Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાબહારનો હિસ્સો ઈરાની કંપનીને સોંપી શકે છે ભારત:અમેરિકાના પ્રતિબંધો હટે ત્યાં સુધી અસ્થાયી વ્યવસ્થા ચાલુ રહેશે; ભારતનું ₹1100 કરોડનું રોકાણ

    11 hours ago

    ભારત ઈરાનના ચાબહાર પોર્ટમાં પોતાનો હિસ્સો ઈરાની કંપનીને સોંપી શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ પગલું અસ્થાયી રૂપે ઉઠાવવામાં આવી શકે છે, જેથી અમેરિકાના પ્રતિબંધોમાંથી મળેલી છૂટ પૂરી થયા પછી પણ કામ ચાલુ રહી શકે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું આ પોર્ટમાં ₹1100 કરોડનું રોકાણ છે. ભારત સરકાર આ મુદ્દે અમેરિકા અને ઈરાન બંને સાથે અલગ-અલગ વાતચીત કરી રહી છે. રિપોર્ટ અનુસાર આ વાતચીત અત્યંત સંવેદનશીલ છે અને તેમાં સામેલ અધિકારીઓએ ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. ભારતને નવેમ્બર 2025માં છ મહિનાની છૂટ મળી હતી, જેના કારણે ચાબહાર પોર્ટ પર અવરોધ વિના કામ ચાલુ રહ્યું. આ છૂટ આ મહિને પૂરી થઈ રહી છે. ચાબહાર પ્રોજેક્ટમાંથી ભારત સંપૂર્ણપણે બહાર નીકળી રહ્યું નથી રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભારત ચાબહાર પ્રોજેક્ટમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાની યોજના નથી બનાવી રહ્યું. ભવિષ્યમાં અહીં કનેક્ટિવિટી વધારવાની યોજના છે, જેમાં રેલ લિંક પણ સામેલ છે, જેનાથી અફઘાનિસ્તાન અને આગળ સુધી પહોંચ મજબૂત થશે. ભારત આ અસ્થાયી ટ્રાન્સફરને અમેરિકા અને ઈરાન વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ તરીકે જોઈ રહ્યું છે. એક તરફ અમેરિકાના ઈરાન પર કડક પ્રતિબંધો છે, તો બીજી તરફ ચાબહાર પોર્ટ ભારતની રણનીતિનો મહત્વનો ભાગ છે. આ પોર્ટ પાકિસ્તાનને બાયપાસ કરીને સીધો અફઘાનિસ્તાન સુધી પહોંચ આપે છે. ચાબહાર પોર્ટ હોર્મુઝ સ્ટ્રેટની નજીક છે, જે ફારસની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતો એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. તેનું સ્થાન તેને વ્યૂહાત્મક રીતે વધુ મહત્વપૂર્ણ બનાવે છે. ચાબહાર પોર્ટ લાંબા સમયથી ભારતની પ્રાદેશિક વ્યૂહરચનાનો એક ભાગ રહ્યો છે. તેને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટમાં ચીનની હાજરીના જવાબ તરીકે પણ જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, હિસ્સેદારી ટ્રાન્સફરનું કોઈપણ પગલું પ્રાદેશિક રાજદ્વારી પર અસર કરી શકે છે. પોર્ટ માટે ભારતે અત્યાર સુધી શું-શું કર્યું ભારતે વર્ષ 2003માં અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન ઈરાન સાથે ચાબહાર પોર્ટને લઈને વાતચીત શરૂ કરી. બાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે આ પ્રક્રિયા અટકી ગઈ. વર્ષ 2013માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે ચાબહાર પોર્ટમાં 800 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી. વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન અને અફઘાનિસ્તાનના નેતાઓ સાથે ચાબહાર કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ ભારતે એક ટર્મિનલ માટે 700 કરોડ રૂપિયા આપવા અને પોર્ટના વિકાસ માટે 1,250 કરોડ રૂપિયાની લોન આપવાનો નિર્ણય કર્યો. વર્ષ 2024માં તત્કાલીન વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ઈરાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરીને કનેક્ટિવિટીના મુદ્દા પર ચર્ચા કરી. ચાબહાર પોર્ટથી ભારતના ફાયદા 1. પાકિસ્તાનના રસ્તા વિના સેન્ટ્રલ એશિયા સુધી પહોંચ ભારતને અફઘાનિસ્તાન કે અન્ય એશિયન દેશો સુધી સામાન મોકલવા માટે પાકિસ્તાનના રસ્તાનો ઉપયોગ કરવો પડતો નથી. ભારત ઈરાનના ચાબહાર પોર્ટથી સીધો પોતાનો માલ અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા મોકલી શકે છે. તેનાથી સમય અને પૈસા બંને બચશે. 2. વેપાર વધશે ભારત ચાબહાર દ્વારા પોતાનો સામાન, દવાઓ, ફૂડ અને ઔદ્યોગિક ઉત્પાદનો સરળતાથી અન્ય દેશો સુધી મોકલી શકે છે. તેનાથી ભારતની નિકાસ વધશે અને લોજિસ્ટિક ખર્ચ (માલવહન ખર્ચ) ઓછો થશે. ભારતને ઈરાન પાસેથી ઓઈલ ખરીદવામાં સરળતા રહેશે. બંને દેશો મળીને ચાબહારને એક ટ્રેડ હબ બનાવી શકશે. 3. ચીન-પાકિસ્તાનનો મુકાબલો ચાબહાર બંદર, પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ (જ્યાં ચીન રોકાણ કરી રહ્યું છે) ની નજીક છે. તેથી આ પોર્ટ ભારતને વ્યૂહાત્મક રીતે મજબૂત બનાવે છે અને ચીન-પાકિસ્તાન ગઠબંધનનો મુકાબલો કરવામાં મદદ કરે છે. ----------------------- આ સમાચાર પણ વાંચો… દાવો- બ્રિટને યુદ્ધમાં સાથ ન આપ્યો, ટ્રમ્પ નારાજ:બ્રિટનના કબજા હેઠળના ફોકલેન્ડ ટાપુ પર આર્જેન્ટિનાનો સાથ આપી શકે છે બ્રિટન અને સ્પેને નાટો (NATO) સંબંધિત એક અમેરિકી રિપોર્ટ પર વાંધો ઉઠાવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ સરકાર આ બંને દેશોને સજા આપવા પર વિચાર કરી રહી છે. તેનું કારણ ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાનો ખુલીને સાથ ન આપવાનું છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના રક્ષા મંત્રી એટલે કે પેન્ટાગોન (Pentagon)ની અંદર અધિકારીઓ વચ્ચે એક ઈમેલ દ્વારા વાતચીત થઈ, જેમાં અલગ-અલગ સંભવિત પગલાંઓ (ઓપ્શન્સ) પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    કેચ પકડવા જતા એન્ગિડીનું માથું જમીન સાથે પટકાયું:એમ્બ્યુલન્સમાં સ્ટેડિયમ બહાર લઈ જવો પડ્યો, દિલ્હીને માંડ-માંડ ઓપનિંગ જોડીની વિકેટ મળી
    Next Article
    VIDEO: માત્ર 21 સેકન્ડમાં 26 ફટકા!:રાજકોટમાં શ્વાન ભસ્યું તે ન ગમતા પિતા-પુત્ર તૂટી પડ્યા, બચાવવા વચ્ચે પડેલી મહિલાને પણ માર મારવાની કોશિશ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment