Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિલ્લી પગે મોંઘવારીનો પગપેસારો:મહિનામાં ચોથીવાર પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા, દિલ્હીમાં પેટ્રોલ ₹2.61, ડીઝલ ₹2.71 પ્રતિ લિટર મોંઘું થયું; યુદ્ધની અસર ભારત સુધી પહોંચી

    5 days ago

    તેલ કંપનીઓએ આજે 25 મેના રોજ પેટ્રોલ ₹2.61 પ્રતિ લિટર અને ડીઝલ ₹2.71 પ્રતિ લિટર મોંઘું કર્યું છે. આ વધારા પછી દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત ₹102.12 અને ડીઝલની કિંમત ₹95.20 થઈ ગઈ છે. આ મહિને ચોથી વખત વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઈંધણની કિંમતોમાં આ મહિને આ ચોથો વધારો છે… અન્ય વસ્તુઓના ભાવ પણ વધી શકે છે… પેટ્રોલ-ડીઝલના ભાવમાં શા માટે વધારો થયો? આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઇલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતો વધુ વધારી શકાય છે. બેઝ પ્રાઇસથી ચાર ગણા સુધી વધી જાય છે કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો અને ડોલર સામે રૂપિયાની સ્થિતિના આધારે દેશમાં ઇંધણના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારી તેલ કંપનીઓ 'ડેઇલી પ્રાઇસ રિવિઝન' એટલે કે ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ હેઠળ દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ અપડેટ કરે છે. ગ્રાહક સુધી પહોંચતા પહેલા તેલની કિંમતોમાં અનેક પ્રકારના ટેક્સ અને ખર્ચ ઉમેરાય છે, જેને આપણે સરળ ભાષામાં સમજી શકીએ છીએ: 1. ક્રૂડ ઓઇલની કિંમત (બેઝ પ્રાઇસ): ભારત તેની જરૂરિયાતનું લગભગ 90% ક્રૂડ વિદેશોમાંથી આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદેલા બેરલના હિસાબે પ્રતિ લિટર તેલની કિંમત નક્કી થાય છે. 2. રિફાઇનિંગ અને કંપનીઓનો ચાર્જ: કાચા તેલને દેશની રિફાઇનરીઓમાં શુદ્ધ કરીને પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવે છે. આમાં રિફાઇનિંગ ખર્ચ અને કંપનીઓનો માર્જિન શામેલ હોય છે. 3. કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી: રિફાઇનરીમાંથી બહાર નીકળ્યા પછી કેન્દ્ર સરકાર તેના પર એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદન શુલ્ક) અને રોડ સેસ લગાવે છે. આ સમગ્ર દેશમાં બધા રાજ્યો માટે સમાન હોય છે. 4. ડીલર કમિશન: તેલ કંપનીઓ જે ભાવે પેટ્રોલ પંપ માલિકો (ડીલર્સ) ને ઇંધણ વેચે છે, તેમાં ડીલર્સનું પોતાનું નિશ્ચિત કમિશન ઉમેરવામાં આવે છે, જે પેટ્રોલ અને ડીઝલ માટે અલગ-અલગ હોય છે. 5. રાજ્ય સરકારનો વેટ (VAT): સૌથી છેલ્લે રાજ્ય સરકારો પોતાના હિસાબે વેટ અથવા લોકલ સેલ્સ ટેક્સ લગાવે છે. કારણ કે દરેક રાજ્યના વેટ દરો અલગ-અલગ હોય છે, તેથી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ જેવા અલગ-અલગ શહેરોમાં ઇંધણની કિંમતો પણ અલગ-અલગ હોય છે. 2024થી ભાવ બદલાયા ન હતા, ચૂંટણી પહેલા ઘટાડો થયો હતો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ માર્ચ 2024 થી સ્થિર રહ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 પહેલા સરકારે ભાવમાં ₹2 પ્રતિ લિટરનો ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી. જોકે, તકનીકી રીતે ભારતમાં ઇંધણના ભાવ નિયંત્રિત છે અને કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડની 15 દિવસની સરેરાશ કિંમતના આધારે દરરોજ ભાવ બદલી શકે છે, પરંતુ રાજકીય સંવેદનશીલતાને કારણે તેમને લાંબા સમય સુધી બદલવામાં આવ્યા ન હતા. તેલ કંપનીઓને દર મહિને 30 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું હતું સરકારના મતે, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે ખોટમાં ચાલી રહી હતી. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વેચાણ પર દર મહિને લગભગ ₹30,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ₹10-10 ઘટાડવામાં આવી હતી આ પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટીમાં ₹10-10નો ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પરની ડ્યુટી ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 કરવામાં આવી હતી, જ્યારે ડીઝલ પર ₹10 થી શૂન્ય કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા એક લિટર પેટ્રોલ પર કુલ ₹21.90 એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટ્યા પછી તે ₹11.90 રહી ગઈ હતી. તેવી જ રીતે, એક લિટર ડીઝલ પર કુલ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ₹17.8 થી ઘટીને ₹7.8 પર આવી ગઈ હતી. સરકારનો આ નિર્ણય પેટ્રોલ-ડીઝલની કિંમતોને સ્થિર રાખવા માટે હતો. આ નિર્ણયને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા ન હતા. સંપૂર્ણ સમાચાર વાંચો… પીએમ મોદીએ કહ્યું હતું- ઈંધણનો ઉપયોગ ઓછો કરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણામાં એક કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ એશિયાના ભૌગોલિક-રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનોના સાવચેતીપૂર્વક ઉપયોગનું સૂચન કર્યું હતું. પીએમએ કહ્યું હતું કે આજે સમયની માંગ છે કે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ખૂબ જ સંયમથી કરવામાં આવે. આપણે આયાતી પેટ્રો ઉત્પાદનોનો ઉપયોગ ફક્ત જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 850 પોઈન્ટ વધીને 76,300 પર ટ્રેડ થઈ રહ્યો છે:નિફ્ટીમાં પણ 250 પોઈન્ટનો ઉછાળો, 24,000 પર પહોંચ્યો; રિયલ્ટી શેરોમાં ખરીદી
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પેટ્રોલ 100ને પાર, 11 દિવસમાં ચોથો ઝટકો, દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ધડાકો, અમદાવાદના 'હમાસ'ને બ્રિટનના ડ્રગ્સ નેટવર્ક સાથે સીધા તાર

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment