જોહર, સૌરવ ગાંગુલી અને વિકી કૌશલના પણ નામ છે. કેવી રીતે નક્કી કરવામાં આવી બ્રાન્ડ વેલ્યુ આ અભ્યાસમાં બ્રાન્ડ વેલ્યુ નક્કી કરવા માટે સેલિબ્રિટીઝની કમાણી, ફોલોઅર્સ કે બોક્સ ઓફિસ પરની સફળતા ઉપરાંત અન્ય ઘણી બાબતો પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આમાં બ્રાન્ડની તાકાત નક્કી કરતા પાસાઓ જેવા કે- વિશિષ્ટતા, તાલમેલ, જોડાણ, વિશ્વાસ, આત્મીયતા અને જવાબદારી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે, જે મળીને તેમની અંતિમ બ્રાન્ડ વેલ્યુ નક્કી કરે છે. આ પણ વાંચો… વૈભવ સૂર્યવંશીએ કહ્યું- હું વર્લ્ડ ક્રિકેટને ડોમિનેટ કરીશ:મને રેડ બોલ રમવો ગમે છે, કોહલીએ મારા ખભા પર હાથ મૂક્યો ત્યારે મને સપના જેવું લાગ્યું હતું વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદ થયા પછી રાજસ્થાન રોયલ્સે સોશિયલ મીડિયા પર તેમનો એક ઇન્ટરવ્યુ શેર કર્યો છે. આમાં વૈભવે કહ્યું કે તેઓ આવનારા 20 વર્ષ સુધી માત્ર ક્રિકેટ જ નહીં રમે, પરંતુ વર્લ્ડ ક્રિકેટ પર ડોમિનેટ કરવાનું કામ કરશે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો….
    Click here to Read More
    Previous Article
    MHT CET Result 2026 Live Updates: Cell to release PCM results at cetcell.mahacet.org soon
    Next Article
    ગુરુવારે અધિક માસની એકાદશીનો સંયોગ:11 જૂને પરમા એકાદશી, કુબેર અને રાજા હરિશ્ચંદ્રએ કર્યું હતું વ્રત; હવે 2029માં આવશે આ તિથિ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment